શોધખોળ કરો

આજે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે વિપક્ષ, 'INDIA' એ બોલાવી મહત્વની બેઠક

વિપક્ષી નેતાઓનું માનવું છે કે અવિશ્વાસની પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા કરવા દબાણ કરશે.

મણિપુરને લઈને સંસદમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે નવા રચાયેલા વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ના સભ્યો મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું માનવું છે કે અવિશ્વાસની પ્રસ્તાવ સરકારને મણિપુર પર લાંબી ચર્ચા કરવા દબાણ કરશે.

 

આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે સહમતિ સધાઈ ગઈ છે અને ઓછામાં ઓછા 50 સભ્યોના હસ્તાક્ષર એકત્ર કરવા માટે સહી ઝુંબેશ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ માહિતી આપી હતી કે વિરોધ પક્ષો આજે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.

'લોકોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે'

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે અમે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યા છીએ. કારણ કે સરકાર પરથી લોકોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. અમે ઈચ્છતા હતા કે વડાપ્રધાન મોદી મણિપુર પર નિવેદન આપે પરંતુ પીએમ સાંભળતા નથી. તેઓ ગૃહની બહાર કંઈક બોલે છે અને અહીં બોલવાનો ઇનકાર કરે છે. અમે તેમનું ધ્યાન ખેંચવાનો વારંવાર પ્રયાસ કર્યો પરંતુ બધા નિષ્ફળ ગયા. તેથી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું અમને યોગ્ય લાગે છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ દર વખતે જીતવા માટે લાવવામાં આવતો નથી. દેશને ખબર હોવી જોઈએ કે કેવી રીતે સરમુખત્યારશાહી સરકાર ચલાવવામાં આવી રહી છે અને વિપક્ષનો અનાદર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે જીત-હારની વાત નથી. આ સ્થિતિમાં પણ અવિશ્વાસની દરખાસ્ત કેમ લાવવી પડી તે સવાલ છે.

અવિશ્વાસ પ્રસ્તાવના મુસદ્દામાં વ્યસ્ત કોંગ્રેસે તેના લોકસભા સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે. આ વ્હીપમાં કહેવામાં આવ્યું હતું કે, 'કોંગ્રેસ સંસદીય સમિતિના તમામ કોંગ્રેસના લોકસભા સાંસદોને બુધવારે સવારે 10.30 વાગ્યા સુધીમાં સંસદ ભવન સ્થિત CPP કાર્યાલયમાં હાજર રહેવા વિનંતી છે.' સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ મનીષ તિવારીને સોંપવામાં આવી છે.

નોંધનીય છે કે વિપક્ષ મણિપુરની સ્થિતિ પર વડાપ્રધાનના નિવેદન અને ત્યારબાદ સંસદના બંન્ને ગૃહોમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. પરંતુ આજે સંસદના ચોમાસુ સત્રને ચાર દિવસ વીતી ગયા છે પરંતુ મણિપુરના મુદ્દે કોઈ સાર્થક ચર્ચા થઈ નથી. સરકારે પણ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે. સરકારનું કહેવું છે કે વિપક્ષ હોબાળો મચાવી રહ્યો છે અને ગૃહમાં કામ કરવા દેતું નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?

વિડિઓઝ

Surat wall collapse: સુરતમાં દુર્ઘટના, પાર્કિંગની દિવાલ ધરાશાયી થતા દોડધામ
Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
Embed widget