શોધખોળ કરો

'ઓપરેશન સિંદૂર' વચ્ચે પીએમ મોદી આજે રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શરૂ કરાયેલ ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં પીએમનો સંદેશ અત્યંત મહત્વપૂર્ણ મનાય છે.

PM Modi address to nation today: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા શરૂ કરાયેલ 'ઓપરેશન સિંદૂર'ની કાર્યવાહી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (૧૨ મે, ૨૦૨૫) રાત્રે ૮ વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. વડાપ્રધાનના આ સંબોધન પર સમગ્ર દેશની નજર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે ૮ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે. આ સંબોધન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે ભારતીય સેના જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (૨૨ એપ્રિલ, ૨૦૨૫) ના જવાબમાં 'ઓપરેશન સિંદૂર' હેઠળ કાર્યવાહી કરી રહી છે.

આ અચાનક જાહેર થયેલા રાષ્ટ્રજોગ સંબોધનથી દેશભરમાં અને ખાસ કરીને સુરક્ષા નિષ્ણાતોમાં ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. સામાન્ય રીતે, વડાપ્રધાન જ્યારે રાષ્ટ્રને સંબોધિત કરે છે, ત્યારે તે કોઈ મહત્વપૂર્ણ ઘટનાક્રમ, મોટા નીતિગત નિર્ણય અથવા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત જાહેરાત સાથે સંકળાયેલ હોય છે.

'ઓપરેશન સિંદૂર' અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હોવાના અહેવાલો છે, અને આ કાર્યવાહી બાદ ભારત-પાકિસ્તાન સરહદે તણાવનો માહોલ પણ જોવા મળ્યો છે. આ સંજોગોમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંબોધનમાં રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ સામેની લડાઈ અથવા ભવિષ્યની કોઈ મહત્વપૂર્ણ રણનીતિ અંગે કોઈ સંદેશ આપશે કે કેમ, તે જોવું રસપ્રદ રહેશે.

આતંકવાદ સામેની લડાઈ અને સફળતા

એર માર્શલ એ.કે. ભારતીએ જણાવ્યું કે, "અમે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી કેમ્પોનો નાશ કર્યો છે, જે અમે ગઈકાલે (૭ મે) સાબિત કરી દીધું." તેમણે ભારપૂર્વક કહ્યું કે, "અમે આતંકવાદ અને તેમને ટેકો આપતા માળખાકીય સુવિધાઓ સામે લડી રહ્યા છીએ, પાકિસ્તાની સેના સામે નહીં." તેમણે ઉમેર્યું કે, ૭ મેના રોજ, ભારતે ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, પરંતુ પાકિસ્તાની સેનાએ આતંકવાદને ટેકો આપવાનું યોગ્ય માન્યું અને આ લડાઈને પોતાની બનાવી લીધી. આ લડાઈમાં તેને જે કંઈ નુકસાન થાય છે તેના માટે તે પોતે જવાબદાર છે.

એર માર્શલ ભારતીએ ભારતીય સંરક્ષણ પ્રણાલીની કાર્યક્ષમતા દર્શાવતા કહ્યું કે, "આપણી સંરક્ષણ પ્રણાલી દેશ માટે દિવાલની જેમ ઉભી હતી." તેમણે માહિતી આપી કે ભારતીય સેનાએ ચીની પીએલ મિસાઇલ, લાંબા અંતરના રોકેટ, યુએવી (અનમેનન્ડ એરિયલ વ્હીકલ) અને હળવા દારૂગોળાની સિસ્ટમ પણ તોડી પાડી. આ સમય દરમિયાન, પ્રેસ કોન્ફરન્સમાં સ્ક્રીન પર લક્ષ્યોની તસવીરો પણ દર્શાવવામાં આવી હતી, જેમાં નૂર ખાન એરબેઝ અને રહીમયાર ખાન એરબેઝ પરના હુમલાઓની અસરકારકતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે ભારતીય શસ્ત્રોની 'પિન પોઈન્ટ ચોકસાઈ' પર ભાર મૂક્યો અને જણાવ્યું કે કેવી રીતે ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલીએ ડ્રોન, મિસાઇલો અને ફાઇટર જેટને ઓછામાં ઓછા નુકસાન સાથે નિષ્ક્રિય કર્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
Maruti Dzire એ તોડ્યા વેચાણના તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર, જુઓ સેલ્સ રિપોર્ટ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Soup Recipe: સ્વાસ્થ્ય માટે વરદાન છે કાળા ચણાનું સૂપ; જાણો તેને તૈયાર કરવાની સિમ્પલ રેસીપી
Embed widget