શોધખોળ કરો

Chardham Yatra 2022: બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, એક દિવસમાં 15 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

કેદારનાથમાં દરરોજ 12 હજાર અને બદ્રીનાથમાં દરરોજ 15 હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશે. એટલુ જ નહીં દર્શન માટે પર્યટન વિભાગની વેબસાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત કરાયું છે.

આજે બાબા બદ્રીનાથ ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે રવિવારે સવારે છ વાગ્યાને 15 મિનિટ પર શ્રદ્ધાળુઓ માટે બાબા બદ્રીનાથના કપાટ ખોલી દેવામાં આવ્યા છે.  કપાટ ખુલતા પહેલા બદ્રીનાથ મંદિરને ફુલો અને લાઈટોથી સજાવવામાં આવ્યુ હતુ.. બદ્રીનાથના કપાટ ખુલતા સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. બદ્રીનાથ ધામના ખોલવા માટે આદિ શંકરાચાર્યની ગાદી અને ભગવાન વિષ્ણુના વાહન ગરુડજીની મૂર્તિ તેલ કળશ યાત્રા સાથે જોશીમઠના નૃસિંહ મંદિરથી પોતાના માર્ગ યોગ ધ્યાન બદ્રી મંદિર પાંડુકેશ્વર પહોંચાડી દેવામાં આવી હતી. બદ્રીનાથના કપાટ ખુલતાની સાથે જ હવે શ્રદ્ધાળુઓ ચારેય ધામ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના દર્શન કરી શકશે.

Chardham Yatra 2022: બદ્રીનાથ ધામના કપાટ ખુલ્યા, એક દિવસમાં 15 હજાર શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

રાજ્ય સરકારે પણ ચારેય ધામ માટે દૈનિક શ્રદ્ધાળુઓની સંખ્યા પણ નક્કી કરી છે. કેદારનાથમાં દરરોજ 12 હજાર અને બદ્રીનાથમાં દરરોજ 15 હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશે. એટલુ જ નહીં દર્શન માટે પર્યટન વિભાગની વેબસાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરવાનું ફરજીયાત કરાયું છે.

આ ધામ દર વર્ષે છ મહિના (એપ્રિલના અંત અને નવેમ્બરની શરૂઆત વચ્ચે) માટે ખુલ્લું રહે છે. ચારધામ યાત્રા 3 મેના રોજ અક્ષય તૃતીયાના શુભ અવસર પર ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે શરૂ થઈ હતી. રવિવારે સવારે બદ્રીનાથ ધામમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તો સાથે ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર અને આર્મી બેન્ડની ધૂન સાથે બદ્રીનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા. બીજી તરફ ચારધામ યાત્રા દરમિયાન આ વર્ષે દર્શન માટે ભક્તોની સંખ્યા નક્કી કરવામાં આવી છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે બદ્રીનાથ ધામમાં માત્ર 15 હજાર, કેદારનાથમાં 12 હજાર, ગંગોત્રીમાં 7 હજાર અને યમુનોત્રીમાં 4 હજાર શ્રદ્ધાળુઓને જ દૈનિક દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે.

આ પહેલા બાબા કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. 6 મેના રોજ બાબા કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા છે જ્યારે 3 મેના રોજ ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખોલવામાં આવ્યા છે. ચાર ધામ યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Cute Kid Viral Video: માતાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો 3 વર્ષનો માસૂમ, પછી જે થયું...
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Embed widget