શોધખોળ કરો

BJP Suspends Nupur Sharma: નૂપુર શર્માને ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા

બીજેપી પ્રવક્તા નૂપુર શર્માને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાર્ટીએ તેમની સામે આ કાર્યવાહી કરી છે.

Action Against Nupur Sharma: બીજેપી પ્રવક્તા નૂપુર શર્માને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાર્ટીએ તેમની સામે આ કાર્યવાહી કરી છે. નવીન કુમાર જિંદાલને પણ પાર્ટીના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવીન કુમાર જિંદાલ દિલ્હી બીજેપીના મીડિયા હેડ છે. નુપુર શર્માને છ વર્ષ માટે પ્રાથમિક સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અગાઉ, ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ વિશેની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા હોબાળાને ડામવાના પ્રયાસોના ભાગરૂપે કહ્યું હતું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સહન નથી કરતા.  નુપુર શર્માના નિવેદનને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે બીજેપીના મહાસચિવ અરુણ સિંહે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમની પાર્ટી કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા કોઈપણ વિચારને સ્વીકારતી નથી.

તેમણે કહ્યું, 'ભાજપ ન તો આવા કોઈ વિચારમાં વિશ્વાસ કરે છે અને ન તો તેને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે શર્માના નિવેદનને લઈને મુસ્લિમ સમાજમાં ગુસ્સો છે. સિંહે કહ્યું, 'ભારતની હજારો વર્ષની યાત્રામાં દરેક ધર્મનો વિકાસ થયો છે. ભાજપ સર્વ પંથ સમભાવમાં માને છે. ભાજપ કોઈપણ ધર્મના ઉપાસકોનું અપમાન સ્વીકારતું નથી.

તેમણે કહ્યું કે દેશનું બંધારણ પણ ભારતના દરેક નાગરિક પાસે તમામ ધર્મોનું સન્માન કરે તેવી અપેક્ષા રાખે છે. સિંહે કહ્યું, 'આઝાદીના 75માં વર્ષમાં, આ અમૃત સમયગાળામાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સતત મજબૂત કરતી વખતે, આપણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે.

નુપુર શર્માની આ ટિપ્પણી બાદ મોટો વિવાદ થયો હતો જે બાદ ભાજપે નૂપુર શર્મા અને નવીન કુમારને પાર્ટીમાંથી સસ્પેંડ કર્યા છે. સુન્ની બરેલવી સંગઠન રઝા એકેડમીએ પણ મહારાષ્ટ્રમાં નૂપુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નુપુર શર્મા વર્ષ 2015માં પહેલીવાર લાઇમલાઇટમાં આવ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેને AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા હતા.  નૂપુર દિલ્લી ભાજપની કાર્યકારી સમિતિની સભ્ય પણ હતા.  નૂપુર શર્મા દિલ્લી યુનિવર્સિટી સ્ટુડંટ્સ યુનિયનની પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2008માં ABVP તરફથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર નૂપુર એકમાત્ર ઉમેદવાર હતી. વર્ષ 2010માં વિદ્યાર્થી રાજનીતિ છોડ્યા બાદ નૂપુર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય બની હતી. તેમને મોરચામાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલા નૂપુર વ્યવસાયે વકીલ પણ છે. આ સિવાય તેણે બર્લિનથી પણ અભ્યાસ કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
યુદ્ધ વચ્ચે ફ્લાઇટ્સ ઉડાન પર બ્રેક, એર ઇન્ડિયાએ 3 અઠવાડિયામાં 2,500 ફ્લાઇટ્સ કરી રદ, જાણો લેટેસ્ટ સ્ટેટસ
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત
India LPG Crisis: યુદ્ધ વચ્ચે રાહત, હજારો ટન LPG લઈને પિક્સિસ પાયોનિયર જહાજ પહોંચ્યું ભારત

વિડિઓઝ

PM Modi calls high-level meeting : યુદ્ધ વચ્ચે PM મોદીએ બોલાવી હાઈ લેવલ બેઠક
Patan Demolition : કુખ્યાત ભાવેશ રબારીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત, કાળા સામ્રાજ્ય પર ફરી વળ્યું બુલડોઝર
Parshottam Rupala : પરસોત્તમ રૂપાલાએ કડવા પાટીદાર સમાજને શું કરી ટકોર?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Surat Fake Guru Case : બદમાશ બાબાના આલીશાન આશ્રમને લઈ વધુ એક મોટો ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
24 વર્ષ અને એક પણ રજા નહીં! અમિત શાહે પીએમ મોદીના રેકોર્ડબ્રેક કાર્યકાળની કરી પ્રશંસા
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
પાકિસ્તાન બાદ હવે આ પાડોશી દેશમાં તેલ સંકટ: પેટ્રોલ-ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા, એક લિટર ₹455 ને પાર
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ખેડામાં પાટીદાર દીકરીના પ્રેમલગ્ન કેસમાં મોટો ભડાકો: '25 લાખ આપો નહીંતર દીકરીના અંશ પણ નહીં મળે', પરિવારને હત્યાની આશંકા
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ₹1.92 લાખ સસ્તી! સોનાના ભાવમાં પણ ₹48,271 નો મોટો કડાકો, જાણો આજના લેટેસ્ટ ભાવ
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
આંધ્ર પ્રદેશમાં ભેળસેળવાળા દૂધનો કહેર: ઝેરી દૂધ પીવાથી 16 લોકોનાં મોત, હાહાકાર મચી ગયો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
એમેઝોન પર વેચાતા આ વજન ઘટાડવાના સપ્લિમેન્ટ્સ છે ઝેરી! FDA ની મોટી ચેતવણી, જો તમે ખાતા હોય તો તરત બંધ કરી દેજો
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
સોનામાં ₹13,690 નો કડાકો! ચાંદી પણ ₹30,000 સસ્તી થઈ, જાણો 22 માર્ચના લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
Embed widget