શોધખોળ કરો

લોકસભા સ્પીકરને લઈ સસ્પેન્સ ખતમ, 26 જૂને થશે ચૂંટણી 

તમામની નજર લોકસભા અધ્યક્ષની ચૂંટણી પર ટકેલી છે. જેને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ચૂંટણી 26 જૂને યોજાશે.

lok Sabha Speaker: લોકસભા ચૂંટણી 2024ની સમાપ્તિ બાદ નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. રવિવારે (09 જૂન) શપથ લીધા પછી, સોમવારે (10 જૂન) તમામ મંત્રીઓના મંત્રાલયોની વહેંચણી પણ કરવામાં આવી હતી અને સરકારે તેનું કામ શરૂ કરી દીધું છે. હવે તમામની નજર લોકસભા અધ્યક્ષની ચૂંટણી પર ટકેલી છે. જેને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ચૂંટણી 26 જૂને યોજાશે.

રાષ્ટ્રપતિ 27મીએ સંસદના બંને ગૃહોને સંબોધશે. એ જ દિવસે સવારે 11 વાગ્યે રાષ્ટ્રપતિનું સંબોધન થશે. એટલે કે આ પહેલા તમામ નવા ચૂંટાયેલા લોકસભા સાંસદોને શપથ લેવડાવવાની સાથે નવા સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે. 24 અને 25 જૂને પ્રોટેમ સ્પીકર નવા સાંસદોને શપથ લેવડાવશે.

લોકસભા અધ્યક્ષ પદ કોણ સંભાળશે ?

ભારતીય જનતા પાર્ટી (BJP) લોકસભા અધ્યક્ષ પદ પોતાની પાસે રાખવા જઈ રહી છે. મતલબ કે 18મી લોકસભામાં પણ ભાજપના સાંસદને લોકસભાના સ્પીકર તરીકે પસંદ કરવામાં આવશે. મીડિયા અહેવાલોને નકારી કાઢતા ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે લોકસભા અધ્યક્ષ પદ માટે કોઈ સહયોગી તરફથી કોઈ માંગ આવી નથી. બીજેપી ટૂંક સમયમાં પાર્ટી સ્તરે તેના પર વિચાર કરશે અને પાર્ટી નામ નક્કી કરશે તે પછી એનડીએના સાથી પક્ષો સાથે પણ ચર્ચા કરીને તે નામ પર સર્વસંમતિ બનાવવામાં આવશે.

વાસ્તવમાં મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં મધ્યપ્રદેશના ઈન્દોરથી ભાજપના લોકસભા સાંસદ સુમિત્રા મહાજન સ્પીકર તરીકે ચૂંટાયા હતા અને બીજી ટર્મમાં રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા હતા, પરંતુ આ ત્રીજી મુદતમાં ભાજપ પાસે 2014 અને 2019ની જેમ લોકસભામાં બહુમતી નથી, તેથી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે TDP લોકસભાના અધ્યક્ષ પદની માંગ કરી રહી છે. અહેવાલો એવા પણ હતા કે JDUને લોકસભા સ્પીકર પદ આપવામાં આવી શકે, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ અહેવાલોને માત્ર અટકળો ગણાવીને ફગાવી દીધા હતા.

સંસદનું સત્ર 24 જૂનથી શરૂ થશે

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ લોકસભાના નવા અધ્યક્ષના નામ પર ચર્ચા થશે. ભાજપ સૌપ્રથમ પાર્ટી સ્તરે લોકસભાના ભાવિ અધ્યક્ષનું નામ નક્કી કરશે, ત્યાર બાદ સાથી પક્ષો સાથે નામ પર ચર્ચા કરવામાં આવશે. જો સાથી પક્ષ તરફથી કોઈ સૂચન કે માંગ આવશે તો ભાજપ નવા ફોર્મ્યુલા પર વિચાર કરશે.

24 જૂનથી શરૂ થઈ રહેલા 18મી લોકસભાના પ્રથમ સત્ર દરમિયાન ભાજપ પોતાના પક્ષના કોઈપણ સાંસદના નામ અંગે વિપક્ષી દળોનો પણ સંપર્ક કરશે, જેથી લોકસભાના નવા અધ્યક્ષની પસંદગી સર્વસંમતિથી થઈ શકે. જો વિપક્ષી પાર્ટીઓ સરકારના પ્રસ્તાવને સ્વીકારી લે તો ચૂંટણીની જરૂર નહીં રહે, પરંતુ જો વિપક્ષ પણ પોતાના પક્ષમાંથી કોઈ ઉમેદવારને મેદાનમાં ઉતારે તો નવા સ્પીકરની પસંદગી માટે 26 જૂને લોકસભામાં મતદાન થઈ શકે છે.

બંને કિસ્સાઓમાં, લોકસભાના નવા અધ્યક્ષ 26 જૂને કાર્યભાર સંભાળશે. નોંધનીય છે કે કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સંસદ સત્રની તારીખોની જાહેરાત કરતી વખતે બુધવારે જ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે 18મી લોકસભા નવા ચૂંટાયેલા સભ્યોના શપથ/સમર્થન, સ્પીકરની ચૂંટણી,  રાષ્ટ્રપતિનું સંબોધન અને તેના પર ચર્ચા 24 જૂનથી 3 જુલાઈ સુધી બોલાવવામાં આવી રહી છે. રાજ્યસભાનું 264મું સત્ર 27 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ સમાપ્ત થશે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ
14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
PM મોદીએ SPG કાફલામાં ઘટાડો કરવાના આપ્યા નિર્દેશ, સરકારી વિભાગોના ખર્ચમાં પણ મુકાશે કાપ
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
કેન્દ્રીય મંત્રી પાટીલનો મોટો નિર્ણય, પાયોલોટિંગ કારને કાફલામાંથી કરી દૂર
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
સોનું-ચાંદી ખરીદવું થશે મોંઘુ! સરકારે ઈમ્પોર્ટ ડ્યુટીમાં કર્યો 10 ટકાનો વધારો
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Gujarat IAS Transfer: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, એક સાથે 72 IAS અધિકારીઓની બદલી
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
Prateek Yadav Death: અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું નિધન, લખનઉની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
GT vs SRH: ગુજરાત સામે હૈદરાબાદની કારમી હાર, શાનદાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટૉપ પર પહોંચી GT
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
પીએમ મોદીની અપીલની મોટી અસર: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનો અમેરિકા પ્રવાસ રદ કર્યો
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
NEET UG 2026 cancelled: નાસિકથી 10 લાખમાં ખરીદ્યું, હરિયાણામાં 15 લાખમાં વેચ્યું, NEET પેપર લીક કેસના આરોપીની ધરપકડ
Embed widget