શોધખોળ કરો

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આદિવાસી સંમેલનમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં આર્થિક સુનામી આવવાની છે અને ચૂંટણી પંચ સહિતની મોટી સંસ્થાઓમાં આંતરિક બળવો થઈ રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાહુલ ગાંધીએ દાવો કર્યો, મોદી એક વર્ષમાં પદ છોડશે.
  • દેશમાં ભયંકર આર્થિક સુનામી અને સંસ્થાકીય બળવો થશે.
  • આદિવાસીઓના જળ, જંગલ, જમીન પર ભાજપનો પ્રહાર.

Rahul Gandhi prediction Narendra Modi: લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બુધવારે (3 જૂન, 2026) એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપ સરકાર વિશે અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો દાવો કર્યો છે. રાહુલ ગાંધીએ ખુલ્લેઆમ કહ્યું છે કે તેમની પાસે સિસ્ટમની અંદરની માહિતી છે અને આગામી 1 જ વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે નહીં રહે. આ ઉપરાંત તેમણે દેશમાં એક ભયંકર 'આર્થિક સુનામી' આવવાની અને સરકારી સંસ્થાઓમાં મોટા અધિકારીઓ બળવો કરી રહ્યા હોવાની વાત કહીને રાજકારણમાં નવો ગરમાવો લાવી દીધો છે.

આદિવાસી અધિકારો અને ભાજપ પર પ્રહાર

બુધવારે યોજાયેલા રાષ્ટ્રીય આદિવાસી વ્યાવસાયિક સંમેલનમાં રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કર્યા હતા. અહીં તેમણે 'આદિવાસી' અને 'વનવાસી' શબ્દ વચ્ચેનો ભેદ સમજાવતા કહ્યું કે આદિવાસીઓ જ ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસનું અસલી મૂળ છે. તેમણે ભાજપ અને RSS પર સીધો પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે આ લોકો આદિવાસીઓને તેમના જળ, જંગલ અને જમીનના મૂળભૂત હકોથી દૂર રાખવા માંગે છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી અને તેઓ પોતે આદિવાસીઓના હક માટે લડવા હંમેશા તૈયાર છે. આ કાર્યક્રમમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને ટ્રાઇબલ સેલના વડા વિક્રાંત ભૂરિયાએ રાહુલ ગાંધીને પરંપરાગત આદિવાસી ટોપી પણ ભેટમાં આપી હતી.

દેશમાં આવશે ભયંકર 'આર્થિક સુનામી'

આ સંમેલનમાં રાહુલે એક મોટી ચેતવણી આપતા દાવો કર્યો કે, "દેશમાં એક એવી ભયંકર આર્થિક સુનામી આવવાની છે, જેને હવે કોઈ રોકી નહીં શકે. દરેક ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી જશે. ભાજપે દેશની આર્થિક સુરક્ષા વ્યવસ્થા જ ખતમ કરી નાખી છે. તમે તમારા જીવનમાં ક્યારેય ન વિચારી હોય તેવી આર્થિક કટોકટી હવે આવવાની છે."

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ PM મોદીને કહ્યા 'દેશદ્રોહી' તો મહેબૂબા મુફ્તીએ કહ્યું - ‘બીજેપીએ વાવેલા બીજ...’

સિસ્ટમમાં અંદરખાને બળવો થઈ રહ્યો છે

આટલેથી ન અટકતા રાહુલે બીજો એક સનસનીખેજ દાવો કર્યો કે દેશની સંસ્થાઓમાં આંતરિક બળવો શરૂ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, "3 વર્ષ પહેલા ચૂંટણી પંચ સંપૂર્ણપણે સરકારના કંટ્રોલમાં હતું, પણ હવે મને ખુદ મુખ્ય ચૂંટણી કમિશનર તરફથી મેસેજ આવી રહ્યા છે. વરિષ્ઠ ન્યાયતંત્ર અને ઇન્ટેલિજન્સ (ગુપ્તચર) વિભાગના અધિકારીઓ બધા અંદરખાને બળવો કરી રહ્યા છે અને અમને કહી રહ્યા છે કે જે સિસ્ટમ કંટ્રોલમાં હતી તે હવે તૂટી રહી છે."

પોતાની વાત પૂરી કરતા રાહુલે કહ્યું, "સિસ્ટમ અંદરથી હલી ગઈ છે. મને ખુદ સરકારની અંદરથી પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, તેમના મંત્રીઓ અને અજિત ડોભાલ વિશે અંદરની માહિતી મળતી રહે છે. હવે એવું બની શકે કે જનતાના વધતા દબાણને દબાવવા માટે તેઓ દેશમાં કટોકટી (ઇમરજન્સી) લાદવાનો પ્રયાસ કરે. પણ મારું સ્પષ્ટ માનવું છે કે 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે."

આ પણ વાંચોઃ ‘મોટું તોફાન આવી રહ્યું છે!’ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને મોદીના પ્રવાસ પર રાહુલ ગાંધીની મોટી ચેતવણી!

Frequently Asked Questions

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે શું દાવો કર્યો છે?

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે આગામી 1 જ વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે નહીં રહે. તેમને સિસ્ટમની અંદરથી આ માહિતી મળી છે.

રાહુલ ગાંધીએ દેશની અર્થવ્યવસ્થા વિશે કઈ ચેતવણી આપી છે?

તેમણે ચેતવણી આપી છે કે દેશમાં ભયંકર 'આર્થિક સુનામી' આવવાની છે, જેને કોઈ રોકી શકશે નહીં. ભાજપે દેશની આર્થિક સુરક્ષા વ્યવસ્થા ખતમ કરી નાખી છે.

રાહુલ ગાંધીએ સરકારી સંસ્થાઓમાં 'બળવો' થવા અંગે શું કહ્યું છે?

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે ચૂંટણી પંચ, વરિષ્ઠ ન્યાયતંત્ર અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ અંદરખાને બળવો કરી રહ્યા છે. તેમને મુખ્ય ચૂંટણી કમિશનર તરફથી પણ મેસેજ મળી રહ્યા છે.

આદિવાસીઓના અધિકારો અને ભાજપ પર રાહુલ ગાંધીએ શું ટિપ્પણી કરી?

તેમણે કહ્યું કે આદિવાસીઓ જ ભારતની સંસ્કૃતિનું મૂળ છે. ભાજપ તેમને જળ, જંગલ અને જમીનના હકોથી દૂર રાખવા માંગે છે, જ્યારે કોંગ્રેસ આ હકો માટે લડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
Ujjwala Yojana : સરકારનો મોટો નિર્ણય, ઉજ્જવલા યોજનામાં હવે ફક્ત 4 LPG સિલિન્ડર મળશે
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
Advertisement

વિડિઓઝ

PM Modi : PM મોદી તોડશે નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો બનશે રેકોર્ડ
H1B Visa News : અમેરિકામાં કરિયર બનાવવા માગતા ભારતીયો માટે ખુશીના સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધને લઇ ટ્રમ્પે કર્યુ મોટું એલાન, બોલ્યા- 'આગામી બે અઠવાડિયામાં...'
ભારતીયોને મોટી રાહત, કોર્ટે H-1B વીઝા પર ટ્રમ્પની 1 લાખ ડૉલરની ફી કરી રદ
ભારતીયોને મોટી રાહત, કોર્ટે H-1B વીઝા પર ટ્રમ્પની 1 લાખ ડૉલરની ફી કરી રદ
Share Market: 'બ્લેક મન્ડે' બાદ આજે મંગલમય શેરબજાર, 500 પૉઇન્ટ ઉપર ચઢ્યો સેન્સેક્સ, નિફ્ટી 23000 ને પાર
Share Market: 'બ્લેક મન્ડે' બાદ આજે મંગલમય શેરબજાર, 500 પૉઇન્ટ ઉપર ચઢ્યો સેન્સેક્સ, નિફ્ટી 23000 ને પાર
PG વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સરકાર આપી રહી છે દર મહિને 15,000ની સ્કૉલરશીપ
PG વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, સરકાર આપી રહી છે દર મહિને 15,000ની સ્કૉલરશીપ
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
IND vs ENG વચ્ચેની ટી-20 મેચના સમયમાં કરાયો ફેરફાર, ઈગ્લેન્ડે અચાનક કેમ લીધો નિર્ણય?
ફૂલ ટેન્કમાં દોડશે 1000 KM, ભારતમાં આજે લૉન્ચ થશે BYD ની પહેલી પ્લગ-ઇન-હાઇબ્રિડ SUV
ફૂલ ટેન્કમાં દોડશે 1000 KM, ભારતમાં આજે લૉન્ચ થશે BYD ની પહેલી પ્લગ-ઇન-હાઇબ્રિડ SUV
કૉકરોચ બાદ દેશમાં લૉન્ચ થઇ 'ઇશ્ક કરો પાર્ટી', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી, મહુઆને ઓફર
કૉકરોચ બાદ દેશમાં લૉન્ચ થઇ 'ઇશ્ક કરો પાર્ટી', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે બનાવી, મહુઆને ઓફર
ITR News: મોત પછી પણ સમાપ્ત નથી થતો ટેક્સ, જાણો કેવી રીતે ભરી શકાય મૃત વ્યક્તિનું આઈટીઆર
ITR News: મોત પછી પણ સમાપ્ત નથી થતો ટેક્સ, જાણો કેવી રીતે ભરી શકાય મૃત વ્યક્તિનું આઈટીઆર
Embed widget