શોધખોળ કરો

પશુપાલકો માટે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી મોટી જાહેરાત, રોજની આવક 5 રૂપિયા થશે

આ કરેલ કરારો મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તે ઉપરાંત ભવિષ્યમાં બીજા વધારાના પ્લાન્ટોની સ્થાપના કરવામાં આવશે.

North Gujarat Bio CNG announcement: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સુઝુકી અને બનાસડેરી સંયુક્તપણે ઉત્તર ગુજરાતમાં પાંચ બાયો CNG સ્ટેશનની સ્થાપના કરશે. આ પ્રોજેક્ટ હેઠળ પશુઓના ગોબરમાંથી બાયો CNG નું ઉત્પાદન કરવામાં આવશે.

બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસડેરી દ્વારા જિલ્લાના પશુપાલકોની આવક વધારવાના હેતુથી તથા વેસ્ટ ને વેલથથી બદલી સરકયુલર ઈકોનોમી ઊભી કરવાના હેતુ થી જૂન ૨૦૧૯માં બનાસકાંઠા જિલ્લાના દામા ગામમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે ૪૦,૦૦૦ કિગ્રા/દિવસની ક્ષમતા ધરાવતો સામુદાયિક બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આ પ્લાન્ટમાં દામા ગામની આસ પાસના છ ગામોના 150 પશુપાલકો પાસેથી ૧ રૂ/કિલોના દરે તાજું છાણ સંપાદન કરવામાં આવે છે. જે છાણ માંથી પ્રતિદિન ૫૦૦ ૬૦૦ કિલો. બાયો સીએનજી અને 10 12 મેટ્રિક ટન જૈવિક ખાતરનું ઉત્પાદન થાય છે.

આ પ્રોજેક્ટની સફળતાથી પ્રેરાઈ ભારતની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની સુઝુકી મોટરે બનાસડેરીની સાથે મળી એન.ડી.ડી.બી.ના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં બીજા વધુ બાયોગેસ પ્લાન્ટોની સ્થાપના માટે ની સ્વૈચ્છિક પણે તૈયારી દર્શાવી હતી. બનાસડેરી અને એન.ડી.ડી.બીના સંયુક્ત ઉપક્રમે બાયો સીએનજી ગેસ સ્ટેશનની સંખ્યા વધારવા તકનીકી તેમજ આથિક મદદ માટે જાપાનની સુઝુકી કંપનીએ ભારતીય ડેલિગેશનને આમંત્રણ આપી ૬ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ જાપાનનાં ટોક્યો ખાતે ૧,૦૦,૦૦૦ કિલો/ દિવસ છાણની ક્ષમતા ધરાવતા ૪ નવા બયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેના કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ કરેલ કરારો મુજબ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં 4 બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તે ઉપરાંત ભવિષ્યમાં બીજા વધારાના પ્લાન્ટોની સ્થાપના કરવામાં આવશે.

જેના ભાગ રૂપે ૨૬ જુલાઈ ૨૦૨૪ના રોજ સુઝુકી કંપની, જાપાનના પ્રમુખ તોશીહીરો સુઝુકી બનાસકાંઠાની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તોશીહીરો સુઝુકી દામા ખાતેના બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લેશે તથા પાલનપુર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટની અને સણાદર પ્લાન્ટ ખાતે પોટેટો પ્રોસેસીંગ પ્લાન્ટની મુલાકાત લેશે.

આ મુલાકાત દરમિયાન સણાદર પ્લાન્ટ ખાતે આયોજિત ખેડૂત સંમેલનમાં સુઝુકી રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા (SRDI), NDDB અને બનાસડેરી વચ્ચે બાયોગેસ ટેકનોલોજીમાં તકનીકી સંશોધન માટે જાપાનની ટોયોહાષિ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિકોની મદદથી વધુ કાર્યક્ષમ પ્લાન્ટની ડીજાઈનો તૈયાર કરવામાં આવશે અને તે ટેકનોલોજી મુજબ પાંચમા પ્લાન્ટની સ્થાપના થરાદ વિસ્તારમાં કરવા માટેના 1100 કરવામાં આવશે.

આ થનાર કરારો પ્રમાણે બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂરલ મોબિલિટી પ્રોજેક્ટ થકી રોજગારી ઉત્પન્ન કરવા માટે સુઝુકી કંપની દ્વારા લિઝ મોડેલ ઉપર મારુતિ સુઝુકીની ઈકો વાહનો દ્વારા રૂરલ એન્ટરપ્રિન્યોર પણ તૈયાર કરવામાં આવશે. જેના પ્રાયોગિક પાયલોટ પ્રોજેક્ટ રૂપે બે ગામ પસંદ કરી ગામ દીઠ પાંચ મારુતિ સુઝુકી ઈકો વાહન લિઝ ધોરણે આપવામાં આવશે.

હાલમાં કાર્યરત પ્લાન્ટ, નવીન બની રહેલ પ્લાન્ટો અને ભવિષ્યમાં બનવાના છે તે પ્લાન્ટો થકી પ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણને જાળવવામાં બનાસડેરી નિર્ણાયક ભૂમિકા ભજવશે અને ગ્રીન તથા ક્લીન એનર્જિ પણ ઉત્પન્ન કરશે. ૮૫૫૯ વાહનો માટે બળતણનું વિતરણ કરવા માટે દરેક પ્લાન્ટની સાથે બાયોગેસ ફિલિંગ સ્ટેશનો સ્થાપવામાં આવશે તદઉપરાંત જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે જૈવિક ખાતરનું પણ મબલક ઉત્પાદન આ બાયોગેસ પ્લાન્ટો થકી કરવામાં આવશે.

રસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના આડેધડ થતા ઉપયોગો ખતરનાક બિમારીઓને જન્મ આપે છે. સાથે સાથે જમીનના સ્વાસ્થય ને પણ નુકશાન પહોચાડે છે. જેના સામે ઓર્ગેનિક ખેતી થકી જમીનની તંદુરસ્તી લાંબા સમય સુધી જાળવી રહે તથા ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન મળે તે હેતુ થી બનાસ ડેરી દ્વારા ઓર્ગેનિક ખાતરોનું ઉત્પાદન કરવામાં આવે છે. જે માટે “ભૂમિ અમૃત” બ્રાન્ડ લોગો લોન્ચ કરાવામાં આવનાર છે. આ જૈવિક ખાતરની સાથે પાક માટે જરૂરી પોષક તત્વોથી ભરપૂર બનાસ બાયોગેસ પ્લાન્ટની લિક્વિડ પ્રોડક્ટ્સ “પાવર પ્લસ” પણ લોન્ચ કરવામાં આવશે.

બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશા સૂચનથી બનાસડેરી ને મળેલ રાહ ઉપર ચાલી બનાસડેરી ગોબરધનના પ્રોજેક્ટ થકી જિલ્લામાં સ્વચ્છ ઈંધણ અને જૈવિક ખતરોનું ઉત્પાદન કરી સર્ક્યુલર ઈકોનોમી પ્રસ્‍થાપિત કરવા માટે આગળ વધી રહી છે. શરૂઆતના પ્રાયોગિક પ્લાન્ટની સફળતા પછી સુઝુકી કંપનીના સહયોગથી વધારેમાં વધારે બાયોગેસ પ્લાન્ટોની જિલ્લામાં સ્થાપના કરવામાં આવશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain: ઉના-ગીર ગઢડા પંથકમાં વરસાદનો કહેર: 4 રસ્તા બંધ, 15 ગામડા સંપર્ક વિહોણા
Una Heavy Rain: ઉના-ગીર ગઢડા પંથકમાં વરસાદનો કહેર: 4 રસ્તા બંધ, 15 ગામડા સંપર્ક વિહોણા
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Embed widget