શોધખોળ કરો

Punjab Exit Poll 2022: પંજાબ વિધાનસભા ચૂંટણીનો ABP C-voterનો એક્ઝિટ પોલ જાહેર, જાણો કોણ બનાવી રહ્યુ છે સરકાર

પંજાબ વિધાનસભાની કુલ 117 સીટો પર મતદાન 20 ફેબ્રુઆરીએ પુર્ણ થયું હતું. આ વખતે ભાજપ, કોંગ્રેસ, શિરોમણી અકાલી દલ, આમ આદમી પાર્ટી, પંજાબ લોક કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર જામી હતી.

પંજાબ વિધાનસભાની કુલ 117 સીટો પર મતદાન 20 ફેબ્રુઆરીએ પુર્ણ થયું હતું. આ વખતે ભાજપ, કોંગ્રેસ, શિરોમણી અકાલી દલ, આમ આદમી પાર્ટી, પંજાબ લોક કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓ વચ્ચે સીધી ટક્કર જામી હતી. આ ચૂંટણીનું પરીણામ આગામી 10 માર્ચના રોજ જાહેર થવાનું છે. આ ચૂંટણી પરીણામ આવે તે પહેલાં ABP C-Voterએ મતદારોના પ્રતિભાવો જાણ્યા હતા અને સર્વે કર્યો હતો. જેનો એક્ઝીટ પોલ અને ઓપિનીયન પોલ આજે જાહેર થયો છે જેમાં અનુમાન લગાવામાં આવ્યુ છે કે, પંજાબમાં કોણ સરકાર બનાવી રહ્યું છે.

કોની બનશે સરકારઃ

પંજાબમાં 117 સીટો પર થયેલા ABP C-Voterના સર્વેમાં આમ આદમી પાર્ટી બધાને પછાડીને આગળ નીકળતી દેખાઈ રહી છે. કુલ વોટીંગ શેરનાં આંકડા જોઈએ તો કોંગ્રેસ ઓપિનીયન પોલમાં 30 ટકા અને એક્ઝીટ પોલમાં 26.7 ટકા વોટ મેળવ્યા છે. જ્યારે ભાજપ અને તેની સાથી પાર્ટીઓ ઓપિનીયન પોલમાં ફક્ત 8 ટકા અને એક્ઝીટ પોલમાં 9.6 ટકા વોટ મેળવ્યા છે. આમ આદમી પાર્ટી એક્ઝીટ પોલમાં 39.1 અને ઓપિનીયન પોલમાં 39.8 ટકા વોટ શેર મેળ્યા છે. જ્યારે શિરોમણી અકાલી દળ અને તેની સાથી પાર્ટીઓ ઓપિનીયન પોલમાં 20.2 ટકા અને એક્ઝીટ પોલમાં 20.7 ટકા વોટ મેળવ્યા છે. અને અન્યને ઓપિનીયન પોલમાં 2 ટકા વોટ શેર અને એક્ઝીટ પોલમાં 3.8 ટકા વોટ શેર મેળવ્યા છે.

Con - 26.7% વોટ શેર
SAD+ - 20.7% વોટ શેર
AAP - 39.1% વોટ શેર
BJP+ - 9.6% વોટ શેર
Others - 3.8% વોટ શેર

કોને કેટલી સીટોઃ

2022ના ચૂંટણી પરીણામ સીટ પ્રમાણે કેટલા હશે તેના વિશે ABP C-Voterના સર્વેમાં મળેલી માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટી પંજાબમાં સરકાર બનાવી શકે છે. આમ આદમી પાર્ટી ઓપિનીયન પોલમાં 55થી 63 સીટો અને એક્ઝીટ પોલમાં 51થી 61 સીટો મેળવશે. જ્યારે હાલ સત્તામાં રહેલી કોંગ્રેસ પાર્ટીને ઓપિનીયન પોલમાં 24 થી 30 સીટો અને એક્ઝીટ પોલમાં 22 થી 28 સીટો મળશે. ભાજપ અને તેની સાથી પાર્ટીને ઓપિનીયન પોલમાં 3 થી 11 સીટો અને એક્ઝીટ પોલમાં 7 થી 13 સીટો મળતી દેખાય છે. શિરોમણી અકાલી દળ અને તેની સાથી પાર્ટીઓ ઓપિનીયન પોલમાં 20 થી 26 સીટો અને એક્ઝીટ પોલમાં પણ 20 થી 26 સીટો મેળવશે. અન્ય પક્ષ (અપક્ષ)ને ઓપિનીયન પોલમાં 0 થી 2 સીટ અને એક્ઝીટ પોલમાં 1 થી 5 સીટો મળી શકે છે. 

Con - 22 થી 28 સીટો
SAD+ - 20 થી 26 સીટો
AAP - 51 થી 61 સીટો
BJP+ - 7 થી 13 સીટો
Others - 1 થી 5 સીટો

વર્ષ 2017માં આવેલા પરીણામ પર નજર કરીએ તો, કોંગ્રેસ પાર્ટીએ 38.5 ટકાના વોટ શેર સાથે 77 સીટો પર જીત મેળવીને સરકાર બનાવી હતી. જ્યારે શિરોમણી અકાલી દળ 25.2 ટકાનો વોટ શેર મેળવીને 15 સીટો પર સમેટાઈ ગઈ હતી. 2022માં જીતી રહેલી આમ આદમી પાર્ટી 2017ની વિધાનસભા ચૂંટણીમાં 20 સીટો પર જીતી હતી અને 23.7 ટકા વોટ શેર મેળવ્યો હતો. જ્યારે ભાજપે 5.4 ટકા વોટ શેર સાથે 3 સીટો પર જીત મેળવી હતી અને અન્યએ 7.2 ટકા વોટ શેર સાથે 2 સીટો જીતી હતી. 

વિસ્તાર પ્રમાણે સીટોઃ

પંજાબના ત્રણ વિસ્તારો દોઆબા, માંઝા અને માલવા વિસ્તારમાં આવેલી વિધાનસભા સીટોના વિસ્તાર પ્રમાણેના આંકડા જોઈએ તો, દોઆબામાં 23 સીટો, માંઝામાં 25 સીટો અને માલવામાં 69 વિધાનસભા સીટો આવેલી છે. આ ત્રણેય વિસ્તારમાં થયેલ સર્વે પ્રમાણે

આમ આદમી પાર્ટીને માલવા વિસ્તારમાં 43 સીટો, માંઝા વિસ્તારમાં 6 સીટો અને દોઆબા વિસ્તારમાં 7 સીટો મળશે. આમ આદમી પાર્ટી કુલ 56 સીટો પર જીત મેળવી શકે છે. 

અન્ય પાર્ટીઓની વાત કરીએ તો શિરોમણી અકાલી દલ અને તેની સાથી પાર્ટીઓ માલવામાં 10, માંઝામાં 8 અને દોઆબામાં 5 સીટો એમ કુલ 23 સીટો જીતી શકે છે. 

કોંગ્રેસ માલવામાં 11, માંઝામાં 7 અને દોઆબામાં 7 સીટો જીતી શકે છે અને કુલ 25 સીટો જીતી શકે છે.

ભાજપ અને તેની સાથી પાર્ટીઓ માલવામાં 3, માંઝામાં 4 અને દોઆબામાં 3 સીટો જીતી શકે છે. આમ કુલ 10 સીટો જીતી શકે છે. 

અન્ય પક્ષો અને અપક્ષ માલવામાં 2, માંઝામાં 0 અને દોઆબામાં 1 સીટ જીતીને કુલ 3 સીટો પર જીત મેળવી શકે છે. 

ABP C-voter નો એક્ઝિટ પોલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
શેર બજારમાં કોહરામ, રોકાણકારોના ₹12,00,000 સ્વાહા, આ શેરે પહોંચાડ્યું સૌથી વધુ નુકસાન
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
Gold silver: સોના-ચાંદીના ભાવમાં મોટો ફેરબદલ, ખરીદી કરતા પહેલા જાણી લો લેટેસ્ટ કિંમત 
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Gujarat Weather: રાજ્યના 8 શહેરોમાં નોંધાયું 39 ડિગ્રીથી વધુ તાપમાન, 3 દિવસ હીટવેવની આગાહી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Haryana Rajya Sabha Election 2026: BJP એ ડેપ્યૂટી CM હર્ષ સંઘવીને સોંપી મોટી જવાબદારી
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Stock Market: મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 2400 પોઈન્ટ તૂટ્યો
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Embed widget