શોધખોળ કરો

Poland: બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના મહારાજાએ પોલેન્ડના બાળકોને આપ્યો હતો આશરો, PM મોદીએ આ રીતે કર્યા યાદ

પોલેન્ડ અને ભારત વચ્ચે બીજા વિશ્વ યુદ્ધને લઈને ઐતિહાસિક સંબંધ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)  યુરોપિયન દેશ પોલેન્ડના પ્રવાસે છે. છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. પોલેન્ડ અને ભારત વચ્ચે બીજા વિશ્વ યુદ્ધને લઈને ઐતિહાસિક સંબંધ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગર (ગુજરાત)ના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી(Jamnagar Maharaja Digvijaysinghji)એ પોલેન્ડના 600થી વધુ લોકોને આશ્રય આપ્યો હતો. પોલેન્ડ આજે પણ ભારતીય મહારાજાના આ યોગદાનને યાદ કરે છે અને ભારતનો આભાર માને છે. પોલેન્ડની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વારર્સોમાં જામ સાહેબ ઓફ નવાનગર મેમોરિયલ જઇને જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની તસવીરો શેર કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું હતું કે "ભારત-પોલેન્ડના સંબંધોને આગળ વધારવામાં ગુજરાતની વિશેષ ભૂમિકા ઇતિહાસમાં નોંધાયેલી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીએ 600થી વધુ પોલિશ શરણાર્થી બાળકોને ગુજરાતમાં આશ્રય આપ્યો હતો. પોલેન્ડ જામ સાહેબ દિગ્વિજયસિંહજીને આજે પણ યાદ કરે છે. આજે પણ પોલેન્ડની રાજધાની વારસૉમાં જામ સાહેબના નામ પર ગુડ મહારાજા સ્ક્વેર છે અને બીજા પ્રમુખ સ્મારક છે. પોલેન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામ સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.

પોલેન્ડમાં જામ સાહેબના નામ પરથી રોડ અને શાળા

પોલેન્ડે તેની રાજધાની વારર્સોમાં એક ચોકનું નામ જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીના નામ પરથી રાખ્યું છે. તે 'સ્ક્વેર ઓફ ધ ગુડ મહારાજા' તરીકે ઓળખાય છે. એટલું જ નહીં પોલેન્ડમાં જામનગરના મહારાજાના નામે એક શાળા પણ સમર્પિત કરી છે. જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજીને મરણોપરાંત પોલેન્ડ ગણરાજ્યના કમાન્ડર 'ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેરિટ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોલેન્ડમાં શું થયું?

1939માં જ્યારે જર્મનીના સરમુખત્યાર હિટલરે સોવિયેત સંઘ સાથે મળીને પોલેન્ડ પર હુમલો કર્યો અને બીજું વિશ્વ યુદ્ધ શરૂ કર્યું ત્યારે પોલેન્ડના સૈનિકોએ 500 મહિલાઓ અને 200 જેટલા બાળકોને એક જહાજમાં બેસાડી દરિયામાં છોડી દીધા હતા. જહાજના કપ્તાનને કહેવામાં આવ્યું હતું કે તેમને કોઈપણ દેશમાં લઈ જાઓ, જે પણ દેશ તેમને આશ્રય આપશે. પછી આ જહાજ ઘણા દેશોમાં ગયું, પરંતુ કોઈએ તેમને આશ્રય આપ્યો નહીં. અંતે જહાજ ગુજરાતના જામનગરના કિનારે પહોંચ્યું ત્યાર બાદ જામનગરના તત્કાલિન મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહે બધાને આશ્રય આપ્યો.

મહારાજાએ શરણાર્થીઓ માટે મહેલના દરવાજા ખોલી નાખ્યા

મહારાજાએ તે બધા માટે પોતાના મહેલના દરવાજા ખોલી નાખ્યા. કહેવાય છે કે 9 વર્ષ સુધી મહારાજા જામ સાહેબે પોલેન્ડના તમામ શરણાર્થીઓની સંભાળ લીધી. રાજ્યની સૈનિક શાળામાં તમામ બાળકોના શિક્ષણ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ શરણાર્થીઓમાં એક બાળક મોટો થયો અને પોલેન્ડનો પીએમ બન્યો.

આ પણ વાંચોઃ

PM Modi in Poland: 'આ યુદ્ધનો યુગ નથી, અમે શાંતિની વાત કરીએ છીએ', પોલેન્ડમાં બોલ્યા PM મોદી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat BJP: પ્રદેશ બાદ હવે જિલ્લા ભાજપ સંગઠનો જાહેર; આણંદ, દાહોદ અને જૂનાગઢની નવી ટીમમાં કોને મળ્યું સ્થાન? જુઓ લિસ્ટ
Gujarat BJP: પ્રદેશ બાદ હવે જિલ્લા ભાજપ સંગઠનો જાહેર; આણંદ, દાહોદ અને જૂનાગઢની નવી ટીમમાં કોને મળ્યું સ્થાન? જુઓ લિસ્ટ
Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને ખાસ સંદેશ, કહ્યું - ‘હું ભારત સરકાર અને....’
Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને ખાસ સંદેશ, કહ્યું - ‘હું ભારત સરકાર અને....’
બગદાણા કેસ:
બગદાણા કેસ: "જે થાય છે તે સારા માટે", પુત્રની ધરપકડ પર માયાભાઈ આહીરની પહેલી પ્રતિક્રિયા; હીરા સોલંકીએ શું વળતો પ્રહાર કર્યો?
મહારાષ્ટ્રમાં મહાયુતિમાં ભડકો! ભાજપના મંત્રીએ શિંદેને લલકાર્યા- 'નામ-નિશાન મિટાવી દઈશ', જાણો શું છે પૂરો વિવાદ
મહારાષ્ટ્રમાં મહાયુતિમાં ભડકો! ભાજપના મંત્રીએ શિંદેને લલકાર્યા- 'નામ-નિશાન મિટાવી દઈશ', જાણો શું છે પૂરો વિવાદ

વિડિઓઝ

Gadhidham News: ગાંધીધામમાં આધેડને જીવતા સળગાવવાના કેસમાં પોલીસે બે મહિલા અને એક પુરુષની કરી ધરપકડ
Vadodara news : વાયરલ વિડીયોએ વડોદરામાં મચાવી ચકચાર, બુટલેગરને પકડવાના સ્થાને ભગાવવાનો આરોપ
Republic Day Parade 2026: 'કર્તવ્ય પથ'પર નવા ભારતની શૌર્ય ઝલક
Toll Tax New Rules : ટોલ ટેક્સના નિયમોમાં સરકારે કર્યો મોટો બદલાવ
Republic Day 2026 : વાવ-થરાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાજ્યપાલે લહેરાવ્યો તિરંગો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat BJP: પ્રદેશ બાદ હવે જિલ્લા ભાજપ સંગઠનો જાહેર; આણંદ, દાહોદ અને જૂનાગઢની નવી ટીમમાં કોને મળ્યું સ્થાન? જુઓ લિસ્ટ
Gujarat BJP: પ્રદેશ બાદ હવે જિલ્લા ભાજપ સંગઠનો જાહેર; આણંદ, દાહોદ અને જૂનાગઢની નવી ટીમમાં કોને મળ્યું સ્થાન? જુઓ લિસ્ટ
Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને ખાસ સંદેશ, કહ્યું - ‘હું ભારત સરકાર અને....’
Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતને ખાસ સંદેશ, કહ્યું - ‘હું ભારત સરકાર અને....’
બગદાણા કેસ:
બગદાણા કેસ: "જે થાય છે તે સારા માટે", પુત્રની ધરપકડ પર માયાભાઈ આહીરની પહેલી પ્રતિક્રિયા; હીરા સોલંકીએ શું વળતો પ્રહાર કર્યો?
મહારાષ્ટ્રમાં મહાયુતિમાં ભડકો! ભાજપના મંત્રીએ શિંદેને લલકાર્યા- 'નામ-નિશાન મિટાવી દઈશ', જાણો શું છે પૂરો વિવાદ
મહારાષ્ટ્રમાં મહાયુતિમાં ભડકો! ભાજપના મંત્રીએ શિંદેને લલકાર્યા- 'નામ-નિશાન મિટાવી દઈશ', જાણો શું છે પૂરો વિવાદ
Republic Day 2026: ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત બનાવો વિજેતા, આ રીતે કરો વોટિંગ
Republic Day 2026: ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી સતત ચોથી વખત બનાવો વિજેતા, આ રીતે કરો વોટિંગ
8th Pay Commission: 8માં પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર મળશે લાખોનું એરિયર્સ! પગારમાં કેટલો થશે વધારો ?
8th Pay Commission: 8માં પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર મળશે લાખોનું એરિયર્સ! પગારમાં કેટલો થશે વધારો ?
Bank Strike: આવતીકાલે બેંકોમાં હડતાળ, જાણો કઈ બેંક ચાલુ રહેશે કઈ બંધ રહેશે? જુઓ યાદી
Bank Strike: આવતીકાલે બેંકોમાં હડતાળ, જાણો કઈ બેંક ચાલુ રહેશે કઈ બંધ રહેશે? જુઓ યાદી
Border 2 Collection: ચાર દિવસમાં 150 કરોડને પાર ‘બોર્ડર 2’, રણવીરની ‘ધુરંધર’ ને પાછળ છોડી 
Border 2 Collection: ચાર દિવસમાં 150 કરોડને પાર ‘બોર્ડર 2’, રણવીરની ‘ધુરંધર’ ને પાછળ છોડી 
Embed widget