શોધખોળ કરો

Bihar: બોધગયામાં કોરોના વિસ્ફોટ, દલાઇ લામાના પ્રોગ્રામમાં આવેલા 11 વિદેશી કોરોના સંક્રમિત

24 ડિસેમ્બરે ઘણા વિદેશી પર્યટકો બોધગયા પહોંચ્યા હતા. જેમાંથી એક ઈંગ્લેન્ડ અને 10 મ્યાનમાર અને બેંગકોકના છે

એક તરફ બિહારમાં કોરોનાને લઈને એલર્ટની સ્થિતિ છે. તો બીજી તરફ બોધગયામાં આયોજિત બૌદ્ધ નેતા દલાઈ લામાના શિક્ષણ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા દેશોમાંથી શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં સમાચાર સામે આવ્યા છે કે અહીં સાત વિદેશી પ્રવાસીઓ કોરોના સંક્રમિત થયા છે. જે બાદ અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, 24 ડિસેમ્બરે ઘણા વિદેશી પર્યટકો બોધગયા પહોંચ્યા હતા. જેમાંથી એક ઈંગ્લેન્ડ અને 10 મ્યાનમાર અને બેંગકોકના છે. આ તમામ વિદેશી પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં સાત પ્રવાસીઓ કોરોના પોઝિટિવ જણાયા હતા. ગયાના સિવિલ સર્જન ડૉ. રંજન કુમાર સિંહે આ વાતની પુષ્ટી કરી છે. આ તમામ પ્રવાસીઓને હોટલમાં અલગ રાખવામાં આવ્યા છે.

એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે

ઉલ્લેખનીય છે કે શનિવારથી નવી માર્ગદર્શિકા હેઠળ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, અમદાવાદ, પુણે, ઈન્દોર અને ગોવા સહિતના એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે, જેમાં દરેક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં આવનારા મુસાફરોના બે સેમ્પલ લેવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડના પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવશે. આ દેશોમાંથી ભારત આવતા મુસાફરોમાં તાવ કે કોરોના પોઝિટીવ હોવાના લક્ષણો જણાશે તો ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવશે.

2020 માં કોરોના મહામારીની શરૂઆતથી રાજધાની દિલ્હીમાં અત્યાર સુધીમાં 20,07,143 કેસ નોંધાયા છે. આ સાથે 26,521 મૃત્યુ નોંધાયા છે. નવેમ્બરના મધ્યથી દરરોજ પ્રાપ્ત થતા કેસોની સંખ્યા ઘટીને 20 થઈ ગઈ છે.

દેશમાં કોરોનાને લઈને ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે

કેટલાક દેશોમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા દિલ્હીમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની સૂચના પર એરપોર્ટથી લઈને રાજધાનીની તમામ સરકારી હોસ્પિટલોમાં મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. દિલ્હીના આરોગ્ય સચિવ અમિત સિંગલાએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે બેઠક કરી અને તેમને હોસ્પિટલોની મુલાકાત લેવાનો નિર્દેશ આપ્યો.

ચીનમાં કોરોના વાયરસના કારણે વિકટ પરિસ્થિતિ વચ્ચે હવે તેનો ખતરો વિશ્વભરના દેશો પર મંડરાઈ રહ્યો છે. ચીનની સાથે સાથે જાપાન, દક્ષિણ કોરિયા અને અમેરિકામાં પણ કોરોનાના કેસમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget