શોધખોળ કરો

Manipur Violence: સર્વપક્ષીય બેઠક બાદ અમિત શાહે PM મોદી સાથે કરી મુલાકાત, મણિપુર હિંસા પર આપી જાણકારી

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ બેઠક સર્વપક્ષીય બેઠક બાદ થઈ હતી

મણિપુરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી હિંસા પર વિપક્ષ મોદી સરકાર પર સતત હુમલો કરી રહ્યો છે. આ બધા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી, જેમાં મણિપુરમાં હિંસા અંગે માહિતી આપવામાં આવી હતી. હવે આ બેઠક બાદ ગૃહમંત્રી શાહ વડાપ્રધાન મોદીને મળ્યા હતા. એક રિપોર્ટ અનુસાર,  આ બેઠક દરમિયાન ગૃહમંત્રીએ પીએમ મોદીને મણિપુર હિંસા અને વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપી હતી.

અમિત શાહે સર્વપક્ષીય બેઠક બોલાવી

પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ બેઠક સર્વપક્ષીય બેઠક બાદ થઈ હતી, જેમાં તમામ પક્ષોએ મણિપુર હિંસા અંગે સરકારને સવાલો પૂછ્યા હતા, જે દરમિયાન અમિત શાહે બધાને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર કામગીરી થઈ રહી છે. આ બેઠકમાં 18 રાજકીય પક્ષોએ ભાગ લીધો હતો.

સીએમ બિરેન સિંહ સાથે મુલાકાત

આ સિવાય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં મણિપુરના મુખ્યમંત્રી એન.બિરેન સિંહ સાથે પણ મુલાકાત કરી હતી.  લાંબા સમય સુધી ચાલેલી આ બેઠકમાં મણિપુરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. આ બેઠક પછી તરત જ મુખ્યમંત્રી બિરેન સિંહે ટ્વિટર પર જણાવ્યું હતું કે ગૃહમંત્રી શાહની દેખરેખ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસો પછી હિંસાને નિયંત્રણ કરી લેવામાં આવી છે. સીએમ સિંહે દાવો કર્યો કે 13 જૂનથી રાજ્યમાં હિંસાને કારણે કોઈનું મોત થયું નથી.

વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યા છે

લગભગ બે મહિનાથી ચાલી રહેલી આ હિંસાને લઈને વિપક્ષ છેલ્લા ઘણા દિવસોથી મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. વિપક્ષે પીએમ મોદીની અમેરિકા અને ઈજિપ્તની મુલાકાતનો પણ વિરોધ કરતા કહ્યું કે દેશનો એક હિસ્સો સળગી રહ્યો છે અને પીએમ મોદી વિદેશ પ્રવાસે નીકળ્યા છે. વિપક્ષના તીક્ષ્ણ સવાલો વચ્ચે સરકાર એક્ટિવ મોડમાં દેખાઈ અને અંતે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી, જ્યારે હવે પીએમ મોદીને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. મણિપુરમાં ચાલી રહેલી હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો વિસ્થાપિત થયા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ
બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ
Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું
Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tirupati Controversy | Jagan Mohan Reddy | પ્રસાદમાં પાપ અંગે જગનમોહન રેડ્ડીએ કર્યા સરકાર પર પ્રહારGujarat Rain Forecast | ગુજરાતના આ 10 જિલ્લાઓમાં આજે તૂટી પડશે વરસાદ | Rain Updates| 21-9-2024Rajkot BJP Controversy | ભાજપના ગ્રુપમાં અશ્લિલ વીડિયો વાયરલ | BJP politics | Abp AsmitaAhmedabad Accident | સાઉથ બોપલમાં વીજપોલ સાથે અથડાયા બાદ પલટી કાર, કારચાલક ફરાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
બેંગલુરુમાં જધન્ય હત્યાકાંડ, મહિલાના 32 ટુકડા કરી ફ્રિજમાં મુકી દીધા અને પછી....
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
'BJP મારા નિવેદન પર જુઠ્ઠાણું ફેલાવી રહી છે', શીખો પર ટિપ્પણી વિવાદમાં FIR થઈ તો રાહુલ ગાંધીએ તોડ્યું મૌન
બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ
બોટાદના ઢસામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાંનો વીડિયો વાયરલ, ફરિયાદ નોંધાઈ
Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું
Delhi CM Oath Ceremony: આતિશીએ દિલ્હીના સીએમ પદના શપથ લીધા, આ ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું
Gujarat Rain: સાત દિવસ  મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Diwali Sale 2024: Xiaomiએ બમ્પર સેલની જાહેરાત કરી, મળશે સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર!
Diwali Sale 2024: Xiaomiએ બમ્પર સેલની જાહેરાત કરી, મળશે સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર!
દારૂ પીતા પહેલા બે ટીપાં કેમ જમીન પર પાડે છે લોકો? કારણ છે રસપ્રદ
દારૂ પીતા પહેલા બે ટીપાં કેમ જમીન પર પાડે છે લોકો? કારણ છે રસપ્રદ
Amar Preet Singh: કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?
Amar Preet Singh: કોણ છે એર માર્શલ અમરપ્રીત સિંહ, જે બનશે આગામી એરફોર્સ ચીફ?
Embed widget