શોધખોળ કરો

2000 Note : "PM મોદી 2000ની નોટ લાવવાના પક્ષમાં જ નહોતા" : પૂર્વ અધિકારીનો ખુલાસો

આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે.

Nripendra Mishra on RBI to Withdraw 2000 Rupee : ભારતીય રિઝર્વ બેંકે ગઈ કાલે 19મી જુન, શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 2000ની નોટ પરત કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ધીમે ધીમે બે હજારની નોટ ચલણમાંથી બહાર થઈ જશે. આરબીઆઈ દ્વારા તેની તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી આ નોટો બેંકોમાંથી બદલી શકાશે. RBIના આ નિર્ણય પર રાજકારણીઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવે આ બાબતે જાણકારી આપી છે. 

'બે હજારની નોટ બદલાવવાની આશા હતી'

આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે 2016માં નોટબંધીની યોજના બનાવવામાં આવી હતી ત્યારે પીએમ મોદીના મનમાં પહેલાથી જ હતું કે 2000 રૂપિયાની નોટ એક અસ્થાયી સમાધાન છે. એટલે કે આ નોટોના એક્સચેન્જની અપેક્ષા હતી.

"પીએમ મોદીને 2000ની નોટ લાવવી પસંદ નહોતી" 

નૃપેન્દ્ર મિશ્રાએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું હતુંકે, 'આ નોટબંધી નથી, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની છે. નોટબંધી વખતે 2000 રૂપિયાની નોટ લાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જે વડાપ્રધાનને પસંદ નહોતું આવ્યું. જો કે, એક કેપ્ટન તરીકે, તેની ટીમની સલાહ પર, તેણે આ નોટોને મંજૂરી આપી. તેમ છતાં તે ત્યારે ખૂબ જ સ્પષ્ટ હતા અને અમે પણ હતા કે આ ટૂંકા ગાળાની વ્યવસ્થા હશે.

'નોટબંધી મહત્વનો નિર્ણય હતો'

નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, નોટબંધીના સમયે આ એક મહત્વપૂર્ણ નિર્ણય હતો, જે પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીની વિચારસરણી હતી જ કે, 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી રહી છે. આ ખાસ સંજોગોમાં લાવવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થા હતી. તેને ક્યારેય લાંબી પ્રક્રિયા સાથે આગળ લઈ જવાનું ન હતું. આ સાથે તે સમયે પીએમનો અભિપ્રાય પણ હતો કે, આ મોટી નોટ (રૂ. 2000ની નોટ) મુખ્યત્વે ગરીબો માટેના વ્યવહારો માટે વ્યવહારુ નહીં હોય. આ સ્થિતિમાં તેને બદલવાને લઈને તે આશ્વસ્ત હતા જ.

'તબક્કાવાર નિર્ણય લેવાયો'

આ ઉપરાંત તે સમયે તેમણે એવું પણ વિચાર્યું હતું કે, જો 2000ની નોટને લાંબા સમય સુધી યથાવત રાખવામાં આવે તો તેનાથી કાળા નાણાને પ્રોત્સાહન મળશે અને બીજું કે, કરચોરી પણ સરળ બની જશે. તેથી જ તેમનું માનવું હતું કે, તેને જેટલું વહેલું પાછું લઈ શકાય એટલું સારું રહેશે. આ માટે તબક્કાવાર નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. ત્યાર બાદ આગામી તબક્કામાં ધીમે ધીમે તેમના સર્ક્યુલેશનને ઘટાડવાની અને તેની પાછી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હવે શુક્રવારે, આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, આ તમામ નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં પાછી ખેંચી લેવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget