શોધખોળ કરો

Ranikhet Hill Station: બાળકો કરી રહ્યા છે ફરવાની જિદ્દ તો ફરી આવો રાનીખેત, ખૂબ મજા આવશે

ઉત્તરાખંડમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. અને તેમાંથી એક છે રાનીખેત, આ જગ્યા સુંદર હોવા સાથે સાથે પરિવાર સાથે ફરવા માટે ખૂબ જ સારી છે.

Ranikhet Hill Station: બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે નવું સત્ર શરૂ થાય તે પહેલાં રજાઓ શરૂ થઈ ગઈ છે, તેથી જો તેઓ મુસાફરીનો આગ્રહ રાખતા હોય તો વિકેન્ડ ટ્રીપ માટે રાનીખેત બેસ્ટ છે. અહી દેવદારના વૃક્ષો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. રોજની ભાગદોડમાંથી દૂર થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવવા માંગો છો તો આજે જ પરિવાર સાથે રાનીખેત ફરવાનું પ્લાનિંગ કરી લો. અહી તમે પરિવાર સાથે જોરદાર એન્જોય કરી શકો છો

તમે રાનીખેતમાં શું કરી શકો?
જો કે રાનીખેત એક નાનકડી ટેકરી પર આવેલું છે પરંતુ તેમ છતાં અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે. અહીં કેટલીક વસ્તુઓ છે જે તમે રાનીખેતમાં કરી શકો છો.

તમે 700 વર્ષ જૂના ઝુલા દેવી મંદિરની મુલાકાત લઈ શકો છો.

મનકામેશ્વર મંદિરની મુલાકાત લઇ શકો છો. તે પ્રવાસીઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.

તમે હૈદખાન બાલાજી મંદિરની મુલાકાત લઈ શકો છો, જે ઉત્તરાખંડની કુમાઉ પહાડી પર છે. અહીંથી તમે સુંદર નજારો માણી શકો છો.

તમે શીતલખેતમાં અદભૂત નજારો જોઈ શકો છો.

અહીં એક ગોલ્ફ કોર્સ પણ છે જ્યાં તમે એન્ટ્રી ફી ભરીને આનંદ માણી શકો છો.

રાનીખેત કેવી રીતે પહોંચવું ?

ફ્લાઇટ- પંતનગર એરપોર્ટ રાનીખેતનું સૌથી નજીકનું એરપોર્ટ છે અને તે રાનીખેતથી 119 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટથી રાનીખેત પહોંચવા માટે તમે ટેક્સી અથવા કેબ લઈ શકો છો. 

ટ્રેન- રાનીખેતનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે, જે રાનીખેતથી 80 કિમી દૂર છે. હલ્દવાની અને કાઠગોદામ રેલ્વે સ્ટેશનથી રાનીખેત જવા માટે તમે ટેક્સીની મદદ લઈ શકો છો.

રોડ દ્વારા- તમે કાર, બસ અથવા બાઇક દ્વારા અહીં સરળતાથી પહોંચી શકો છો. રાનીખેત દિલ્હી, દેહરાદૂન, હરિદ્વાર અને ચંદીગઢ જેવા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે.

 

Atiq Ahmed : ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહમદ દોષિત જાહેર

Umesh Pal Case: પ્રયાગરાજની વિશેષ એમપી-એમએલએ અદાલતે ઉમેશ પાલ અપહરણ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. 17 વર્ષ જૂના આ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહમદ અને તેના ભાઈ સહિત 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.

પ્રયાગરાજ કોર્ટના નિર્ણયથી અતીક અહેમદને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. અતીકના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેના જીવને ખતરો છે. વકીલે કોર્ટ પાસે રક્ષણ માંગ્યું હતું. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતીકને જેલમાં લાવવામાં આવ્યો છે. આ કોર્ટનો મામલો નથી. તમે હાઈકોર્ટમાં જાવ. રાજ્ય સુરક્ષાનું ધ્યાન રાખશે.

વાસ્તવમાં 25 જાન્યુઆરી, 2005ના રોજ ધુમનગંજ વિસ્તારમાં બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. આનો આરોપ અતીક અને તેના ભાઈ અશરફ અને તેના સાગરિતો પર લગાવવામાં આવ્યો હતો. અને 2006માં ધારાસભ્ય રાજુ પાલના સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2007માં જ્યારે માયાવતી સરકાર આવી ત્યારે ઉમેશ પાલ તરફથી આ મામલામાં ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં 11 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

આ કેસની સુનાવણી 23 માર્ચે પૂર્ણ થઈ ગઈ છે આ કેસમાં 11 આરોપીઓમાંથી એકનું મોત થયું છે જ્યારે 10 સામે આરોપ ઘડવામાં આવ્યા છે. આમાં અતીક અહેમદ, તેનો ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ, તેના સાગરીતો આબિદ પ્રધાન, આશિક ઉર્ફે મલ્લી, જાવેદ ઈસરાર, એજાઝ અખ્તર, દિનેશ પાસી અને અન્ય બેનો સમાવેશ થાય છે.

ઉમેશ પાલની પત્ની અને માતા મીડિયાની સામે રડી પડ્યા હતા. તેણે કહ્યું કે જો અતીકને ફાંસી નહીં આપવામાં આવે તો તે કોઈને પણ છોડશે નહીં. આ સિવાય ઉમેશ પાલની પત્ની જયા પાલે કહ્યું, 'અતિકને ફાંસી આપવી જોઈએ, જેથી અશરફ અને અતીક જેવા ગુંડાઓ ફરી જન્મે નહીં. મારા બાળકો અનાથ થઈ ગયા છે. મારા પતિના હત્યારાઓને ફાંસી થવી જોઈએ, જો તે બચી જશે તો હું બચી શકીશ નહીં. અમને યોગી સરકારમાં પૂરો વિશ્વાસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget