શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 7 ઘાયલ
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હરી સિંહ હાઈટ સ્ટ્રીટ નજીક આતંકીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
![જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 7 ઘાયલ Jammu kashmir grenade attack in srinagar harisingh height street જમ્મુ કાશ્મીર: શ્રીનગરમાં આતંકીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, 7 ઘાયલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/12163138/graned-attack.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે હરી સિંહ હાઈટ સ્ટ્રીટ નજીક આતંકીઓએ ગ્રેનેડ દ્વારા હુમલો કર્યો છે. આ હુમલામાં 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ગ્રેનેડ હુમલો ત્યારે થયો, જ્યારે ઘાટીમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સખ્ત છે અને દરેક જગ્યાએ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ઘાયલોને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ દ્વારા હાલ આ વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ગ્રેનેડ એટેક એ સમયે થયો છે જ્યારે ખીણ વિસ્તારમાં સખત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક જગ્યાએ જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારથી જ ખીણ વિસ્તારોમાં પર્યટકોને ફરવા માટે છૂટ આપવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ્દ થયા પછી પણ પથ્થરમારો અટકવાનું નામ નથી લેતો. 5 ઓગસ્ટથી લઈને અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં 300થી વધારે પથ્થરમારાની ઘટના સામે આવી ચૂકી છે. જોકે સેના અને સરકાર તરફથી ખીણમાં સતત સ્થિતિ સામાન્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.#UPDATE Jammu & Kashmir Police: 5 civilians were injured, all are stated to be stable now. Area under cordon. Search in the area is in progress. https://t.co/wPjjUn3Myc pic.twitter.com/drjRnbwVbJ
— ANI (@ANI) October 12, 2019
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)