શોધખોળ કરો

2000 Note : "PM મોદી 2000ની નોટ લાવવાના પક્ષમાં જ નહોતા" : પૂર્વ અધિકારીનો ખુલાસો

આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે.

Nripendra Mishra on RBI to Withdraw 2000 Rupee : ભારતીય રિઝર્વ બેંકે ગઈ કાલે 19મી જુન, શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 2000ની નોટ પરત કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ધીમે ધીમે બે હજારની નોટ ચલણમાંથી બહાર થઈ જશે. આરબીઆઈ દ્વારા તેની તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી આ નોટો બેંકોમાંથી બદલી શકાશે. RBIના આ નિર્ણય પર રાજકારણીઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવે આ બાબતે જાણકારી આપી છે. 

'બે હજારની નોટ બદલાવવાની આશા હતી'

આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે 2016માં નોટબંધીની યોજના બનાવવામાં આવી હતી ત્યારે પીએમ મોદીના મનમાં પહેલાથી જ હતું કે 2000 રૂપિયાની નોટ એક અસ્થાયી સમાધાન છે. એટલે કે આ નોટોના એક્સચેન્જની અપેક્ષા હતી.

"પીએમ મોદીને 2000ની નોટ લાવવી પસંદ નહોતી" 

નૃપેન્દ્ર મિશ્રાએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું હતુંકે, 'આ નોટબંધી નથી, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની છે. નોટબંધી વખતે 2000 રૂપિયાની નોટ લાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જે વડાપ્રધાનને પસંદ નહોતું આવ્યું. જો કે, એક કેપ્ટન તરીકે, તેની ટીમની સલાહ પર, તેણે આ નોટોને મંજૂરી આપી. તેમ છતાં તે ત્યારે ખૂબ જ સ્પષ્ટ હતા અને અમે પણ હતા કે આ ટૂંકા ગાળાની વ્યવસ્થા હશે.

'નોટબંધી મહત્વનો નિર્ણય હતો'

નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, નોટબંધીના સમયે આ એક મહત્વપૂર્ણ નિર્ણય હતો, જે પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીની વિચારસરણી હતી જ કે, 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી રહી છે. આ ખાસ સંજોગોમાં લાવવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થા હતી. તેને ક્યારેય લાંબી પ્રક્રિયા સાથે આગળ લઈ જવાનું ન હતું. આ સાથે તે સમયે પીએમનો અભિપ્રાય પણ હતો કે, આ મોટી નોટ (રૂ. 2000ની નોટ) મુખ્યત્વે ગરીબો માટેના વ્યવહારો માટે વ્યવહારુ નહીં હોય. આ સ્થિતિમાં તેને બદલવાને લઈને તે આશ્વસ્ત હતા જ.

'તબક્કાવાર નિર્ણય લેવાયો'

આ ઉપરાંત તે સમયે તેમણે એવું પણ વિચાર્યું હતું કે, જો 2000ની નોટને લાંબા સમય સુધી યથાવત રાખવામાં આવે તો તેનાથી કાળા નાણાને પ્રોત્સાહન મળશે અને બીજું કે, કરચોરી પણ સરળ બની જશે. તેથી જ તેમનું માનવું હતું કે, તેને જેટલું વહેલું પાછું લઈ શકાય એટલું સારું રહેશે. આ માટે તબક્કાવાર નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. ત્યાર બાદ આગામી તબક્કામાં ધીમે ધીમે તેમના સર્ક્યુલેશનને ઘટાડવાની અને તેની પાછી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હવે શુક્રવારે, આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, આ તમામ નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં પાછી ખેંચી લેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો દુનિયામાં યુદ્ધ ફાટી નીકળે, તો ભારતમાં પરમાણુ બોમ્બનું 'રિમોટ કંટ્રોલ' કોના હાથમાં છે? જાણો આખી પ્રક્રિયા
જો દુનિયામાં યુદ્ધ ફાટી નીકળે, તો ભારતમાં પરમાણુ બોમ્બનું 'રિમોટ કંટ્રોલ' કોના હાથમાં છે? જાણો આખી પ્રક્રિયા
LPG કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ લોકોને 5 કિલોના ગેસ સિલિન્ડર આપવામાં મળશે ખાસ પ્રાથમિકતા!
LPG કટોકટી વચ્ચે સરકારનો મોટો નિર્ણય, આ લોકોને 5 કિલોના ગેસ સિલિન્ડર આપવામાં મળશે ખાસ પ્રાથમિકતા!
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
હવામાન વિભાગની મોટી આગાહી: એકસાથે 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, કરા અને વાવાઝોડા સાથે વરસાદ ભુક્કા બોલાવશે
હવામાન વિભાગની મોટી આગાહી: એકસાથે 5 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય, કરા અને વાવાઝોડા સાથે વરસાદ ભુક્કા બોલાવશે

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Embed widget