શોધખોળ કરો

હેલિકોપ્ટર ક્રેશમાં બચેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ છે શૌર્ય ચક્ર વિજેતા, સિંહના કાકા છે કોંગ્રેસના ટોચના નેતા

આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી ગયા છે.  ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને ગંભીર ઈજાઓ સાથે વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવી દિલ્લીઃ તમિલનાડુમાં કુનૂર નજીક દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતને લઈને જતું હેલિકોપ્ટર ક્રેશ થતાં જનરલ રાવત ઉપરાંત તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં નિધન થઈ ગયાં છે. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જ બચી ગયા છે.  ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને ગંભીર ઈજાઓ સાથે વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં આખો દેશ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ બચી જાય એ માટે પ્રાર્થના કરી રહ્યો છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ  કોંગ્રેસના ટોચના નેતા અને પ્રવક્તા અખિલેશ પ્રતાપ સિંહના ભત્રીજા છે.

ભારતીય વાયુસેનાએ આપેલી માહિતી પ્રમાણે, સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા અને મોત સામે જંગ ખેલી રહેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ વેલિંગ્ટનસ્થિત ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજમાં ડાયરેક્ટિંગ સ્ટાફ છે.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ શૌર્ય ચક્રથી સન્માનિત વીર છે. 2020માં એક હવાઈ ઈમર્જન્સી દરમિયાન એલસીએ તેજસ ફાઈટર પ્લેનને વરુણ સિંહને બચાવ્યું હતું. આ પરાક્રમ માટે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને  શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે સ્વતંત્રતા દિવસના રોજ કેપ્ટન વરુણ સિંહને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વરુણ સિંહ ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના રુદ્રપુર તાલુકાના ખોરમા કન્હૌલી ગામના રહેવાસી છે. જો કે વેલિંગ્ટનમાં પોસ્ટિંગ હોવાના કારણે તેમનો આખો પરિવાર તામિલનાડુમાં રહે છે.

ઈન્ડિયન એરફોર્સના જણાવ્યા મુજબ, સીડીએસ રાવત બુધવારે સ્ટાફ કોર્સ ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સને સંબોધિત કરવા માટે વેલિંગ્ટન સ્થિત મિલિટરી સ્ટાફ કોલેજની મુલાકાતે જઈ રહ્યા હતા. આ દરમિયાન બપોરે વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર તામિલનાડુના કુનૂર નજીક તૂટી પડતાં જનરલ રાવત અને તેમનાં પત્નિ સહિત 13 લોકોનાં નિધન થયાં હતાં.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દુર્ઘટનામાં બચી ગયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ માટે પ્રાર્થના કરતાં કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં પોતાનાં પ્રિયજનોને ગુમાવનારા પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ જલદીથી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરું છું. તેમની હાલ આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

CDS જનરલ બિપિન રાવતનું પાર્થિવ શરીર પાલમ એરપોર્ટ પર પહોંચી ગયું છે. તેમની સાથે 12 અન્ય લોકોના મૃતદેહ પણ પાલમ એરપોર્ટ પર પહોંચ્યા છે, જેઓ આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. જણાવી દઈએ કે હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 13 લોકોના મોત થયા હતા. આ હેલિકોપ્ટરમાં એક અધિકારીનો  જીવ બચી ગયો છે, તેમની સારવાર બેંગ્લોરની હોસ્પિટલમાં ચાલી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget