![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
PM Modi એ 216 ફૂટ ઊંચી Statue of Equality દેશને કરી સમર્પિત, પંચધાતુથી બનેલી પ્રતિમાની આ છે ખાસિયત
Statue of Equality: હૈદરાબાદના મુચિંતલમાં સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીને પીએમ મોદીએ દેશને સમર્પિત કરી
![PM Modi એ 216 ફૂટ ઊંચી Statue of Equality દેશને કરી સમર્પિત, પંચધાતુથી બનેલી પ્રતિમાની આ છે ખાસિયત PM Narendra Modi inaugurates the 216-feet tall Statue of Equality check details PM Modi એ 216 ફૂટ ઊંચી Statue of Equality દેશને કરી સમર્પિત, પંચધાતુથી બનેલી પ્રતિમાની આ છે ખાસિયત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/05/bcef04e101eec7d51da430c591672bc2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PM Narendra Modi Inaugurates Statue of Equality: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના સરહદી વિસ્તાર મુચિંતલમાં "સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી - સમાનતાની પ્રતિમા" રાષ્ટ્રને સમર્પિત કરી. 216 ફૂટ ઊંચી પ્રતિમા 11મી સદીના સંત શ્રી રામાનુજાચાર્યની યાદમાં બનાવવામાં આવી છે. તેમણે આસ્થા, જાતિ અને સંપ્રદાય સહિત જીવનના તમામ પાસાઓમાં સમાનતાના વિચારને પ્રોત્સાહન આપ્યું હતું.
આ મૂર્તિ સોના, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતના મિશ્રણથી બનેલી 'પંચધાતુ'થી બનેલી છે અને તે વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓમાંની એક છે. તે બેઠેલી સ્થિતિમાં હોય તેવી વિશ્વની સૌથી ઊંચી ધાતુની પ્રતિમાઓ પૈકી એક છે.
તે 54-ફીટ ઊંચા આધાર ભવન પર સ્થાપિત છે, જેનું નામ 'ભદ્ર વેદી' છે. તે એક વૈદિક ડિજિટલ પુસ્તકાલય અને સંશોધન કેન્દ્ર, પ્રાચીન ભારતીય ગ્રંથો, એક થિયેટર, એક શૈક્ષણિક ગેલેરી ધરાવે છે. આ પ્રતિમાની પરિકલ્પના શ્રી રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચિન્ના જીયાર સ્વામીએ કરી છે. પ્રધાનમંત્રીએ "સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી"ની આસપાસ આવેલા 108 દિવ્ય દેશમ (સુશોભિત રીતે કોતરેલા મંદિરો)ની પણ મુલાકાત લીધી હતી.
શ્રી રામાનુજાચાર્યએ રાષ્ટ્રીયતા, લિંગ, જાતિ અથવા સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના દરેક માનવીની ભાવના સાથે લોકોના ઉત્થાન માટે અથાક કામ કર્યું હતું. "સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી"નું ઉદ્ઘાટન એ રામાનુજાચાર્યની 1000મી જયંતી સમારોહનો એક ભાગ છે.
Telangana | Prime Minister Narendra Modi inaugurates the 216-feet tall 'Statue of Equality' commemorating the 11th-century Bhakti Saint Sri Ramanujacharya in Shamshabad pic.twitter.com/dxTvhQEagz
— ANI (@ANI) February 5, 2022
આ પણ વાંચોઃ
Corona in India: કેરળમાં છે કોરોનાના સૌથી વધુ એક્ટિવ કેસ, દેશના આ 5 રાજ્યોમાં હજુ પણ ચરમ પર છે મહામારી
IND vs WI: અમદાવાદના ઐતિહાસિક સ્ટેડિયમમાં વન ડે રમવા ઉતરશે Team India, આ મેદાન પર બન્યા છે અનેક મોટા રેકોર્ડ્સ
Uttarakhand Election 2022: ‘ભારતમાં પ્રધાનમંત્રી નહીં, પણ એક રાજા છે’, રાહુલ ગાંધીનો પીએમ મોદી પર વ્યંગ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)