શોધખોળ કરો

કચ્છ: જેલમાં કેદ વિદેશી મહિલાએ જેલ અધિક્ષક સામે લગાવ્યો જાતીય શોષણનો આરોપ, હાઇકોર્ટે આપ્યો મોટો આદેશ

કચ્છ: કચ્છની જેલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પાલારા જેલમાં કેદ નાઇજિરિયન મહિલા કેદી દ્વારા જેલ અધિક્ષક સામે જાતીય શોષણનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામી છે.

કચ્છ: કચ્છની જેલમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પાલારા જેલમાં કેદ નાઇજિરિયન મહિલા કેદી દ્વારા જેલ અધિક્ષક સામે જાતીય શોષણનો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામી છે. હવે મળતી માહિતી પ્રમાણે ભુજની પાલારા જેલ દુષ્કર્મ કેસમાં 15 દીવસમાં તપાસ કરી રિપોર્ટ કોર્ટમાં સોંપાશે. નોંધનિય છે કે, નાઇજિરિયન મહિલા દ્વારા સ્થાનિક કક્ષાએ રજુઆત કરવા છતાં કોઈ દાદ ન મળતા અંતે હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સોમવારે હાઇકોર્ટે ભુજ કોર્ટને મહત્વનો આદેશ આપ્યો છે જેને લઈને આગામી સમયમાં આ ચકચારી કેસમાં નવા ખુલાસા થવાની વકી છે. હાઇકોર્ટ દ્વારા ભુજ કોર્ટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, ફરિયાદ અન્વયે ભુજ કોર્ટ દ્વારા 15 દિવસમાં તપાસ કરીને સંપૂર્ણ રીપોર્ટ તૈયાર કરી અહેવાલ સોંપવાનો રહેશે.

જૂનાગઢ ભારતી આશ્રમમાં સન્નાટો, હરિ હરાનંદ બાપુ ગુમ થતા પોલીસ આવી એક્શનમાં

જૂનાગઢ: મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ સંપર્ક વિહોણા થતા ચકચાર મચી જવા પામી છે. મહામંડલેશ્વર હરિ હરાનંદ બાપુ ગુમ થતા ભારતી આશ્રમ ખાતે સન્નાટો જોવા મળી રહ્યો છે. સેવકોએ પણ બોલવાનું ટાળ્યુ છે. આ ઉપરાંત આશ્રમના સંચાલક મહાદેવ ભારતી બહાર હોવાનું સેવકોએ જણાવ્યું છે. આ અંગે પોલીસે ગુમસુદાની ફરિયાદ દાખલ કરી છે. વડોદરા પોલીસની વિવિધ ટીમો તપાસમાં જોતરાઈ છે. જે ચિઠ્ઠી અને વીડિયો વાયરલ થાય છે તે પોલીસે મેળવી ગુમ થવાનું કારણ શોધવા કવાયત શરુ કરી છે. પોલીસે હાઇવ નજીકના સીસીટીવી, મોબાઈલ લોકેશન અને કથિત સેવકોની તપાસ શરૂ કરી છે.

અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો

અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ વધુ વકર્યો છે. સરખેજ ભારતી આશ્રમના વિવાદથી વ્યથિત મહામંડલેશ્વર  હરિહરાનંદ  ભારતી બાપુ ગુમ થયા છે. વ્યથિત હોવાથી  હરિહરાનંદ ભારતી બાપુ આશ્રમ છોડી નિકળી ગયા છે. ગત રાતથી  હરિહરાનંદ ભારતીબાપુ સંપર્ક વિહોણા થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક પામ્યા બાદ  હરિહરાનંદ  ભારતી બાપુએ ગાદી સંભાળી છે. 

આ દરમિયાન  હરિહરાનંદ ભારતીબાપુનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં તેઓ ગુમ થયાનું કારણ પણ જણાવી રહ્યાં છે. વિડીયોમાં તેઓ કહી રહ્યાં છે કે આશ્રમના વીલમાં નામ હોવા છતાં તેમની સાથે કાવાદાવા થયા. આ ઉપરાંત ઘણા સમયથી ધાક ધમકીઓ પણ મળી રહી છે.તો તેમના નામે એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં તેમણે લખ્યું છે.

“ હું લખનાર હરિહરાનંદ ભારતી, સરખેજ ભરતી આશ્રમનો વિવાદ  મારા ગુરુ બ્રહ્મલિન થયા બાદ ખુબ થયો છે. વીલ મારા નામનો છે, છતાં પણ હું સનાથળ આપવા તૈયાર હતો. આ વિવાદનું નિવારણ કઈ આવતું નથી. કોઈ મારુ કહ્યું માનતા નથી, હું મૂંઝાણો છું. હું કંટાળીને નીકળી ગયો છું. મને એન  કેન રીતે બદનામ કરે છે, ખોટા દબાણ કરે છે. લિ. હરિહરાનંદ ભારતી”

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget