શોધખોળ કરો

Lata Deenanath Mangeshkar Award: "આ રક્ષાબંધન પર લતા દીદી નહી હોય" - PM મોદીએ લતાજી સાથેના સંસ્મરણો યાદ કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહ માટે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતા જ દેવેન્દ્ર ફડણવીસ, આદિત્ય ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું.

Lata Deenanath Mangeshkar Award: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ સમારોહ માટે મુંબઈ પહોંચ્યા હતા. મુંબઈ પહોંચતા જ દેવેન્દ્ર ફડણવીસ, આદિત્ય ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રથમ સન્માન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, સંગીત એ સાધના છે અને ભાવના પણ છે. સમારોહ દરમિયાન પ્રધાનમંત્રી લતા મંગેશકરને યાદ કરીને ભાવુક થઈ ગયા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે મને લતા દીદી તરફથી હંમેશા મોટી બહેન જેવો અપાર પ્રેમ મળ્યો છે, જેમણે પેઢીઓને પ્રેમ અને લાગણીની ભેટ આપી છે. આનાથી વધુ સદભાગ્ય શું હોઈ શકે? ઘણા દાયકાઓ પછી, આ પહેલો રાખડીનો તહેવાર આવશે, જ્યારે લતા દીદી નહીં હોય.

પીએમ મોદીએ કહ્યું કે સંગીત તમને બહાદુરીથી ભરી દે છે. સંગીત માતૃત્વ અને પ્રેમની અનુભૂતિ આપી શકે છે. સંગીત તમને દેશભક્તિ અને કર્તવ્યના શિખરે લઈ જઈ શકે છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે સંગીતની આ શક્તિને લતા દીદીના રૂપમાં જોઈ છે. તેમણે કહ્યું કે, જ્યારે એવોર્ડ લતા દીદી જેવી મોટી બહેનના નામે હોય છે, ત્યારે તે તેમના મારા પ્રત્યેના લગાવ અને પ્રેમનું પ્રતિક છે. હું આ એવોર્ડ તમામ દેશવાસીઓને સમર્પિત કરું છું. જેમ લતા દીદી લોકોના હતા એવી જ રીતે તેમના નામે મને આપવામાં આવેલો આ એવોર્ડ લોકોનો છે. પીએમ મોદીએ કહ્યું કે, સુધીર ફડકેએ મારી લતા દીદી સાથેની પહેલી મુલાકાત ગોઠવી હતી. લતા દીદી મારી મોટી બહેન હતાં. લતા દીદીના નામના આ એવોર્ડ ના સ્વીકારવો મારા માટે શક્ય નહોતો. હું તરત જ એવોર્ડ લેવા માટે સંમત થઈ ગયો હતો.

પીએમ મોદીએ કહ્યું કે, હું આ એવોર્ડ દેશને સમર્પિત કરું છું. જે રીતે લતા દીદી લોકોના હતા, તેવી જ રીતે આ એવોર્ડ પણ લોકોનો છે. તેમણે કહ્યું કે, હું ઘણીવાર લતા દીદી સાથે વાત કરતો હતો. હું તેમના વિશે એક વાત ભૂલી શકતો નથી. તે હંમેશા કહેતાં કે, માણસ તેની ઉંમરથી નહી પણ તેના કામથી મોટો હોય છે. વ્યક્તિ દેશ માટે જેટલું વધારે કરે છે તેટલું તેનું કદ મોટું થાય છે. પીએમ મોદીએ કહ્યું કે, લતા દીદી ઉંમર કરતા મોટાં અને કર્મ કરતા મોટાં હતાં

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, લતા દીદી સાદગીનાં પ્રતિક હતા. લતા દીદીએ સંગીતમાં એ સ્થાન હાંસલ કર્યું કે, લોકો તેમને માં સરસ્વતીનું પ્રતીક માને છે. તેમણે લગભગ 80 વર્ષ સુધી સંગીતની દુનિયામાં પોતાની છાપ છોડી. પીએમ મોદીએ કહ્યું કે, ઈશ્વરના ઉચ્ચારણમાં પણ સ્વર હોય ​​છે. સંગીત આપણા હૃદયને અસર કરે છે. તેમણે કહ્યું કે, લતા દીદીની શારીરિક યાત્રા એવા સમયે પૂર્ણ થઈ જ્યારે દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ એવોર્ડ સાથે લતા દીદીના પિતાનું નામ પણ જોડાયેલું છે. આપણે બધા મંગેશકર પરિવારના ઋણી છીએ. સંગીતની સાથે લતા દીદીમાં દેશભક્તિની ભાવના પણ હતી. તેમને આ પ્રેરણા તેમના પિતા દીનાનાથજી પાસેથી મળી હતી.

પીએમ મોદીએ કહ્યું કે લતાજી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની મધુર પ્રસ્તુતિ જેવાં હતાં. તેમણે દેશની 30 થી વધુ ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. હિન્દી હોય, મરાઠી હોય, સંસ્કૃત હોય કે અન્ય ભારતીય ભાષાઓ, લતાજીનો અવાજ દરેક ભાષામાં સરખો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
હવે 30 દિવસમાં મળી જશે ક્લેમના પૂરા પૈસા, જાણો IRDAIના નવા નિયમો 
હવે 30 દિવસમાં મળી જશે ક્લેમના પૂરા પૈસા, જાણો IRDAIના નવા નિયમો 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Siddaramaiah Resignation: 'હું તે જ કરીશ જે રાહુલ ગાંધી કહેશે', પાવર ટ્રાન્સફરનું સિદ્ધારમૈયાએ કર્યું એલાન
Siddaramaiah Resignation: 'હું તે જ કરીશ જે રાહુલ ગાંધી કહેશે', પાવર ટ્રાન્સફરનું સિદ્ધારમૈયાએ કર્યું એલાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ
Hun To Bolish : હું તો બોલીશ : સંકટમાં સાવજ?
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
અમેરિકા-ઈરાન ઐતિહાસિક શાંતિ કરાર માટે સહમત! હોર્મુઝ ખોલવાને લઈ શું થઈ વાત?
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
GT vs RR, Qualifier 2: ગુજરાત અને રાજસ્થાનમાં કોની થશે જીત, જાણો બંનેનો હેડ ટૂ હેડ રેકોર્ડ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Delhi Rain: દિલ્હીના વાતાવરણમાં આવ્યો પલટો, ભારે તોફાન સાથે વરસ્યો વરસાદ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
હવે બજેટમાં મળશે લક્ઝરી ફીલ, નવી Tata Tiago Facelift લોન્ચ, કિંમત જાણી ચોંકી જશો
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
Weather Update: કાળઝાળ ગરમીથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં કરા અને વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
8th Pay Commission: કર્મચારીઓનો પગાર વધશે કે લાગશે ઝટકો? ફિટમેન્ટ ફેક્ટર પર શું છે સરકારનો પ્લાન, જાણો 
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
RMC Mayor News: રાજકોટના મેયર બન્યા નેહલ શુક્લ, ડે.મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી
Embed widget