શોધખોળ કરો

Morbi: વીજલાઈન રીપેરીંગ કરી રહ્યો હતો PGVCLનો કર્મચારી, ત્યારે જ વીજશોક લાગતા થયું મોત

મોરબી: હળવદમાં વીજલાઈન રીપેરીંગ કરવા ગયેલ પીજીવીસીએલના કર્મચારીનું મોત નિપજ્યું છે. પીજીવીસીએલ કર્મચારીનું વીજશોકથી મોત થતા અરેરાટી મચી ગઈ છે.

મોરબી: હળવદમાં વીજલાઈન રીપેરીંગ કરવા ગયેલ પીજીવીસીએલના કર્મચારીનું મોત નિપજ્યું છે. પીજીવીસીએલ કર્મચારીનું વીજશોકથી મોત થતા અરેરાટી મચી ગઈ છે. હાલમાં પીજીવીસીએલ કચેરી તેમજ મૃતકના ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કર્મચારી હળવદના કોયબા અને ઢવાણાગામ વચ્ચે વીજ લાઈન રીપેર કરતો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. મૃતકનું નામ દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા છે અને તેઓ હળવદના કોયબા ગામના રહેવાસી હતી. દિગ્વિજયસિંહ મંગળસિંહ ઝાલા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા.

ભાવનગરમાં પી.જી.વી.સીના દરોડા, ચેકીંગ દરમિયાન 31 લાખની વીજ ચોરી પકડાઇ

 ભાવનગર જિલ્લામાં પી.જી.વી.સીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે, વીજ ટીમે પોતાના મેગા ચેકીંગ દરમિયાન 31 લાખથી વધુની વીજ ચોરીને પકડી પાડી છે.  પીજીવીસીએલની ટીમે આજે ભાવનગર જિલ્લામાં એક મેગા ચેકીંગ હાથ ધર્યુ હતુ, જેમાં કુલ ૪૨ જેટલી ટીમોએ પોતાની કાર્યવાહીમાં ૩૧.૬૪ લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી. આ મેગા ચેકિંગ દરમિયાન શહેર અને જિલ્લામાં કુલ ૪૩૧ પૈકી ૧૨૮માં વીજ ચોરી થતી હોવાનું બહાર આવ્યું છે, ગેરકાયદેસર વીજળીની ચોરી કરતા તમામ પકડાયેલા લોકોને પીજીવીસીએલ તરફથી દંડ ફટકારવામાં આવ્યો છે.

આખલાએ રહેણાંક વિસ્તારમાં ગાડીઓને નુકશાન પહોંચાડ્યુ

ભાવનગરમાં ફરી એકવાર રખડતાં ઢોરનો આંતક સામે આવ્યો છે, આ વખતે એક આખલાએ આતંક મચાવ્યો છે, આખલાએ રહેણાંક વિસ્તારમાં દોડી દોડીને કેટલીક ગાડીઓને નુકશાન પહોંચાડ્યુ હતુ, લોકોએ આખલાથી બચવા ઘરો બંધ કરી દીધા હતા. માહિતી પ્રમાણે, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રખડતા ઢોરનો આંતક જોવા મળ્યો છે, રહેણાક વિસ્તારમાં રખડતા આખલાએ હાહાકાર અને ઉથલપાથલ મચાવી દીધી, આખલાથી બચવા માટે લોકોએ પોતાના ઘરો બંધ કરી દીધા હતા. રખડતા આખલાએ ત્રણથી ચાર ગાડી અને ઘરની બહાર પડેલી વસ્તુઓને મોટુ નુકશાન પહોંચાડ્યું હતું. આ પહેલા પણ ભાવનગરમાં રખડતાં આખલાએ આતંક મચાવ્યો હતો, રખડતાં આખલાના કારણે કુંભરવાડા વિસ્તાર રહેતા એક વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો હતો. મહાનગરપાલિકાની ઢોર પકડવાની ઢીલી કામગીરીનો ભોગ શહેરની સામાન્ય જનતા બની રહી છે. 

ગામમાં બે વરઘોડા સામ-સામે આવી ગયા

ભાવનગરમાં લગ્ન બાબતે મારામારી થવાની ઘટના સામે આવી છે, જિલ્લાના મહુવાના કતપર ગામે લગ્ન પ્રસંગે બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. ભાવનગરના મહુવાના કતપર ગામે લગ્ન પ્રસંગમાં બે પરિવારો વચ્ચે અથડામણ થઇ હતી, માહિતી પ્રમાણે, ગામમાં બે લગ્ન પ્રસંગો યોજાઇ રહ્યાં હતા, અને બન્નેના વરરાજાના ફૂલેકા એક જ સમય એક જ જગ્યાએ સામ સામે આવી ગયા હતા, આ દરમિયાન એક જુથે સ્પેનો છંટકાવ કરવાનો શરૂ કરી દીધો હતો, જેથી મામલો બિચક્યો હતો, અને મારામારી સુધી પહોંચ્યો હતો. બન્ને પરિવારો વચ્ચે મારામારી થતાં 5 વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એક જ ગામમાં બે લગ્ન પ્રસંગ હોય ત્યારે બે વરરાજાનુ ફુલેકું સામસામે આવી જવાની ઘટના બાદ મોટી માથાકુટ સર્જાઈ હતી. એક પક્ષાના લોકોએ અચાનક બીજા પક્ષ પર હુમલો કરી દીધો હતો અને 5 લોકોને ઇજા પહોંચાડી હતી. આ તમામ ઇજાગ્રસ્તોને મહુવા હૉસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ
વરસાદનું નાઉ કાસ્ટ: સાંજે 7 વાગ્યા સુધી રાજ્યના 17 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget