શોધખોળ કરો

Poland: બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના મહારાજાએ પોલેન્ડના બાળકોને આપ્યો હતો આશરો, PM મોદીએ આ રીતે કર્યા યાદ

પોલેન્ડ અને ભારત વચ્ચે બીજા વિશ્વ યુદ્ધને લઈને ઐતિહાસિક સંબંધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  યુરોપિયન દેશ પોલેન્ડના પ્રવાસે છે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. પોલેન્ડ અને ભારત વચ્ચે બીજા વિશ્વ યુદ્ધને લઈને ઐતિહાસિક સંબંધ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગર (ગુજરાત)ના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી(Jamnagar Maharaja Digvijaysinghji)એ પોલેન્ડના 600થી વધુ લોકોને આશ્રય આપ્યો હતો. પોલેન્ડ આજે પણ ભારતીય મહારાજાના આ યોગદાનને યાદ કરે છે અને ભારતનો આભાર માને છે. પોલેન્ડની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વારર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ જઇને જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની તસવીરો શેર કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે "ભારત-પોલેન્ડના સંબંધોને આગળ વધારવામાં ગુજરાતની વિશેષ ભૂમિકા ઇતિહાસમાં નોંધાયેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ 600થી વધુ પોલિશ શરણાર્થી બાળકોને ગુજરાતમાં આશ્રય આપ્યો હતો. પોલેન્ડ જામ સાહેબ દિગ્વિજયસિંહજીને આજે પણ યાદ કરે છે. આજે પણ પોલેન્ડની રાજધાની વારસૉમાં જામ સાહેબના નામ પર ગુડ મહારાજા સ્ક્વેર છે અને બીજા પ્રમુખ સ્મારક છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.

પોલેન્ડમાં જામ સાહેબના નામ પરથી રોડ અને શાળા

પોલેન્ડે તેની રાજધાની વારર્સોમાં એક ચોકનું નામ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીના નામ પરથી રાખ્યું છે. તે 'સ્ક્વેર ઓફ ધ ગુડ મહારાજા' તરીકે ઓળખાય છે. એટલું જ નહીં પોલેન્ડમાં જામનગરના મહારાજાના નામે એક શાળા પણ સમર્પિત કરી છે. જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોપરાંત પોલેન્ડ ગણરાજ્યના કમાન્ડર 'ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડમાં શું થયું?

1939માં જ્યારે જર્મનીના સરમુખત્યાર હિટલરે સોવિયેત સંઘ સાથે મળીને પોલેન્ડ પર હુમલો કર્યો અને બીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું ત્યારે પોલેન્ડના સૈનિકોએ 500 મહિલાઓ અને 200 જેટલા બાળકોને એક જહાજમાં બેસાડી દરિયામાં છોડી દીધા હતા. જહાજના કપ્તાનને કહેવામાં આવ્યું હતું કે તેમને કોઈપણ દેશમાં લઈ જાઓ, જે પણ દેશ તેમને આશ્રય આપશે. પછી આ જહાજ ઘણા દેશોમાં ગયું, પરંતુ કોઈએ તેમને આશ્રય આપ્યો નહીં. અંતે જહાજ ગુજરાતના જામનગરના કિનારે પહોંચ્યું ત્યાર બાદ જામનગરના તત્કાલિન મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહે બધાને આશ્રય આપ્યો.

મહારાજાએ શરણાર્થીઓ માટે મહેલના દરવાજા ખોલી નાખ્યા

મહારાજાએ તે બધા માટે પોતાના મહેલના દરવાજા ખોલી નાખ્યા. કહેવાય છે કે 9 વર્ષ સુધી મહારાજા જામ સાહેબે પોલેન્ડના તમામ શરણાર્થીઓની સંભાળ લીધી. રાજ્યની સૈનિક શાળામાં તમામ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ શરણાર્થીઓમાં એક બાળક મોટો થયો અને પોલેન્ડનો પીએમ બન્યો.

આ પણ વાંચોઃ

PM Modi in Poland: 'આ યુદ્ધનો યુગ નથી, અમે શાંતિની વાત કરીએ છીએ', પોલેન્ડમાં બોલ્યા PM મોદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Bihar Politics: JDUમાં સામેલ થયા નિશાંત કુમાર, જાણો પિતા નીતિશ કુમાર અંગે શું કરી ટિપ્પણી
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ
Weather Update: ગરમી તોડશે બધા રેકોર્ડ, માર્ચમાં જ તાપમાનનો પારો 36ને પાર, આ રાજ્યોમાં હિટવેવનું એલર્ટ

વિડિઓઝ

Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીની બદલી પર રાજનીતિ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
ટી-20 વર્લ્ડ કપ 2026: ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત, ન્યૂઝીલેન્ડને 96 રનથી કચડ્યું
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
‘ચેમ્પિયન્સ!’ T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય બદલ PM મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
T20 વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર વરસ્યા કરોડો રૂપિયા, રનર્સઅપ ન્યૂઝીલેન્ડને પણ મળ્યું કરોડોનું ઈનામ
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ: ભારતની ભવ્ય જીત, આ 5 ખેલાડીઓએ ન્યૂઝીલેન્ડનો કચ્ચરઘાણ કાઢ્યો
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં 3 મોટા રેકોર્ડ તોડીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
સંજુ સેમસને રચ્યો ઇતિહાસ: ફાઇનલમાં 89 રન ફટકારી વિરાટ કોહલીના મહાન રેકોર્ડની કરી બરાબરી
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
31 માર્ચ નજીક! ટેક્સ બચાવવા માટે આ 5 રોકાણ વિકલ્પો છે શ્રેષ્ઠ, જાણો કેવી રીતે મળશે લાભ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
IND vs NZ: ફાઇનલમાં અભિષેક સંજુનું તોફાન, તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ
Embed widget