શોધખોળ કરો

Murshidabad Violence: મુર્શિદાબાદમાં જોવા મળ્યા તબાહીના દ્રશ્યો, સેંકડો લોકોએ કર્યું પલાયન

Murshidabad Violence:રવિવારે મુર્શિદાબાદની શેરીઓ સૂમસામ રહી, દુકાનો બંધ રહી અને લોકો પોતાના ઘરોમાં જ રહ્યા હતા

Murshidabad Violence: પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ (સુધારા) કાયદાના વિરોધ દરમિયાન હિંસા અને વિનાશના દ્રશ્યો રવિવારે (13 એપ્રિલ,2025) રસ્તાઓ પર પણ જોવા મળ્યા હતા. સળગાવેલા વાહનો, લૂંટાયેલા શોપિંગ મોલ અને તોડફોડ કરાયેલી ફાર્મસીઓ ઘટનાસ્થળે હતી.

જાણો મોટી વાતો

રવિવારે મુર્શિદાબાદની શેરીઓ સૂમસામ રહી, દુકાનો બંધ રહી અને લોકો પોતાના ઘરોમાં જ રહ્યા હતા. પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર દળો ધૂલિયા, શમશેરગંજ અને સુતી વિસ્તારોના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે, જ્યાં છેલ્લા બે દિવસથી હિંસા ચાલુ છે.

જ્યારે મીડિયા ટીમ ધુલિયાન ગઈ ત્યારે કેટલાક સ્થાનિકોએ તેમને ક્ષતિગ્રસ્ત ઇમારતની અંદર બોમ્બના ટુકડા અને ફર્નિચરની રાખ બતાવી, જેને તોફાનીઓએ આંગણામાં એકઠી કરી આગ લગાવી દીધી હતી.

સુતી, શમશેરગંજ અને ધુલિયાનમાં પણ વિનાશના સમાન દ્રશ્યો જોવા મળ્યા હતા અને ભારે સશસ્ત્ર કેન્દ્રીય દળો, પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ (RAF) ના કર્મચારીઓ સાથે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને આસપાસના રસ્તાઓ પર કૂચ કરી રહ્યા હતા, જે યુદ્ધ ક્ષેત્ર જેવું લાગતું હતું. સુરક્ષા કર્મચારીઓ સ્થાનિક લોકોને તેમના ઘરો અને મિલકતોની સામે એકઠા થયેલા પથ્થરો, કોંક્રિટના ટુકડા અને ઇંટો દૂર કરવા કહેતા જોવા મળ્યા હતા.

 પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોઝે જણાવ્યું હતું કે તેઓ હિંસાગ્રસ્ત મુર્શિદાબાદ જિલ્લા અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે નિયમિત ચર્ચા કરી રહ્યા છે જ્યારે કેન્દ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. એક વીડિયો સંદેશમાં બોસે કહ્યું કે પૂરતી સંખ્યામાં કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે અને તેની સાથે રાજ્ય પોલીસ પણ સહયોગ માટે એક્ટિવ છે.

ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ કોલકાતામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઝારખંડની કોબ્રા બટાલિયનની સાત કંપનીઓ મુર્શિદાબાદમાં તૈનાત કરવામાં આવી છે, આ ખૂબ જ સારા સમાચાર છે. જ્યાં પણ જેહાદીઓ ભેગા થઈ રહ્યા છે, તેમને માર મારવો જોઈએ. તેઓ રાષ્ટ્રવિરોધી શક્તિઓ છે, આ લોકો લૂંટારા છે, તેમને પાઠ ભણાવવો જોઈએ.

સીપીઆઈ (એમ) નેતા હન્નાન મોલ્લાહે કહ્યું કે રાજ્યમાં થઈ રહેલી હિંસાને રોકવાની જવાબદારી મમતા બેનર્જી સરકારની છે. તેમણે કહ્યું કે, મમતા સરકારમાં કાયદો અને વ્યવસ્થાના નામે કંઈ બચ્યું નથી. રક્તપાત થઈ રહ્યો છે અને સ્ત્રીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, પોલીસ લોકો પર લાઠીચાર્જ કરી રહી છે.

સાંપ્રદાયિક હિંસાથી પ્રભાવિત સેંકડો લોકોએ ભાગીરથી નદી પાર કરીને માલદામાં આશરો લીધો છે. સ્થાનિક વહીવટીતંત્રે રમખાણોથી પ્રભાવિત પરિવારો માટે આશ્રય અને ભોજનની વ્યવસ્થા કરી છે. તેમને શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે. ઉપરાંત, મુર્શિદાબાદથી બોટ દ્વારા આવતા લોકોને મદદ કરવા માટે નદી કિનારે સ્વયંસેવકો તૈનાત કરવામાં આવ્યા છે.

મુર્શિદાબાદથી તેના પરિવારના અન્ય ચાર સભ્યો સાથે ભાગી ગયેલી એક યુવતીએ કહ્યું, "અમે ધુલિયાનના મંદિરપાડા વિસ્તારમાંથી ભાગી ગયા હતા કારણ કે અમારા ઘરોમાં આગ લાગી હતી. બહારના લોકોના જૂથ અને કેટલાક સ્થાનિક લોકો દ્વારા મહિલાઓ અને છોકરીઓનું શોષણ કરવામાં આવ્યું હતું."

મહિલાએ દાવો કર્યો હતો કે "તેઓએ બોમ્બ ફેંક્યા, વકફ (સુધારા) કાયદા માટે અમને દોષિત ઠેરવ્યા અને અમને તાત્કાલિક ઘર છોડી દેવા કહ્યું હતું. તેઓએ અમારા ઘરના માણસોને માર માર્યો હતો. અમને અમારા જીવનો ડર હતો અને કેન્દ્રીય દળોની મદદથી અમારા ઘરો છોડીને ભાગી ગયા."

દેવનાપુર-સોવાપુર ગ્રામ પંચાયતના વડા સુલેખા ચૌધરીએ જણાવ્યું હતું કે શરૂઆતમાં થોડા લોકો (હિંસાગ્રસ્ત મુર્શિદાબાદથી) હોડીઓમાં આવી રહ્યા હતા, પરંતુ શુક્રવાર બપોરથી સંખ્યામાં વધારો થયો છે. તેમણે કહ્યું, "શનિવાર રાત સુધીમાં આવેલા લોકોની સંખ્યા 500ને વટાવી ગઈ, જેમાંથી મોટાભાગની મહિલાઓ હતી." ચૌધરીએ જણાવ્યું કે આ લોકોને વિસ્તારની શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે અને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
Tata Sierra: માત્ર ₹2 લાખ ભરીને ઘરે લાવો દમદાર SUV ટાટા સીએરા, જાણો કેટલી આવશે EMI ?
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Embed widget