શોધખોળ કરો

ભાગલાવાદી નેતાઓના પાસપોર્ટ થશે જપ્ત, ઝેડ સિક્યોરિટી પણ પરત લઈ શકે છે મોદી સરકાર!

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ પર મોદી સરકાર કડક વલણ અપનાવવાનું મન બનાવી લીધું છે. એબીપી ન્યૂઝને સૂત્રો દ્વારા જાણકારી મળી છે કે, તેમના પાસપોર્ટ જપ્ત પણ થઈ શકે છે. ઝેડ સિક્યોરિટી પરત લેવામાં આવી શકે છે. ભાગલાવાદી નેતાઓએ શ્રીનગરમાં મળવા આવેલ સર્વપક્ષીય ટીમની સાતે ખરાબ વર્તન કર્યું હતું. વાતચીતમાં સામેલ પણ થયાન હતા. ત્યાર બાદ મોદી સરકાર કડક વલણ અપનાવવાના મુડમાં છે. સર્વપક્ષીય ટીમને ન મળ્યા હતા ભાગલાવાદી નેતા શ્રીનગરમાં શાંતિ માટે વાતચીત કરવા માટે ગયેલ સર્વપક્ષીય ટીમનીસાથે વાત ન કરીને જમ્મુ કાશ્મીરના ભાગલાવાદી નેતાઓએ સારું નથી કર્યું. ભાગલાવાદી નેતા દરવાજા આવેલ નેતાઓને મળવા માટે પણ તૈયાર થયા ન હતા. સરકારે ભાગલાવાદી નેતાઓના વર્તનને ખરાબ ગણ્યું છે. હવે ભાગલાવાદીને લઈને કડક વલણ અપનાવવામાં મુડમાં છે સરકાર. એબીપી ન્યૂઝના સૂત્રો અનુસાર હવે સરકાર ભાગલાવાદી નેતાઓ પર ગાળીયો વધારે મજબૂત કરશે. પાસપોર્ટ જપ્ત થાય તો પાકિસ્તાન નહીં જઈ શકે ભાગલાવાદી નેતા ભાગલાવાદી નેતાઓના પાસપોર્ટ જપ્ત કરવામાં આવી શકે છે. પાસપોર્ટ રદ્દ થવાની સ્થિતિમાં ભાગલાવાદી નેતા પાકિસ્તાન નહીં જઈ શકે. ભાગલાવાદી હુર્રિયત કોન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાની, યાસીન મલિક અને મીર વાઈસ ઉમર ફારુખને મળતી ઝેડ સિક્યોરિટીની પુરક્ષ પણ પરત ખેંચવામાં આવશે. બેંક ખાતાની પણ તપાસ કરવામાં આવશે. એટલે કે સરકાર તપાસ કરશે કે આમના ખાતામાં રૂપિયા આવે છે ક્યાંથી. જેમની વિરૂદ્ધ કેસ પડતર પડ્યા છે તેની તપાસ પૂરી કરવામાં આવશે. ગિલાનીના પુત્ર નઇમ ગિલાની પર એનઆઈએ ગાળીયો મજબૂત કર્યો સર્વપક્ષીય ટીમના આવતા પહેલા સૈયદ અલી શાહ ગિલાનીના પુત્ર નઈમ ગિલાની પર એનઆઈએએ ગાળીયો મજબૂત કર્યો છે. નઈમ પર આતંકવાદી સંગઠન હિજબુલના સૈયદ સલાઉદીન પાસેથી રૂપિયા લેવાનો આરોપ છે. ભાગલાવાદીઓએ દિલ્હીના સાંસદોનું અપમાન તો કર્યું પરંતુ કોઈ શીખ ન લીધી. સર્વપક્ષીય ટીમના પ્રમુખ અને ગૃહપ્રધાન રાજનાથ સિંહએ કહ્યું પણ હતું કે વાતચીત માટે અમારા દરવાજા જ નહીં પરંતુ રોશનદાન પણ ખુલા છે. તેમ છતાં ભાગલાવાદી દૂર જ રહ્યા. ભાગલાવાદીઓ વિરૂદ્ધ સીએમ મેહબૂબા પણ કડક ભાગલાવાદીઓને વાતચીત માટે આમંત્રણ આપનારી જમ્મુ કાશ્મીરના સીએમ મેહબૂબા મુફ્તીએ પણક કડક વલણ અપનાવ્યું છે. આરોપ લગાવ્યા છે કે, ભાગલાવાદી કાશ્મીર ખીણમાં બાળકોને હિંસા માટે ભડકાવી રહ્યા છે. પરંતુ પોતાના બાળકોને વિદેશમાં અભ્યાસ કરાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં જે કંઈ પણ થયું તેનો અહેવાલ પીએમ મોદીને મળી ચૂક્યો છે અને ત્યાર બાદ જ ભાગલાવાદીઓને પાઠ ભણાવવાનું ઓપરેશન શરૂ થવા જઈ રહ્યું છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા

વિડિઓઝ

Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Embed widget