શોધખોળ કરો

AAPના ધારાસભ્યએ રાજીનામું પરત ખેચ્યું, કાલે અચાનક રાજકારણ છોડવાની કરી હતી જાહેરાત 

પંજાબના ખરડથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે.

પંજાબના ખરડથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. પાર્ટીના પંજાબ પ્રમુખ અમન અરોરા આજે તેમને મળ્યા હતા અને ત્યારબાદ તેમણે રાજીનામું પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં, શનિવારે (19 જુલાઈ) તેમણે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે રાજકારણ છોડવાની પણ જાહેરાત કરી હતી.

પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમન અરોરાના જણાવ્યા અનુસાર, પાર્ટીએ તેમનું રાજીનામું નકારી કાઢ્યું હતું જેને ધારાસભ્યએ સ્વીકારી લીધું છે અને તેઓ પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખશે.

અમન અરોરાએ એક પોસ્ટ શેર કરીને કહ્યું કે તેમની મુલાકાત પારિવારિક વાતાવરણમાં થઈ હતી અને તેમણે પાર્ટીના રાજીનામાને નકારવાના નિર્ણયને સ્વીકાર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પાર્ટી અને પ્રદેશની પ્રગતિ માટે કામ કરવાનું ચાલુ રાખશે અને અનમોલ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પરિવારનો ભાગ રહ્યા છે અને રહેશે.

2020 માં પાર્ટીમાં જોડાયા

અનમોલ ગગન માન પંજાબ સરકારમાં પર્યટન મંત્રી રહી ચૂક્યા છે. પંજાબી ગાયિકાથી મંત્રી બનવા સુધીની અનમોલ ગગન માનની સફર ખૂબ જ રસપ્રદ છે. તેઓ 2020 માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે શિરોમણી અકાલી દળના ઉમેદવાર રણજીત સિંહ ગિલને લગભગ 37718 મતોથી હરાવ્યા હતા. તેઓ 2022 ની વિધાનસભા ચૂંટણી જીતનારા સૌથી યુવા નેતાઓમાંના એક છે. અનમોલ ગગન માન પાર્ટીના પ્રચાર ગીતની રચના પણ કરી હતી.

મોડેલિંગ અને ગાયકીમાં નામ બનાવ્યું

અનમોલ ગગન માનનો જન્મ 1990 માં માનસામાં થયો હતો. તેમણે ચંદીગઢમાં અભ્યાસ કર્યો હતો. આ પછી, તેમણે પહેલા મોડેલિંગ અને પછી ગાયનમાં કારકિર્દી બનાવી. ગયા વર્ષે જૂનમાં તેમના લગ્ન એડવોકેટ શાહબાઝ સોહી સાથે થયા હતા.

આમ આદમી પાર્ટીના ખરડથી ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અનમોલ ગગન માને ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા  પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તેમનું દિલ ભારે છે પરંતુ તેમણે રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે. અચાનક એક દિવસમાં જ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે.   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget