શોધખોળ કરો

‘જો ભારતમાં હિન્દુ બહુમતી ન હોત તો...’ આ મુસ્લિમ નેતાએ પણ મોહન ભાગવતના નિવેદનનું સમર્નથ કર્યું

Mukhtar Abbas Naqvi: મુખ્તાર અબ્બાસ નકવીએ RSS વડાના નિવેદનનો બચાવ કરતા કહ્યું હતું કે, ભારતની ઓળખ તેની વિવિધતામાં એકતા છે.

Mukhtar Abbas Naqvi: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતના 'હિન્દુ રાષ્ટ્ર' વાળા નિવેદન પર રાજકીય ગરમાવો આવ્યો છે. હવે ભાજપના (BJP) વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ ભાગવતનું ખુલ્લું સમર્થન કર્યું છે. તેમણે દાવો કર્યો કે જો ભારતમાં હિન્દુઓની બહુમતી ન હોત, તો ધર્મનિરપેક્ષતા (Secularism) ની કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. આ સાથે જ તેમણે રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને બાંગ્લાદેશના મુદ્દે પણ આકરા પ્રહારો કર્યા છે.

હિન્દુ બહુમતી અને ભારતની સનાતન સંસ્કૃતિ

મુખ્તાર અબ્બાસ નકવીએ RSS વડાના નિવેદનનો બચાવ કરતા કહ્યું હતું કે, ભારતની ઓળખ તેની વિવિધતામાં એકતા છે. દેશની સનાતન સંસ્કૃતિના (Sanatan Culture) કારણે જ આજે ભારત વિશ્વમાં ધર્મનિરપેક્ષતાનું ઉદાહરણ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "આ દેશમાં હિન્દુ બહુમતી (Hindu Majority) છે, તેના કારણે જ સેક્યુલરિઝમ સુરક્ષિત છે. જો આવું ન હોત, તો સેક્યુલરિઝમની કલ્પના પણ થઈ શકી ન હોત." તેમણે ઉમેર્યું કે આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ તે જ ભારતની સાચી તાકાત છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર કટાક્ષ

કેન્દ્રીય ગૃહમંત્રી (Home Minister) અમિત શાહના નિવેદનનો ઉલ્લેખ કરતા નકવીએ કહ્યું કે રાહુલ ગાંધી પાસે રાજકીય રીતે ગુમાવવા માટે હજુ ઘણું બાકી છે. તેમણે કટાક્ષ કર્યો કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ (Congress) ના નેતાઓ જેટલો વધુ હોબાળો કરે છે, પ્રજા તેમને એટલો જ જાકારો આપે છે. કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે કે જ્યારે પણ તે સત્તાથી બહાર જાય છે ત્યારે તે તૂટી જાય છે અને વિખેરાઈ જાય છે.

મમતા બેનર્જીની 'ટેમ્પલ પોલિટિક્સ'

પશ્ચિમ બંગાળના (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે દીદી પોતાની જ જાળમાં ફસાઈ ગયા છે. પહેલા તેમણે મુસ્લિમ વોટબેંક માટે બાબરી મસ્જિદનો રાગ આલાપ્યો, પણ જ્યારે બાબરના નામથી ફાયદો ન થયો ત્યારે હવે મંદિરો બનાવવાની વાત કરી રહ્યા છે. નકવીએ કહ્યું કે મમતા બેનર્જીની આ રાજકીય ચાલાકી તેમને જ ભારે પડશે.

બાંગ્લાદેશ અને 'જલ્લાદ-જેહાદી' તત્વો

પડોશી દેશ બાંગ્લાદેશની (Bangladesh) વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા ભાજપ નેતાએ કહ્યું કે, હાલમાં બાંગ્લાદેશ "જલ્લાદ અને જેહાદી" (Jihadi) તત્વો દ્વારા હાઈજેક થઈ ચૂક્યું છે. ત્યાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે કોઈ પણ રાષ્ટ્ર માટે યોગ્ય નથી. તેમણે ખાતરી આપી કે ભારત સરકાર આ મામલે અત્યંત સંવેદનશીલ છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. દિગ્વિજય સિંહ અને અન્ય નેતાઓ દ્વારા RSS પર કરાતી ટીકાઓનો જવાબ આપતા તેમણે કોંગ્રેસની સરખામણી કોસી નદી સાથે કરી જે માત્ર સંઘને શાપ આપવાનું કામ કરે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
'નીતીશ કુમારે CM સમ્રાટને લગાવી ફટકાર, બિહારમાં પડવા જઈ રહી છે સરકાર', તેજ પ્રતાપનો મોટો દાવો
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
અયોધ્યા રામ મંદિર દાન ચોરીને લઈને કોંગ્રેસે કેમ કર્યા અટલ બિહારી વાજપેયીને યાદ?
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 
Bankipur Bypoll: BJP ઉમેદવાર અભિષેક કુમાર સિન્હાએ પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું, જણાવ્યું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
IMD Rain Alert: દેશના 16 રાજ્યોમાં ભારે વરસાદનો ખતરો, 16 જુલાઈ સુધી કેવું રહેશે હવામાન, જાણો 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Bankipur Bypoll: બાંકીપુર પેટાચૂંટણીમાં BJP એ હવે નીરજ કુમાર સિન્હાને બનાવ્યા ઉમેદવાર 
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
Gold Silver Rates Today: ચાંદી એક જ દિવસમાં 5000 રુપિયા મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો કિંમત
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
રાજકોટ TRP અગ્નિકાંડ: મનપાની ઐતિહાસિક કાર્યવાહી, ફાયર ઓફિસર સહિત 6 ભ્રષ્ટ અધિકારીઓ ડિસમિસ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Embed widget