શોધખોળ કરો

Uttarkashi Cloudburst: ઉત્તરકાશીમાં અઢી કલાકમાં ફાટ્યા ત્રણ વાદળ, જળશક્તિ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે ઉત્તરકાશીમાં અઢી કલાકના સમયગાળામાં ત્રણ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી

ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મંગળવારે ઉત્તરકાશીમાં અઢી કલાકના સમયગાળામાં ત્રણ વાદળ ફાટવાની ઘટનાઓ બની હતી, જેના કારણે ધરાલીમાં ભારે નુકસાન થયું હતું. હર્ષિલ અને ગંગનાની નજીક સુક્કી ટાપ અને આર્મી કેમ્પ હર્ષિલમાં પણ આપત્તિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જાગરણના રિપોર્ટ અનુસાર  જળશક્તિ મંત્રાલય દ્ધારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, વાદળ ફાટવાની પહેલી ઘટના બપોરે 1 વાગ્યે બની હતી, જેના કારણે ખીરગંગા નદી કાદવ અને પાણીથી ભરાઈ ગઈ હતી. તેનાથી 15 રહેણાંક મકાનો નાશ પામ્યા હતા. જ્યારે 6 થી 7 દુકાનોને પણ નુકસાન થયું હતું. ડઝનબંધ લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

વાદળ ફાટવાની બીજી ઘટના બપોરે 3 વાગ્યે હર્ષિલ અને ગંગનાની વચ્ચે સુક્કી ટાપ નજીક બની હતી, જેમાં જાનમાલના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ પછી ત્રીજી ઘટના બપોરે 3:30 વાગ્યે બની હતી, જે હર્ષિલ આર્મી કેમ્પ નજીક બની હતી. જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભાગીરથી નદીનો પ્રવાહ રોકાવાથી બનેલા તળાવને કારણે હર્ષિલ હેલિપેડ પાણીમાં ડૂબી ગયું. ભવિષ્યમાં પણ ચોમાસા દરમિયાન આવી ઘટનાઓ બનતી રહેશે. અત્યાર સુધી વાદળ ફાટવાની ઘટનાઓને રોકવા માટે કોઈ વૈજ્ઞાનિક ઉકેલ શોધાયો નથી, તેથી તકેદારી એ જ એકમાત્ર ઉપાય છે.

આર્યભટ્ટ ઓબ્ઝર્વેશનલ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ARIES) નૈનિતાલના વરિષ્ઠ પર્યાવરણીય વૈજ્ઞાનિક ડૉ. નરેન્દ્ર સિંહ કહે છે કે છેલ્લા દોઢ દાયકાથી વાદળ ફાટવાની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. ધરાલી ટેકરીઓ સીધી અને ખૂબ ઊંચી પણ છે. વાદળો તેમની વચ્ચે અટકી જાય છે. વાદળોમાં વધુ પડતા ભેજને કારણે તે ફાટી જાય છે. આવી પરિસ્થિતિઓ ક્યારેક ક્યારેક જ સર્જાય છે પરંતુ જ્યારે તે બને છે ત્યારે ખતરનાક દ્રશ્ય સામે આવે છે. મંગળવારે ધરાલીમાં આવું જ જોવા મળ્યું. ધરાલી વિસ્તારની ભૌગોલિક રચના વાદળ ફાટવા માટે અનુકૂળ છે.

જો ટેકરીની તળેટીમાં કોઈ વસાહત ન હોત તો જાનમાલનું આટલું નુકસાન ન થયું હોત. ચોમાસુ વાદળ ફાટવામાં મદદ કરે છે અને મોટાભાગની ઘટનાઓ આ સમય દરમિયાન બને છે. પર્વતીય પ્રદેશોમાં ઘણી જગ્યાએ ઊંચા પર્વતો એકબીજાને અડીને આવેલા છે, જે વાદળ ફાટવાની ઘટનાઓને આમંત્રણ આપે છે.

ડૉ. નરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે વાદળ ફાટવાથી બચવા માટે અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક ઉકેલ શોધાયો નથી. તેનાથી રક્ષણ માટે સાવચેત રહેવાની વધુ જરૂર છે. પર્વતોમાં ઘર બનાવતા પહેલા પર્યાવરણીય પરિસ્થિતિઓને પણ ધ્યાનમાં રાખવી પડશે અને ભૌગોલિક પરિસ્થિતિઓને પણ સમજવી પડશે. વાદળ ફાટવાની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવું પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Bapu Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Embed widget