શોધખોળ કરો

Ranikhet Hill Station: બાળકો કરી રહ્યા છે ફરવાની જિદ્દ તો ફરી આવો રાનીખેત, ખૂબ મજા આવશે

ઉત્તરાખંડમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે. અને તેમાંથી એક છે રાનીખેત, આ જગ્યા સુંદર હોવા સાથે સાથે પરિવાર સાથે ફરવા માટે ખૂબ જ સારી છે.

Ranikhet Hill Station: બાળકોની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને હવે નવું સત્ર શરૂ થાય તે પહેલાં રજાઓ શરૂ થઈ ગઈ છે, તેથી જો તેઓ મુસાફરીનો આગ્રહ રાખતા હોય તો વિકેન્ડ ટ્રીપ માટે રાનીખેત બેસ્ટ છે. અહી દેવદારના વૃક્ષો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. રોજની ભાગદોડમાંથી દૂર થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવવા માંગો છો તો આજે જ પરિવાર સાથે રાનીખેત ફરવાનું પ્લાનિંગ કરી લો. અહી તમે પરિવાર સાથે જોરદાર એન્જોય કરી શકો છો

તમે રાનીખેતમાં શું કરી શકો?
જો કે રાનીખેત એક નાનકડી ટેકરી પર આવેલું છે પરંતુ તેમ છતાં અહીં જોવાલાયક ઘણી જગ્યાઓ છે. અહીં કેટલીક વસ્તુઓ છે જે તમે રાનીખેતમાં કરી શકો છો.

તમે 700 વર્ષ જૂના ઝુલા દેવી મંદિરની મુલાકાત લઈ શકો છો.

મનકામેશ્વર મંદિરની મુલાકાત લઇ શકો છો. તે પ્રવાસીઓ વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે.

તમે હૈદખાન બાલાજી મંદિરની મુલાકાત લઈ શકો છો, જે ઉત્તરાખંડની કુમાઉ પહાડી પર છે. અહીંથી તમે સુંદર નજારો માણી શકો છો.

તમે શીતલખેતમાં અદભૂત નજારો જોઈ શકો છો.

અહીં એક ગોલ્ફ કોર્સ પણ છે જ્યાં તમે એન્ટ્રી ફી ભરીને આનંદ માણી શકો છો.

રાનીખેત કેવી રીતે પહોંચવું ?

ફ્લાઇટ- પંતનગર એરપોર્ટ રાનીખેતનું સૌથી નજીકનું એરપોર્ટ છે અને તે રાનીખેતથી 119 કિમીના અંતરે આવેલું છે. એરપોર્ટથી રાનીખેત પહોંચવા માટે તમે ટેક્સી અથવા કેબ લઈ શકો છો. 

ટ્રેન- રાનીખેતનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે, જે રાનીખેતથી 80 કિમી દૂર છે. હલ્દવાની અને કાઠગોદામ રેલ્વે સ્ટેશનથી રાનીખેત જવા માટે તમે ટેક્સીની મદદ લઈ શકો છો.

રોડ દ્વારા- તમે કાર, બસ અથવા બાઇક દ્વારા અહીં સરળતાથી પહોંચી શકો છો. રાનીખેત દિલ્હી, દેહરાદૂન, હરિદ્વાર અને ચંદીગઢ જેવા શહેરો સાથે સારી રીતે જોડાયેલ છે.

 

Atiq Ahmed : ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહમદ દોષિત જાહેર

Umesh Pal Case: પ્રયાગરાજની વિશેષ એમપી-એમએલએ અદાલતે ઉમેશ પાલ અપહરણ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. 17 વર્ષ જૂના આ અપહરણ કેસમાં કોર્ટે માફિયા અતીક અહમદ અને તેના ભાઈ સહિત 10 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.

પ્રયાગરાજ કોર્ટના નિર્ણયથી અતીક અહેમદને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. અતીકના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે તેના જીવને ખતરો છે. વકીલે કોર્ટ પાસે રક્ષણ માંગ્યું હતું. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતીકને જેલમાં લાવવામાં આવ્યો છે. આ કોર્ટનો મામલો નથી. તમે હાઈકોર્ટમાં જાવ. રાજ્ય સુરક્ષાનું ધ્યાન રાખશે.

વાસ્તવમાં 25 જાન્યુઆરી, 2005ના રોજ ધુમનગંજ વિસ્તારમાં બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. આનો આરોપ અતીક અને તેના ભાઈ અશરફ અને તેના સાગરિતો પર લગાવવામાં આવ્યો હતો. અને 2006માં ધારાસભ્ય રાજુ પાલના સાક્ષી ઉમેશ પાલનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2007માં જ્યારે માયાવતી સરકાર આવી ત્યારે ઉમેશ પાલ તરફથી આ મામલામાં ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં 11 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

આ કેસની સુનાવણી 23 માર્ચે પૂર્ણ થઈ ગઈ છે આ કેસમાં 11 આરોપીઓમાંથી એકનું મોત થયું છે જ્યારે 10 સામે આરોપ ઘડવામાં આવ્યા છે. આમાં અતીક અહેમદ, તેનો ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ, તેના સાગરીતો આબિદ પ્રધાન, આશિક ઉર્ફે મલ્લી, જાવેદ ઈસરાર, એજાઝ અખ્તર, દિનેશ પાસી અને અન્ય બેનો સમાવેશ થાય છે.

ઉમેશ પાલની પત્ની અને માતા મીડિયાની સામે રડી પડ્યા હતા. તેણે કહ્યું કે જો અતીકને ફાંસી નહીં આપવામાં આવે તો તે કોઈને પણ છોડશે નહીં. આ સિવાય ઉમેશ પાલની પત્ની જયા પાલે કહ્યું, 'અતિકને ફાંસી આપવી જોઈએ, જેથી અશરફ અને અતીક જેવા ગુંડાઓ ફરી જન્મે નહીં. મારા બાળકો અનાથ થઈ ગયા છે. મારા પતિના હત્યારાઓને ફાંસી થવી જોઈએ, જો તે બચી જશે તો હું બચી શકીશ નહીં. અમને યોગી સરકારમાં પૂરો વિશ્વાસ છે.

ટોપ સ્ટોરી

અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગામમાં પ્રદૂષણનું દૂષણ
Hun To Bolish : હું તો બોલીશ : રડાર પર ખાતર બિયારણના નકલખોર
Hun To Bolish : હું તો બોલીશ : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે સવાલ
Tushar Chaudhary: દારૂબંધી માત્ર પેપર પર છે’: લઠ્ઠાકાંડ બાદ કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી આક્રમક
Bhavnagar Lattha Kand : લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો! SMCએ ગૌતમ સોલંકીના ઘરે કરાવ્યું રિ-કન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
અમરાવતીની સરકારી હોસ્પિટલના NICUમાં ભીષણ આગ, 39 નવજાતમાંથી 3નાં મોત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
Islamic NATO: શું ઈસ્લામિક નાટોમાં જોડાશે ઈરાન? મુનીરના પ્રવાસથી વધી હલચલ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
WTC માં રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, કોહલી-અશ્વિન બધા રહી ગયા પાછળ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો ક્યારે આવશે? જાણો લેટેસ્ટ અપડેટ
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Bangladesh: બાંગ્લાદેશમાં પહેલા હિંદુ પરિવારની હત્યા કરી, બાદમાં ખાવાનું ખાધુ, ડ્રગ્સ પણ લીધું
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Insurance Claim Rejected: ઈન્શ્યોરન્સ કંપનીએ રિજેક્ટ કર્યો છે ક્લેમ? ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઈન ફરિયાદ
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Women's Hockey World Cup: ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાંથી બહાર, ડ્રો સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઈનલમાં પહોંચ્યું
Embed widget