શોધખોળ કરો

Ram Mandir: રામલલા આજે પરિસરમાં ભ્રમણ કરશે, શુદ્ધિકરણ બાદ બાંધવામાં આવી મૂર્તિની આંખો પર પટ્ટી

Ram Mandir: પસંદ કરેલી મૂર્તિને શુદ્ધ કરતી વખતે તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે, આ પટ્ટી 22 જાન્યુઆરીએ ખોલવામાં આવશે

Ram Mandir:  રામલલાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાત દિવસની પૂજન વિધિ મંગળવારથી પ્રાયશ્વિત પૂજા અને કર્મકુટી પૂજા સાથે શરૂ થઈ હતી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડૉ.અનિલ મિશ્રને પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે. મંગળવારે લગભગ ત્રણ કલાક સુધી પ્રાયશ્ચિત પૂજા થઈ હતી. આ પછી યજમાનને સરયુ સ્નાન કરાવવામાં આવ્યું હતું. મૂર્તિ નિર્માણ સ્થળનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. પસંદ કરેલી મૂર્તિને શુદ્ધ કરતી વખતે તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી છે, આ પટ્ટી 22 જાન્યુઆરીએ ખોલવામાં આવશે.

વિવેક સૃષ્ટિ કેમ્પસમાં આચાર્ય અરુણ દીક્ષિતના માર્ગદર્શન હેઠળ બપોરે 1 કલાકે પ્રાયશ્ચિત પૂજાનો પ્રારંભ થયો હતો. આ દરમિયાન મુખ્ય યજમાન ડો.અનિલ મિશ્રએ સપત્નીક સંકલ્પ લીધો અને પૂજન શરૂ કર્યું હતું. આ પૂજા તે સ્થળે થઈ હતી જ્યાં રામલલાની પસંદ કરેલી સ્થાવર મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. પૂજા દરમિયાન શિલ્પકાર અરુણ યોગીરાજ પણ હાજર હતા. પ્રાયશ્ચિત પૂજા ભગવાન તરફથી ક્ષમા અને યજમાનની શુદ્ધિ માટે છે. રામલલા પાસે તપશ્ચર્યા દ્વારા ક્ષમા માંગવામાં આવી હતી. છીણી, હથોડી અથવા અન્ય કોઈનો ઉપયોગ કરીને મૂર્તિ બનાવતી વખતે તેમને કોઈ ઈજા થઈ હોય તો તે માટે આ માફી માંગવામાં આવે છે. આ પછી કર્મકુટી પૂજા કરાઇ હતીય આ પૂજા પછી જ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલા કાર્યક્રમની શરૂઆત થઇ હતી.

યજમાનને દશવિધી સ્નાન કરાવવામાં આવ્યું હતું

પૂજા બાદ મુખ્ય યજમાન ડો.અનિલ મિશ્ર સરયુ કિનારે પહોંચ્યા હતા જ્યાં તેમને દશવિધિ સ્નાન કરાવવામાં આવ્યું હતું. યજમાનને પહેલા ગૌમૂત્રથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ પછી ગોદુગ્ધા, ગોદધી, ગોઘૃત, કુશોદક, ભસ્મ, માટી અને મધથી સ્નાન કર્યા પછી અંતે સરયુ જળથી સ્નાન કરાવવામા આવ્યું. આ દરમિયાન તપ આરાધના સંબંધિત મંત્રોના જાપ ગૂંજી રહ્યા હતા. ગોદાન વિધિ પણ યજમાન દ્વારા કરવામાં આવી હતી. વિવેક સૃષ્ટિથી શરૂ થયેલી વિધિ હવે બુધવારથી રામજન્મભૂમિ સંકુલમાં કરવામાં આવશે. બુધવારે રામલલાની મૂર્તિ પરિસરમાં પ્રવેશ કરશે અને મૂર્તિનું પરિસરમાં ભ્રમણ કરવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં બનેલા યજ્ઞમંડપમાં અનુષ્ઠાનનો પ્રારંભ થશે.

ડૉ.અનિલ મિશ્ર સાત દિવસ યજમાનની ભૂમિકા ભજવશે

અયોધ્યા રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના મુખ્ય યજમાન ડૉ. અનિલ મિશ્ર છે, જે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય છે. યજમાન તરીકે તેમણે મંગળવારે તપ આરાધનામાં ભાગ લીધો હતો. હવે તે સાત દિવસ સુધી યજમાનની ભૂમિકામાં રહેશે. પવિત્ર વિધિ કરનારા બ્રાહ્મણોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસ, સંઘના વડા મોહન ભાગવત અને ડૉ. અનિલ મિશ્ર સપત્નીક મુખ્ય આયોજન સમયે 22 જાન્યુઆરી હાજર રહેશે. વડાપ્રધાન મોદી ભોગ ધરાવવાની સાથે આરતી કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Accident : વલસાડમાં બાઇક સ્લીપ થઈ જતા યુવકનું મોત, એક ઘાયલAhmedabad Accident : અમદાવાદમાં કારે મહિલાને કચડી નાંખતા મોત, 2 ઘાયલSurendranagar murder : એકલી રહેતા વૃદ્ધાની હત્યા કરી આરોપી દાગીના લૂંટી ફરાર, ગામમાં ચકચારMann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
South Korea Plane Crash: 181 મુસાફરો ભરેલું પ્લેન ક્રેશ, 179 લોકોના મોતની આશંકા,બેની હાલત ગંભીર
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Health Tips: મૂળાની તાસીર ગરમ હોય છે કે ઠંડી? શિયાળામાં ભૂલથી પણ આ વસ્તુઓ સાથે ન કરવું જોઈએ તેનું સેવન
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Watch: યશસ્વી જયસ્વાલે 2 કેચ છોડતા જ કેપ્ટન રોહિત શર્માનો પિત્તો ગયો;મેદાનમાં બતાવ્યું રૌદ્ર સ્વરુપ
Embed widget