શોધખોળ કરો

2000 Note : "PM મોદી 2000ની નોટ લાવવાના પક્ષમાં જ નહોતા" : પૂર્વ અધિકારીનો ખુલાસો

આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે.

Nripendra Mishra on RBI to Withdraw 2000 Rupee : ભારતીય રિઝર્વ બેંકે ગઈ કાલે 19મી જુન, શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા 2000ની નોટ પરત કરવાની જાહેરાત કરી છે. એટલે કે હવે ધીમે ધીમે બે હજારની નોટ ચલણમાંથી બહાર થઈ જશે. આરબીઆઈ દ્વારા તેની તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી આ નોટો બેંકોમાંથી બદલી શકાશે. RBIના આ નિર્ણય પર રાજકારણીઓ, નીતિ નિર્માતાઓ અને નિષ્ણાતોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ સચિવે આ બાબતે જાણકારી આપી છે. 

'બે હજારની નોટ બદલાવવાની આશા હતી'

આ દરમિયાન પીએમ મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ પણ 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે 2016માં નોટબંધીની યોજના બનાવવામાં આવી હતી ત્યારે પીએમ મોદીના મનમાં પહેલાથી જ હતું કે 2000 રૂપિયાની નોટ એક અસ્થાયી સમાધાન છે. એટલે કે આ નોટોના એક્સચેન્જની અપેક્ષા હતી.

"પીએમ મોદીને 2000ની નોટ લાવવી પસંદ નહોતી" 

નૃપેન્દ્ર મિશ્રાએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું હતુંકે, 'આ નોટબંધી નથી, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની છે. નોટબંધી વખતે 2000 રૂપિયાની નોટ લાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જે વડાપ્રધાનને પસંદ નહોતું આવ્યું. જો કે, એક કેપ્ટન તરીકે, તેની ટીમની સલાહ પર, તેણે આ નોટોને મંજૂરી આપી. તેમ છતાં તે ત્યારે ખૂબ જ સ્પષ્ટ હતા અને અમે પણ હતા કે આ ટૂંકા ગાળાની વ્યવસ્થા હશે.

'નોટબંધી મહત્વનો નિર્ણય હતો'

નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, નોટબંધીના સમયે આ એક મહત્વપૂર્ણ નિર્ણય હતો, જે પીએમ મોદીની આગેવાની હેઠળની કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદીની વિચારસરણી હતી જ કે, 2000 રૂપિયાની નોટ લાવવામાં આવી રહી છે. આ ખાસ સંજોગોમાં લાવવામાં આવેલી કામચલાઉ વ્યવસ્થા હતી. તેને ક્યારેય લાંબી પ્રક્રિયા સાથે આગળ લઈ જવાનું ન હતું. આ સાથે તે સમયે પીએમનો અભિપ્રાય પણ હતો કે, આ મોટી નોટ (રૂ. 2000ની નોટ) મુખ્યત્વે ગરીબો માટેના વ્યવહારો માટે વ્યવહારુ નહીં હોય. આ સ્થિતિમાં તેને બદલવાને લઈને તે આશ્વસ્ત હતા જ.

'તબક્કાવાર નિર્ણય લેવાયો'

આ ઉપરાંત તે સમયે તેમણે એવું પણ વિચાર્યું હતું કે, જો 2000ની નોટને લાંબા સમય સુધી યથાવત રાખવામાં આવે તો તેનાથી કાળા નાણાને પ્રોત્સાહન મળશે અને બીજું કે, કરચોરી પણ સરળ બની જશે. તેથી જ તેમનું માનવું હતું કે, તેને જેટલું વહેલું પાછું લઈ શકાય એટલું સારું રહેશે. આ માટે તબક્કાવાર નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રથમ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. ત્યાર બાદ આગામી તબક્કામાં ધીમે ધીમે તેમના સર્ક્યુલેશનને ઘટાડવાની અને તેની પાછી લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને હવે શુક્રવારે, આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે, આ તમામ નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં પાછી ખેંચી લેવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget