શોધખોળ કરો

Odisha Train Accident: ભૂત... વિચિત્ર અવાજો... ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ જે સ્કૂલમાં મૃતદેહો રાખવામાં આવ્યા હતા તેને તોડી પાડવાની માંગ

Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ મૃતદેહોના ઢગ જોવા મળ્યા હતા. શબઘરો પણ ઓછા પણ પડ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને શાળાઓ અને અન્ય ઈમારતોમાં રાખવામાં આવ્યા હતા.

Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના બાદ ચોતરફ મૃતદેહોના ઢગ જા મ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં 275થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માત એટલો મોટો હતો કે બાલાસોરમાં મૃતદેહો રાખવા માટે શબઘર ઓછા પડ્યા હતા, જેના કારણે મૃતદેહોને અલગ-અલગ જગ્યાએ રાખવાની ફરજ પડી હતી. 65 વર્ષ જૂની સ્કૂલમાં કફનમાં લપેટાયેલા મૃતદેહો રાખવામાં આવ્યા હતા. દુર્ઘટનાના થોડા દિવસો સુધી આ મૃતદેહોને શાળાના મકાનમાં રાખવામાં આવ્યા હતા. હવે સમાચાર સામે આવ્યા છે કે આ શાળાના કેટલાક વિદ્યાર્થીઓએ સરકારને નવી ઇમારત બનાવવાની અપીલ કરી છે અને ત્યાં સુધી તેઓ શાળામાં આવવા તૈયાર નથી. શાળામાં મૃતદેહ રાખવામાં આવતા આ વિદ્યાર્થીઓ ભયમાં છે.

ધાર્મિક વિધિનું આયોજન

ઓડિશાની બહાનાગા હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ તેમના વર્ગોમાં પાછા ફરતા ડરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (એસએમસી) એ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે તે ખૂબ જ જૂની હોવાથી તેને તોડી પાડવામાં આવે. "વિદ્યાર્થીઓ ભયભીત છે,બહાનાગા હાઈસ્કૂલના આચાર્ય પ્રમિલા સ્વૈને કહ્યું કે તેમણે શાળાએ "ધાર્મિક કાર્યક્રમ યોજવાની અને કેટલીક ધાર્મિક વિધિઓ કરવાની યોજના બનાવી છે."

તેમણે વધુમાં કહ્યું કે શાળાના કેટલાક વરિષ્ઠ વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. બાલાસોર જિલ્લા મેજિસ્ટ્રેટ દત્તાત્રય ભાઈસાહેબ શિંદે જેમણે શાળા અને સામૂહિક શિક્ષણ વિભાગની સૂચનાઓ પર ગુરુવાર, 8 જૂને શાળાની મુલાકાત લીધી હતી, તેમણે જણાવ્યું હતું કે, “હું શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, આચાર્ય, અન્ય સ્ટાફ અને સ્થાનિક લોકોને મળ્યો છું. તેઓ જૂની ઈમારતને તોડીને તેનું નવીનીકરણ કરવા ઈચ્છે છે જેથી બાળકોને ક્લાસમાં જવામાં કોઈ ડર કે આશંકા ન રહે.

મૃતદેહને રાખ્યા બાદ વિદ્યાર્થીઓમાં ડર

એસએમસીના એક સભ્યએ જિલ્લા મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે ટેલિવિઝન ચેનલો પર શાળાની ઇમારતમાં પડેલા મૃતદેહોને જોયા પછી, "બાળકોમાં ડર છે અને 16 જૂને જ્યારે શાળા ફરીથી ખુલશે ત્યારે આવવા માટે ડર અનુભવે છે" શાળા પરિસરમાં સેનિટાઇઝ કરવામાં આવ્યું છે, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ડરી રહ્યા છે. એક વિદ્યાર્થીએ કહ્યું, “અમારી શાળાની બિલ્ડીંગમાં આટલા બધા મૃતદેહો રાખવામાં આવ્યા હતા તે ભૂલી જવું મુશ્કેલ છે.” એસએમસીએ શરૂઆતમાં માત્ર ત્રણ વર્ગખંડમાં જ મૃતદેહો રાખવાની મંજૂરી આપી હતી. બાદમાં જિલ્લા પ્રશાસને મૃતદેહોને ઓળખ માટે રાખવા માટે શાળાના હોલનો ઉપયોગ કર્યો હતો.

સરકારને દરખાસ્ત કરવામાં આવી

કેટલાક વાલીઓ તેમના બાળકોને બહનગા વિદ્યાલયમાં મોકલવાને બદલે શાળા બદલવાનું પણ વિચારી રહ્યા છે. આ દરમિયાન બાલાસોર જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) બિષ્ણુ ચરણ સુતારે વિદ્યાર્થીઓ અને વાલીઓને કોઈપણ નકારાત્મક વિચારોને પ્રોત્સાહન ન આપવા માટે પ્રોત્સાહિત કરવા બુધવારે SMC અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે કહ્યું, "અમે ખાતરી કરીશું કે આના કારણે કોઈ વિદ્યાર્થી શાળા છોડે નહીં." ડીઇઓએ કહ્યું કે શાળા અને સ્થાનિક લોકોએ ટ્રેન અકસ્માત દરમિયાન બચાવ અને રાહત કામગીરીમાં ઘણું યોગદાન આપ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે તેમણે એસએમસીને બિલ્ડિંગને તોડી પાડવા સંબંધિત તેમની માંગ વિશે એક ઠરાવ પસાર કરવા અને તેને સરકારને સોંપવાની માંગ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણનું પાપી 'પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ'?Hun To Bolish : હું તો બોલીશ : ધર્મના નામે વિવાદો કેમ?Bharuch News: ભરૂચના અંકલેશ્વરમાં કેમિકલ માફિયાઓની કરતૂત, બાકરોલ ગામ પાસેની કેનાલમાં કેમિકલ ઠાલવી ફરારSthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
Mahakumbh: ક્યારે મહાકુંભ જશે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ? અજય રાયે કરી દીધો મોટો ખુલાસો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
‘મોબાઇલ પણ પાપનો ભાગીદાર છે’: મહાકુંભ સંગમમાં યુવકે ફોનને ‘મોક્ષ’ આપવા ડૂબકી લગાવી, video વાયરલ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.