શોધખોળ કરો

Pune Rape Case:પૂણે દુષ્કર્મ કેસમાં આરોપી હજુ પણ ફરાર, NCWએ કેસનો માગ્યો રિપોર્ટ,10 અપડેટ્સ

Pune Rape Case: રાષ્ટ્રીય મહિલા આયોગે પુણે દુષ્કર્મ કેસની જાતે જ સંજ્ઞાન લેતા, NCWએ નિર્દેશ આપ્યો છે કે, આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં

Pune Rape Case: મહારાષ્ટ્રના પુણે શહેરમાં રાજ્ય પરિવહનની બસમાં 26 વર્ષીય  યુવતી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. પુણે શહેર પોલીસના ડીસીપી સ્માર્થાના પાટીલે જણાવ્યું હતું કે, ફરાર આરોપીઓને પકડવા માટે 8 ટીમો બનાવવામાં આવી છે. આરોપીની ઓળખ દત્તા ગાડે તરીકે થઈ છે અને તેની સામે ચોરી અને ચેઈન સ્નેચિંગના કેસ નોંધાયેલા છે. સ્વારગેટએ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) ના સૌથી મોટા બસ સ્ટેશનોમાંનું એક છે, જ્યાં આ ગુનો આચરવામાં  આવ્યો હતો.

અત્યાર સુધીના 10 સૌથી મોટા અપડેટ્સ

  1. રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ પૂણેના સ્વારગેટ બસ ડેપોમાં પાર્ક કરેલી બસમાં 26 વર્ષીય યુવતી પર દુષ્કર્મના કેસની સ્વતઃ સંજ્ઞાન લીધી છે. NCWના પ્રમુખ વિજયા રાહટકરે મહારાષ્ટ્ર પોલીસના મહાનિર્દેશકને પત્ર લખીને આ મામલે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. મહિલા આયોગે આ ઘટનાની સખત નિંદા કરી છે. NCW એ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે, આ કેસની તપાસ નિષ્પક્ષ અને સમયમર્યાદામાં થાય,  જેથી કોઈપણ પ્રકારના વિલંબ અથવા બેદરકારીને ટાળી શકાય. આ સાથે, પીડિતને તમામ શક્ય સહાય પૂરી પાડવાના આદેશ આપવામાં આવ્યા છે, જેમાં તબીબી સહાય, માનસિક કાઉન્સેલિંગ અને તેની સુરક્ષા માટે જરૂરી પગલાં સામેલ છે.
  2. રાષ્ટ્રીય મહિલા આયોગે તેના નિવેદનમાં કહ્યું છે કે, તે મહિલાઓના અધિકારોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે અને તે સુનિશ્ચિત કરશે કે આવા ગુનાઓને સજા વિના જવાની કોઈ તક ન મળે. કમિશને કાયદા અમલીકરણ એજન્સીઓને તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી અને જાહેર સ્થળોએ મહિલાઓની સલામતી વધારવા માટે કડક પગલાં લેવાની હાકલ કરી હતી. પત્રના અંતમાં કહેવામાં આવ્યું છે કે, આયોગ આ કેસની પ્રગતિ પર બારીકાઈથી નજર રાખશે અને જરૂરીયાત મુજબ આગળની કાર્યવાહી કરશે. NCWએ ત્રણ દિવસમાં પોલીસ રિપોર્ટ માંગ્યો છે.
  3. પીડિતાના જણાવ્યા અનુસાર, તે મંગળવારે (25 ફેબ્રુઆરી 2025) સવારે લગભગ પોણા છ વાગ્યે સતારા જિલ્લાના ફલટનના સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહી હતી, ત્યારે એક વ્યક્તિ તેની નજીક આવ્યો અને તેની સાથે વાત કરતી વખતે તેણે તેની બહેનને ફોન કર્યો. મહિલાના જણાવ્યા મુજબ, આરોપીએ તેને કહ્યું કે સતારા માટે બસ બીજા સ્ટેન્ડ પર આવી છે.
  4. આરોપ છે કે આ પછી તે તેણીને સ્ટેશન પરિસરમાં ઉભેલી ખાલી શિવશાહી એસી બસમાં લઈ ગયો અને બસની અંદરની લાઈટો ચાલુ ન હોવાને કારણે તે શરૂઆતમાં બસમાં ચઢવા માટે અચકાતી હતી, પરંતુ તે વ્યક્તિએ તેને ખાતરી આપી કે તે યોગ્ય બસ જ છે. મહિલાના જણાવ્યા મુજબ, આરોપીએ તેને કહ્યું કે બસમાં ચઢ્યા પછી તે ટોર્ચ પ્રગટાવીને જોઈ શકે છે, ત્યારબાદ તે તેની પાછળ ગયો અને પછી તેની સાથે દુષ્કર્મની ઘટના બની.
  5. અધિકારીએ કહ્યું કે, પોલીસે સીસીટીવી ફૂટેજ પરથી આરોપી ગાડેની ઓળખ કરી છે અને તેને પકડવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સ્માર્તના પાટીલે કહ્યું કે સીસીટીવી ફૂટેજમાં યુવતી આરોપી સાથે બસ તરફ જતી જોવા મળે છે. તેમણે કહ્યું કે ઘટના સમયે બસ સ્ટેન્ડ પરિસરમાં ઘણા લોકો અને ઘણી બસો હતી. ડીસીપીએ કહ્યું કે,મહિલાએ ઘટના પછી તરત જ પોલીસનો સંપર્ક કર્યો ન હતો, પરંતુ ફલટન જતી બસમાં સવાર થઈ અને મુસાફરી દરમિયાન તેણે તેના મિત્રને ફોન પર ઘટના વિશે જણાવ્યું.
  6. NCP (શરદ પવાર)ના નેતા અને બારામતીના સાંસદ સુપ્રિયા સુલેએ આ ઘટના પર ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "આ વિસ્તારમાં નજીકમાં પોલીસ ચોકી છે અને નિયમિત પેટ્રોલિંગ છે, છતાં સ્વારગેટમાં આવી ઘટના બને છે, જે દર્શાવે છે કે, અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ડર નથી. ગૃહ વિભાગ પુણેમાં ગુનાખોરી રોકવામાં નિષ્ફળ રહ્યું છે. આ કેસની સુનાવણી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં થવી જોઈએ અને આરોપીઓને કડક સજા થવી જોઈએ."
  7. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાલે દાવો કર્યો હતો કે, રાજ્યમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે. તેમણે કહ્યું કે, MSRTC બસ મહારાષ્ટ્રની લાઈફલાઈન છે અને હવે MSRTC બસની અંદર બળાત્કારની ઘટના બની છે. દિલ્હીમાં જ્યારે નિર્ભયા ગેંગરેપની ઘટના બની ત્યારે લોકોએ સરકાર બદલી હતી. ભાજપની આગેવાની હેઠળની સરકાર મહિલાઓ માટે લાડલી બહેન યોજનાને પ્રોત્સાહન આપે છે, પરંતુ લોકોના મૂળભૂત મુદ્દાઓને અવગણે છે."
  8. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે બસ સ્ટેન્ડ પર તૈનાત તમામ 23 ખાનગી સુરક્ષા રક્ષકોને બદલવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે એમએસઆરટીસીના મેનેજિંગ ડિરેક્ટર વિવેક ભીમનવરને પણ તપાસ હાથ ધરવા અને સાત દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો છે.
  9. શિવસેના (UBT) ના કાર્યકરોએ સ્વારગેટ બસ સ્ટેન્ડ પર વિરોધ કર્યો અને સુરક્ષા કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી. શિવસેના (UBT)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું, "કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પાસે ગૃહ મંત્રાલય પણ છે. અમે મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે તેઓ દોષિતોને પકડીને શક્ય તેટલી સખત સજા આપે. આવો સંદેશ આપવો જોઈએ કે, કોઈએ કોઈની માતા અને બહેન તરફ જોવાની હિંમત ન કરવી જોઈએ."
  10. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર એક મહિલા પર બળાત્કારની ઘટનાને અત્યંત દુઃખદ, પીડાદાયક અને શરમજનક ગણાવી હતી. તેમણે આ ઘટનાને સંસ્કારી સમાજ માટે અસહ્ય ગણાવી હતી. તેમણે કહ્યું કે આરોપીઓને મૃત્યુદંડ મળવો જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget