Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા આતિશી મુખ્યમંત્રીનું પદ સંભાળશે.
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા આતિશી મુખ્યમંત્રીનું પદ સંભાળશે. સીએમ કેજરીવાલના રાજીનામા બાદ ગોપાલ રાયે કહ્યું કે સીએમ કેજરીવાલે પોતાનું રાજીનામું લેફ્ટનન્ટ ગવર્નરને સોંપી દીધું છે. અમે લેફ્ટનન્ટ ગવર્નરને પાર્ટીના નિર્ણય વિશે જણાવી દીધું છે કે આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. એલજી પાસેથી માંગણી કરી કે વહેલી તકે શપથ યોજવામાં આવે.
AAP National convenor Arvind Kejriwal resigns as the Chief Minister of Delhi; tenders his resignation to Delhi LG Vinai Kumar Saxena.
— ANI (@ANI) September 17, 2024
Atishi to take over as next CM of Delhi. pic.twitter.com/hH6mpfegP6
અરવિંદ કેજરીવાલના રાજીનામા પછી આતિશીએ સરકાર બનાવવાનો દાવો કર્યો અને લેફ્ટનન્ટ ગવર્નરને ધારાસભ્યોના સમર્થનનો પત્ર સુપરત કર્યો. આ દરમિયાન સમગ્ર કેબિનેટ લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયમાં હાજર હતું.
મુખ્યમંત્રીના રાજીનામાની સાથે સમગ્ર મંત્રીમંડળે પણ રાજીનામું આપી દીધું હતું. આ પછી લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા આપવામાં આવેલા સમયે નવી સરકારને શપથ ગ્રહણ કરવામાં આવશે. ત્યારબાદ નવા મુખ્યમંત્રી નવા મંત્રીમંડળની પસંદગી કરશે.
દિલ્હીના નવા સીએમ આતિશીએ કહ્યું કે કેન્દ્ર સરકારની તપાસ એજન્સી દ્વારા અરવિંદ કેજરીવાલ પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. તમામ કેન્દ્રીય એજન્સીઓને તેમની પાછળ છોડી દેવામાં આવી હતી. છ મહિના જેલમાં રાખ્યા. સર્વોચ્ચ અદાલતે નિર્દોષ જાહેર કર્યા. કેન્દ્ર સરકારની એજન્સી પર તીખી ટિપ્પણી કરી. કેન્દ્ર સરકારની એજન્સીને પાંજરામાં બંધ પોપટ કહ્યા. અરવિંદ કેજરીવાલે જે નિર્ણય લીધો તે વિશ્વના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈએ લીધો હશે. તેમણે કહ્યું કે મને દિલ્હીની જનતાનો નિર્ણય જોઈએ છે. તેઓ દિલ્હીની જનતાની અદાલતમાં જશે. આ અંતર્ગત તેમણે રાજીનામું આપી દીધું છે. દિલ્હીના લોકો માટે આ દુઃખની ક્ષણ છે. તેમના રાજીનામાથી સમગ્ર દિલ્હીના લોકો દુખી છે. દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલને ફરીથી સીએમ બનાવવા માટે તૈયાર છે.
અગાઉ, આમ આદમી પાર્ટી (AAP)ની રાજકીય બાબતોની સમિતિ (PAC)ના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું. સોમવારે (16 સપ્ટેમ્બર) PACની બેઠક યોજાઈ હતી.
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય