શોધખોળ કરો

Rajasthan: રાજસ્થાનમાં મંગળવારે ત્રણ કલાક બંધ રહેશે પેટ્રોલ પંપ, જાણો શું છે કારણ ?

રાજસ્થાનમાં પેટ્રોલ ડીલરોના વિરોધને કારણે મંગળવારે રાજ્યભરના પેટ્રોલ પંપ ત્રણ કલાક માટે બંધ રહેશે. ડીલર્સ એસોસિએશને આ માહિતી આપી હતી.

Petrol Pumps in Rajasthan: રાજસ્થાનમાં પેટ્રોલ ડીલરોના વિરોધને કારણે મંગળવારે રાજ્યભરના પેટ્રોલ પંપ ત્રણ કલાક માટે બંધ રહેશે. ડીલર્સ એસોસિએશને આ માહિતી આપી હતી. રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન (RPDA)ના આહ્વાન પર  રાજ્યભરમાં લગભગ 6700 પેટ્રોલ પંપ રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી બંધ રહેશે અને આ દરમિયાન કોઈ પણ ડીલર ડેપોમાંથી ઈંધણ ખરીદશે નહીં.

આરપીડીએના પ્રમુખ સુનિત બગાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો પેટ્રોલ પંપ ડીલરોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો એસોસિએશનની બેઠક બાદ રાષ્ટ્રીય સ્તરે બંધનું એલાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે પેટ્રોલ પંપ ડીલરોની માંગણીઓમાં ડીલર્સ માર્જિનમાં તાત્કાલિક વધારો, રાજ્યના તમામ જિલ્લાઓમાં એકસમાન ઈંધણના ભાવ અને અગાઉ નક્કી કરાયેલી કિંમતની નીતિ મુજબ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો સમાવેશ થાય છે.

રાજસ્થાનના સરહદી જિલ્લાઓ કરતાં પડોશી રાજ્યોમાં ઈંધણની કિંમત ઓછી છે

બગાઈએ કહ્યું કે પડોશી રાજ્યોમાં ઈંધણની કિંમત રાજસ્થાનના સરહદી જિલ્લાઓ કરતા ઘણી ઓછી છે જેના કારણે મોટાભાગના પંપ બંધ થવાના આરે છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના સરહદી જિલ્લાઓની સરખામણીએ પડોશી રાજ્યોમાં ઈંધણ 5 થી 10 રૂપિયા સસ્તું છે.

સમીર વાનખેડેની બદલી, આર્યન ખાન કેસમાં કરી ચૂક્યાં છે તપાસ 

અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંબંધિત ડ્રગ્સ કેસ(Aryan Khan Drugs Case)ની તપાસ કરી રહેલા અધિકારી સમીર વાનખેડેની બદલી કરવામાં આવી છે. આઈઆરએસ અધિકારી સમીર વાનખેડે(Sameer Wankhede) ની ડીજીટીએસ ચેન્નાઈમાં બદલી કરવામાં આવી છે. આ એક બિન-સંવેદનશીલ પોસ્ટ છે.

આ પહેલા કેન્દ્ર સરકારે સમીર વાનખેડે સામે કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા. જણાવી દઈએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તેમની તપાસમાં આર્યન ખાન સહિત 6 લોકોને દોષી ન માન્યા અને તેમની વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાનું કહીને છોડી દીધા.

આ મામલામાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ પર આરોપો લગાવવામાં આવ્યા બાદ, NCB હેડક્વાર્ટરએ આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. તેની તપાસ દરમિયાન, આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓની તપાસ કરી હતી જેમાં આર્યન ખાનની ધરપકડ સમયે તેની પાસેથી કોઈ માદક પદાર્થ મળી આવ્યો હતો કે કેમ? શું તેઓ ડ્રગ સિન્ડિકેટનો ભાગ હતા? તેમની ધરપકડ સમયે એનડીપીએસ એક્ટ લાગુ હતો કે નહીં? ધરપકડ સમયે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ધોરણોનું પાલન કરવામાં આવ્યું હતું કે કેમ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી બેંગલુરુમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
યુદ્ધની અસર: ગેસના બાટલાની અછતથી આ શહેરમાં હાહાકાર, આવતીકાલથી તમામ ખાણીપીણીની હોટલ બંધ રહેશે!
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
S Jaishankar: 'સરકાર ભારતીયોની સુરક્ષા પ્રત્યે ગંભીર', મિડલ ઈસ્ટ ક્રાઈસીસ પર રાજ્યસભામાં બોલ્યા એસ જયશંકર
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
રાષ્ટ્રપતિની નારાજગી બાદ પશ્ચિમ બંગાળમાં રાજકીય ઘમાસાણ,PM મોદીએ કર્યા આકરા પ્રહાર તો મમતા બેનર્જીએ આપી પ્રતિક્રિયા
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સામે કેસ કરનાર આશુતોષ બ્રહ્મચારી પર જીવલેણ હુમલો, ટ્રેનના શૌચાલયમાં પુરાઈને બચાવ્યો જીવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી અનલિમિટેડ!
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનો જયકારો
Gujarat Assembly : રાજ્યમાં 2 વર્ષમાં 6139 બાળકો થયા ગુમ, 304 બાળકો શોધવાના હજુ બાકી
Surat News : સુરતમાં 2 વિદ્યાર્થિનીના આપઘાતના કેસમાં ખુલાસો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ: 4 દિવસ કામ, મંત્રીઓનો પગાર બંધ, ઈફ્તાર પર રોક
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદાર રાજ: સરકારનો મોટો આદેશ, જાણો કોને મળી સત્તા
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
આઈસીસીએ જાહેર કરી ટી-20 વિશ્વ કપની સર્વશ્રેષ્ઠ ટીમ, 4 ભારતીયોને મળ્યું સ્થાન, સૂર્યા…
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
અમદાવાદમાં ગેરેજ-વર્કશોપ માટે પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, જાણો શું આપવી પડશે વિગત?
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
મધ્ય પૂર્વમાં વિસ્ફોટક સ્થિતિ: ઇઝરાયલ-અમેરિકા બાદ આ દેશે ઇરાન પર કર્યો સીધો હુમલો
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
Embed widget