![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવા Influenza Strain પર આપી જાણકારી, કહ્યું- 'ફ્લૂ શૉટ નવા સ્ટ્રેન પર પણ કારગર'
દર વર્ષ Influenzaના કારણે લગભગ 65,000 લોકો આખી દુનિયામાં ગ્રસિત થાય છે. 36% આ બીમારીથી પ્રભાવિત થનારા લોકો મધ્યમ ઉંમરની કેટેગરી અને નીચી ઉંમરની કેટેગરીના હોય છે.
![વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવા Influenza Strain પર આપી જાણકારી, કહ્યું- 'ફ્લૂ શૉટ નવા સ્ટ્રેન પર પણ કારગર' CoronaVirus: who, big statement on influenza vaccine and recently strains વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નવા Influenza Strain પર આપી જાણકારી, કહ્યું- 'ફ્લૂ શૉટ નવા સ્ટ્રેન પર પણ કારગર'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/29/1a2fddca1b4551b10b54f58a52d2fdf3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Influenza Vaccines: ઋતુ પ્રમાણે Influenza સંક્રમણ વાયરલ બીમારી છે. જે ખાસ કરીને વરસાદની ઋતુમાં થવી એકદમ કૉમન છે. મોટાભાગના લોકો આ વાયરસથી થનારી બીમારીને મામૂલી શરદી-તાવ (Common Cold) સમજી લે છે. ઉલ્લેખનીય છે કે બન્ને બીમીરાઓમાં ઘણીબધી સમાનતાઓ છે, જેમ કે ખાંસી-ઉધરસ, ગળામાં ખરાશ, નાક નીતરવુ વગેરે તેના મુખ્ય કારણો છે. પરંતુ જે વ્યક્તિ ફ્લૂથી ગ્રસિત હોય છે તેને તાવ, શરીરમાં દુઃખાવો, થાક, માથાનો દુઃખાવો, ઉલ્ટી જેવા લક્ષણો પણ દેખાય છે. આ લક્ષણો મામૂલી શરીદ તાવમાં પણ દેખાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) અનુસાર, દર વર્ષ Influenzaના કારણે લગભગ 65,000 લોકો આખી દુનિયામાં ગ્રસિત થાય છે. આંકડા અનુસાર 36% આ બીમારીથી પ્રભાવિત થનારા લોકો મધ્યમ ઉંમરની કેટેગરી અને નીચી ઉંમરની કેટેગરીના હોય છે. જેમાં ભારત પણ સામેલ છે. ભારતમાં બાળકોમાં આ બિમારી મોટી સંખ્યામાં જોવા મળે છે, પરંતુ આનો કોઇ અધિકારીક આંકડો ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, આ બીમારી વરસાદ અને શરદીની ઋતુમાં ઝડપથી ફેલાય છે. જેના કારણે ભારતમાં દર વર્ષ કેટલાય લોકો આની ઝપેટમાં આવી જાય છે.
Flu Shot છે મદદગાર-
આ બીમારીથી બચવા માટે Influenza વેક્સીન આપવામાં આવે છે. સામાન્ય ભાષામાં 'ફ્લૂ શૉટ' કહેવામા આવે છે. આ ફ્લૂ વાયરસ પોતાના strainને દરે એક બે વર્ષે બદલતો રહે છે પરંતુ આ 'ફ્લૂ શૉટ' ફ્લૂથી બચાવવામાં વધુ મદદરૂપ પણ થાય છે. આ શરીરમાં જરૂરી ઇમ્યૂનિટીને આપવામાં મદદ કરે છે. એક્સપર્ટ્સ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર, વેક્સીન લેવાથી આ બીમારીથી મદહઅંશે સુરક્ષા મળે છે અને આ બદલા stains પર પણ કારગર થાય છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં Influenza વેક્સીન પ્રેગનન્ટ મહિલાઓ, પાંચ વર્ષતી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી ઉપરની વ્યક્તિને લગાવવામાં આવે છે. આ બીમારીથી બચવા બહુજ કારગર થાય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)