શોધખોળ કરો

PAKની શરમજનક કરતૂત, ટર્બુલન્સમાં ફસાયેલી ઈન્ડિગોની ફ્લાઇટને એરસ્પેસનો ઉપયોગ કરવાની ન આપી મંજૂરી

Delhi-Srinagar Indigo Flight: પાકિસ્તાની એર સ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી

Delhi-Srinagar Indigo Flight: દિલ્હી-શ્રીનગર ફ્લાઈટ ઈન્ડિગો ફ્લાઈટ 6E2142ને બુધવારે (21 મે, 2025) ટર્બુલન્સમાં ફસાયા બાદ  શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. દરમિયાન, વિમાનના પાયલટે ટર્બુલન્સથી બચવા માટે લાહોર એર ટ્રાફિક કંન્ટ્રોસ (ATC) પાસે થોડા સમય માટે પાકિસ્તાની એર સ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હતી પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી.

ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

સૂત્રોએ જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) ફ્લાઇટ 6E2142ના કેસની તપાસ કરી રહ્યું છે. બુધવારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદો સહિત 220થી વધુ લોકોને લઈ જતી ફ્લાઇટ પર અચાનક કરા પડ્યા અને પાયલટે શ્રીનગર એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલને ઇમરજન્સીની જાણ કરી હતી. જોકે, બાદમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

પાકિસ્તાને એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપી ન હતી

સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે જ્યારે વિમાન અમૃતસર ઉપરથી ઉડાન ભરી રહ્યું હતું, ત્યારે ખરાબ હવામાનના કારણે પાયલટે લાહોર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની પરવાનગી માંગી હતી. આ પરિસ્થિતિ ટાળવા માટે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાની વિનંતી કરવામાં આવી હતી પરંતુ લાહોર એટીસીએ તેને નકારી કાઢી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવાનગી ન મળવાના પરિણામે વિમાનને તે જ રૂટ પર આગળ વધવું પડ્યું જ્યાં તેને હવામાં જોરદાર પવન અને કરા પડવાનો સામનો કરવો પડ્યો. પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને પડોશી દેશે ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે. ભારતે પાકિસ્તાની એરલાઇન્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર પણ બંધ કરી દીધું છે.

આ વિમાનમાં ટીએમસીનું પ્રતિનિધિમંડળ હતું

ઈન્ડિગોએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હીથી શ્રીનગર જતી તેમની ફ્લાઇટ નંબર 6E2142 પર અચાનક કરા પડવા લાગ્યા હતા. એરલાઇને જણાવ્યું હતું કે, "ફ્લાઇટ અને ક્રૂએ નિર્ધારિત પ્રોટોકોલનું પાલન કર્યું અને વિમાનને શ્રીનગરમાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. વિમાન આવ્યા પછી એરપોર્ટ ટીમે મુસાફરોની સંભાળ રાખી." વિમાનમાં તૃણમૂલ કોંગ્રેસનું પાંચ સભ્યોનું પ્રતિનિધિમંડળ સવાર હતું, જેમાં ડેરેક ઓ'બ્રાયન, નદીમુલ હક, સાગરિકા ઘોષ, માનસ ભૂનિયા અને મમતા ઠાકુરનો સમાવેશ થતો હતો.    

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget