શોધખોળ કરો

History Remark: તોડી-મરોડીને રજુ કરવામાં આવેલા ઈતિહાસને ફરીથી લખતા અમને કોઈ રોકી ના શકે : અમિત શાહ

શાહે કહ્યું હતું કે, મને વારંવાર ફરિયાદો કરવામાં આવે છે કે આપણા ઈતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે, તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ આક્ષેપો સાચા પણ હોઈ શકે છે.

Amit Shah History Remark: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે યુનિફોર્મ સિવિલ કોડ કોડ બાદ વધુ એક મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતું કે 'તોડી-મરોડીને લખવામાં આવેલા ઈતિહાસને સુધારીને તેને ફરીથી લખતા અમને કોઈ ના રોકી શકે. ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓએ ભારતના જુદા જુદા ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300થી વધુ વિભૂતિઓ પર સંશોધન કરી સાચો ઈતિહાસ લખવો જોઈએ.

ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જો લચિત બોરફુકન ન હોત તો પૂર્વોત્તર ભારતનો ભાગ ન હોત કારણ કે જે તે સમયે તેમના દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને તેમની સાહસથી માત્ર પૂર્વોત્તર જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયાને કટ્ટરપંથી આક્રમણકારોથી બચાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, લચિત બોરફુકનની આ બહાદુરી માટે સમગ્ર રાષ્ટ્ર, સભ્યતા અને સંસ્કૃતિ તેમની ઋણી છે. તેઓ અહોમ સામ્રાજ્યના મહાન સેનાપતિ લચિત બોરફૂકનની 400મી જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમને સંબોધિ રહ્યા હતા.

ઈતિહાસને ગૌરવશાળી બનાવી લોકોની સામે લાવવો જોઈએ : શાહ

શાહે આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા વિશ્વ શર્માને પણ અનુરોધ કર્યો હતો કે લચિત બોરફૂકનના પાત્રનું હિન્દી અને દેશની અન્ય 10 ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવે જેથી કરી દેશનો દરેક બાળક તેમના સાહસ અને બલિદાનથી વાકેફ થઈ શકે. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની વર્તમાન સરકાર દેશના ગૌરવ માટે કરવામાં આવતા કોઈપણ પ્રયાસને સમર્થન આપે છે. આપણે ઈતિહાસને તોડી મરોડીને રજુ કરતા વિવાદોમાંથી બહાર આવી તેને ગૌરવશાળી બનાવી સમગ્ર વિશ્વની સામે રજૂ કરવો જોઈએ.

શાહે આ મામલે આગળ કહ્યું હતું કે, મને વારંવાર ફરિયાદો કરવામાં આવે છે કે આપણા ઈતિહાસને વિકૃત કરવામાં આવ્યો છે, તેની સાથે છેડછાડ કરવામાં આવી છે. આ આક્ષેપો સાચા પણ હોઈ શકે છે. પરંતુ તેમને સુધારવાથી કોણ રોકી રહ્યું છે? હવે આપણને સાચો ઈતિહાસ લખતા કોણ રોકી શકે? શાહે ઈતિહાસકારો અને વિદ્યાર્થીઓને ભારતના વિવિધ ભાગોમાં 150 વર્ષથી શાસન કરનારા 30 સામ્રાજ્યો અને દેશની આઝાદી માટે બલિદાન આપનાર 300 થી વધુ મહાન વિભૂતિઓ વિશે ઉંડાણપૂર્વક અધ્યયન કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આમ થવાથી નવો અને સાચો ઈતિહાસ સામે આવશે અને જુઠ્ઠાણા આપોઆપ જ ઈતિહાસમાંથી જુદુ તરી આવશે.

દેશના ઈતિહાસ પર ગર્વ હોવો જોઈએ : શાહ

અમિત શાહે કહ્યું હતું કે, આપણા આઝાદીના ઈતિહાસના નાયકોના બલિદાન અને હિંમતને દેશના ખૂણે ખૂણે લઈ જવાથી આપણી ભાવી પેઢીઓને તેની પ્રેરણા મળશે. જે દેશના લોકો પોતાના ઈતિહાસ પર ગર્વની ભાવના ના અનુંભવે તેઓ ક્યારેય પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકતા નથી. જો દેશનું સોનેરી ભવિષ્ય બનાવવું હોય તો દેશના ઈતિહાસ પર ગૌરવ કરવું ખૂબ જ જરૂરી છે તેમ શાહે કહ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
મોદી કેબિનેટમાં મોટા ફેરફારની તૈયારી: UP અને પંજાબ ચૂંટણી માટે ભાજપનો નવો માસ્ટરપ્લાન
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ATF News: ફ્લાઈટ ખર્ચ પર મોટી રાહત, એરલાઈન્સ હટાવશે ફ્યુઅલ સરચાર્જ, શું ઘટશે ટિકિટના ભાવ?
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
ભગવાન રામનો ખજાનો કોણે ચોર્યો? 1250 સોના-ચાંદીના પથ્થરો ગાયબ થવાનો મોટો આરોપ
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
‘મોદી વહાલા છે પણ...’ ટ્રમ્પે ભારત વિશે એવું શું કહ્યું કે જેનાથી વિવાદ સર્જાયો?
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુ વચ્ચે મહત્વની મુલાકાત: કેબિનેટમાં મોટા ફેરબદલની અટકળો તેજ
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
આવતીકાલનું હવામાનઃ કાલે 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આશંકા, ખેડૂતો અને માછીમારો સાવધાન!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
ચોમાસું કેમ ધીમું પડ્યું? હવામાન વિભાગે આપ્યા 5 મોટા કારણો, ખેડૂતોની ચિંતામાં વધારો!
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી: મુંબઈમાં ભારે વરસાદ, જાણો ગુજરાતમાં ક્યારે આવશે મેઘરાજા
Embed widget