શોધખોળ કરો

Punjab Crises: કોગ્રેસ હાઇકમાન્ડનો પંજાબ CMને ઇશારો, મુખ્યમંત્રી પદ છોડવા કહ્યુ- સૂત્ર

સૂત્રોના મતે નારાજ ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ અથવા સુનીલ જાખડનું નામ આગામી ધારાસભ્ય દળ નેતાના રૂપમાં આગળ કરી શકે છે

ચંડીગઢઃ પંજાબ કોગ્રેસમાં ફરી ઘમાસાણ શરૂ થઇ ગયું છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહ વિરુદ્ધ 40 ધારાસભ્યોએ મોરચો ખોલ્યા બાદ પાર્ટીએ શનિવારે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે પાંચ વાગ્યે યોજાશે. જ્યારે કેપ્ટન અમરિંદર સિંહ પોતાના સમર્થક ધારાસભ્યો સાથે બપોરે બે વાગ્યે બેઠક યોજવા જઇ રહ્યા છે. સૂત્રોના મતે કોગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રી અમરિંદર સિંહને મુખ્યમંત્રીનું પદ છોડવાનું કહ્યું છે. સૂત્રોએ કહ્યું કે આજે કોગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવવા પર મુખ્યમંત્રી અમરિંદર નારાજ છે. કેપ્ટનથી નારાજ 40 ધારાસભ્યોએ હાઇકમાન્ડને પત્ર લખીને બેઠક બોલાવવાની માંગ કરી હતી.

સૂત્રોના મતે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહએ સોનિયા ગાંધીને ફોન કરીને AICC દ્ધારા તેઓને વિશ્વાસમાં લીધા વિના કોગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવવા પર વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે, જો આવી જ રીતે તેઓને નજરઅંદાજ કરવામાં આવશે તો તેઓને મુખ્યમંત્રી પદ પર રહેવામાં કોઇ ઇચ્છા નથી. સિંદ્ધુના સમર્થક ધારાસભ્યો કેપ્ટન અમરિંદર સિંહ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચા છે. સૂત્રોના મતે નારાજ ધારાસભ્યો નવજોતસિંહ સિદ્ધુ અથવા સુનીલ જાખડનું નામ આગામી ધારાસભ્ય દળ નેતાના રૂપમાં આગળ કરી શકે છે.  પંજાબ કોગ્રેસના પ્રભારી હરીશ રાવત ધારાસભ્યોની બેઠકમાં સામેલ રહી શકે છે.

માનવામાં આવી રહ્યું છે કે આજે કોગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવશે કે અમરિંદર ચૂંટણી સુધી પંજાબના મુખ્યમંત્રી રહેશે કે નહીં. આ અગાઉ હરિશ રાવતે કહ્યું હતું કે આગામી ચૂંટણી કેપ્ટન અમરિંદર સિંહની આગેવાનીમાં જ લડવામાં આવશે. કોગ્રેસ ધારાસભ્ય દળની બેઠક અગાઉ પ્રદેશ કોગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ ચંડીગઢમાં કોગ્રેસ ભવન પહોંચ્યા છે.

કોગ્રેસ ધારાસભ્યોની બેઠક પર પંજાબ કોગ્રેસ મહાસચિવ પરગત સિંહે કહ્યું કે, પાર્ટીમાં કોઇ કલહ નથી. આજે પાર્ટીની પોલિસી પર ચર્ચા માટે બેઠક બોલાવી છે. જ્યારે ધારાસભ્ય રાજ કુમાર વેરકાએ કહ્યું કે, બેઠકમાં હાઇકમાન્ડે લીધેલો નિર્ણય તમામને માન્ય રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
કયા દેશનો પાસપોર્ટ દુનિયામાં નંબર-1, ભારત અને પાકિસ્તાન કયા સ્થાને ? સામે આવી 2026 ની પાસપોર્ટ રેન્કિંગ, જુઓ લિસ્ટ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
દિલ્હીમાં ચાર માળની એક ઇમારતમાં ભીષણ આગ, 9 લોકો જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા

વિડિઓઝ

Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'
Ambalal Patel Prediction: ગરમીના પ્રકોપ વચ્ચે રાજ્યમાં માવઠાની અંબાલાલ પટેલે કરી આગાહી
Kesar Mango : તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેરીની મબલખ આવક, 14 દિવસમાં 1 લાખ બોક્સની આવક
Bhavnagar Murder News: મિલકતની લાલચમાં માતા-પિતાની હત્યા, આરોપી પુત્ર અને વહુની ધરપકડ
Ahmedabad Murder Case: અમદાવાદમાં ગુંડાઓને પોલીસને પડકાર, જીવરાજબ્રિજ નજીક યુવકની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
મુંબઈ સટ્ટા બજારમાં ખળભળાટ: બંગાળમાં મમતા દીદીની ખુરશી જોખમમાં? જાણો કોની બનશે સરકાર
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
₹2.70 લાખ કરોડના માલિકે ખરીદી IPL ટીમ! રાજસ્થાન રોયલ્સના નવા માલિક વિશે જાણી ચોંકી જશો
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: અગનવર્ષાની વચ્ચે કમોસમી વરસાદની ચેતવણી, અંબાલાલ પટેલે કરી આગાહી
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
West Bengal Election 2026: બંગાળની ફાલટા સીટ પર ફેર મતદાન, આ બેઠકના પરિણામની બદલાય તારીખ
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
Surat News: સુરત ઈંટરનેશનલ એરપોર્ટ પર હવે બેંગકોકની ફ્લાઈટ પણ બંધ, જાણો કેટલી કાર્યરત
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
Embed widget