શોધખોળ કરો

WFI: તાજપોશીના ત્રણ દિવસમાં જ સંજયસિંહ સસ્પેન્ડ, કુસ્તી સંઘને રદ્દ કરવા પાછળ રમત મંત્રાલયે શું આપ્યુ કારણ ?

ભારતીય રમત મંત્રાલયે આજે રવિવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા માટે એક મોટો નિર્ણય લીધો છે

WFI Updates: ભારતીય રમત મંત્રાલયે આજે રવિવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા માટે એક મોટો નિર્ણય લીધો છે. રમત મંત્રાલયે સંજયસિંહના નેતૃત્વમાં તાજેતરમાં ચૂંટાયેલા નવા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. સંજયસિંહને ભાજપના સાંસદ વૃજભૂષણ સિંહના નજીકના માનવામાં આવે છે. તેઓ ગુરુવારે જ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. રેસલિંગ એસોસિએશન માટે યોજાયેલી ચૂંટણીમાં તેને 47માંથી 40 વૉટ મળ્યા હતા. જ્યારે તેની હરીફ અને કૉમનવેલ્થ ગેમ્સમાં ગૉલ્ડ મેડલ વિજેતા અનિતા શિયોરાનને માત્ર 7 વૉટ મળ્યા હતા. અનિતાને તે કુસ્તીબાજોનું સમર્થન હતું જેમણે વૃજભૂષણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. સંજયસિંહ આ પહેલા ઉત્તરપ્રદેશ રેસલિંગ એસોસિએશનના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. તે 2019 થી WFIની છેલ્લી એક્ઝિક્યૂટિવ કાઉન્સિલનો ભાગ હતો.

તાજપોશીના ત્રણ દિવસ બાદ જ ઘરભેગા થયા નવા અધ્યક્ષ સંજયસિંહ ?
નવા રેસલિંગ એસોસિએશને તાજેતરમાં ગોંડામાં જૂનિયર નેશનલ ચેમ્પિયનશિપ યોજવાની જાહેરાત કરી હતી. રમત મંત્રાલયે કહ્યું છે કે, આ નિર્ણય 'WFI બંધારણની જોગવાઈઓનું પાલન કર્યા વિના' લેવામાં આવ્યો છે. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ નિવેદનમાં કહ્યું કે, WFIની નવી ચૂંટાયેલી એક્ઝિક્યૂટિવ બૉડી દ્વારા લેવામાં આવેલા નિર્ણયો WFI અને નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ કૉડની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. આવા નિર્ણયો કારોબારી સમિતિ દ્વારા લેવામાં આવે છે, જેની પહેલાં કાર્યસૂચિને વિચારણા માટે મૂકવામાં આવે તે જરૂરી છે. આ નિર્ણયોમાં નવા પ્રમુખની મનસ્વીતા દેખાઈ રહી છે, જે સિદ્ધાંતોની વિરુદ્ધ છે. રમતવીરો, હિતધારકો અને જનતા વચ્ચે વિશ્વાસ કેળવવો મહત્વપૂર્ણ છે.

રમતગમત મંત્રાલયે કહ્યું, એવું લાગે છે કે નવું કુસ્તી એસોસિએશન સંપૂર્ણપણે અગાઉના પદાધિકારીઓના નિયંત્રણ હેઠળ છે, જેમની સામે જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો, રમત સંહિતાની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હતી. એટલું જ નહીં મંત્રાલયે કહ્યું કે, ફેડરેશનનું કામકાજ પૂર્વ પદાધિકારીઓ દ્વારા નિયંત્રિત પરિસરમાંથી ચલાવવામાં આવે છે. આ સંકુલમાં ખેલાડીઓની કથિત જાતીય સતામણીના આરોપો લાગ્યા છે અને હાલમાં કોર્ટ આ કેસની સુનાવણી કરી રહી છે.

સંજયસિંહની જીત બાદ સાક્ષી મલિકે લીધો હતો સન્યાંસ 
સંજયસિંહ પ્રમુખ બન્યા બાદ વિવાદ સતત વધી રહ્યો હતો. રેસલર સાક્ષી મલિકે સંજય સિંહને વૃજભૂષણ સિંહની નજીક ગણાવીને નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાક્ષી મલિકે કહ્યું હતું કે, કુસ્તીબાજોની લડાઈ વૃજભૂષણ સામે હતી. અમે ઇચ્છીએ છીએ કે ફેડરેશન તેને ખતમ કરે, અમે સરકાર સાથે પણ ચર્ચા કરી હતી કે મહિલાને મહાસંઘની અધ્યક્ષ બનાવવામાં આવે. જેથી મહિલા કુસ્તીબાજોના શોષણની ફરિયાદો ના આવે તે માટે સરકારે અમારી માંગણી સ્વીકારવાની ખાતરી પણ આપી હતી, પરંતુ પરિણામ બધાની સામે છે, વૃજભૂષણના જમણા હાથ અને બિઝનેસ પાર્ટનર ફેડરેશનના પ્રમુખ બની ગયા છે. 

પૂનિયાએ લખ્યો હતો પીએમને પત્ર 
આ પછી બજરંગ પૂનિયાએ પણ સંજયસિંહના પ્રમુખ બનવાના વિરોધમાં તેમનું પદ્મશ્રી પરત કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પીએમ મોદીને પત્ર પણ લખ્યો હતો. બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સાથે વૃજભૂષણ સામે મોરચો ખોલનારા કુસ્તીબાજોમાં સામેલ હતા. આ ત્રણેય કુસ્તીબાજોના નેતૃત્વમાં ઘણા કુસ્તીબાજોએ જંતર-મંતર પર વૃજભૂષણનો વિરોધ કર્યો હતો. આ રેસલર્સે વૃજભૂષણ પર મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હી પોલીસે આ મામલે FIR પણ નોંધી છે. રમતગમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજોએ તેમનું પ્રદર્શન સમાપ્ત કર્યું. રમતગમત મંત્રાલયે રેસલિંગ એસોસિએશનના સમગ્ર યૂનિટને વિસર્જન કરી દીધું હતું. આ પછી કુસ્તી સંઘની ચૂંટણી યોજાઈ હતી. ખેલ મંત્રાલયે ખેલાડીઓને ખાતરી આપી હતી કે વૃજભૂષણના પરિવારમાંથી કોઈ પણ ચૂંટણી લડશે નહીં.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા,પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ
અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા,પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ
શું નેપાળમાં ફરી આવી રહી છે રાજાશાહી? ​​જાણો GEN-Z એ કેમ આપી આર્મી હેડક્વાર્ટરને સળગાવી દેવાની ચિમકી
શું નેપાળમાં ફરી આવી રહી છે રાજાશાહી? ​​જાણો GEN-Z એ કેમ આપી આર્મી હેડક્વાર્ટરને સળગાવી દેવાની ચિમકી
Gujarat Lions Death: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 300થી વધુ સિંહના મોત,જાણો અકુદરતી મૃત્યુ રોકવા સરકારે શું લીધા પગલા
Gujarat Lions Death: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 300થી વધુ સિંહના મોત,જાણો અકુદરતી મૃત્યુ રોકવા સરકારે શું લીધા પગલા
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ આસમાને? એક સીટ બુક કરાવવામાં બેંક બેલેન્સ 'ઝીરો' થઈ જશે
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ આસમાને? એક સીટ બુક કરાવવામાં બેંક બેલેન્સ 'ઝીરો' થઈ જશે
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કામદારના જીવનની કિંમત 'કોડી'ની?
Hun To Bolish : હું તો બોલીશ : ભર'પૂર' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાતના ખેડૂત કેમ દુઃખી?
Rahul Gandhi : રાહુલ ગાંધી ફરી આવશે ગુજરાત, જિલ્લા પ્રમુખોને આપશે માર્ગદર્શન, જુઓ અહેવાલ
Geniben Thakor : ગેનીબેનे CM સાથે મુલાકાત કરી પૂરગ્રસ્ત બનાસકાંઠા માટે 1 હજાર કરોડના પેકેજની માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા,પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ
અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિની ઘાતકી હત્યા,પત્ની અને પુત્રની સામે ધડથી માથું કર્યું અલગ
શું નેપાળમાં ફરી આવી રહી છે રાજાશાહી? ​​જાણો GEN-Z એ કેમ આપી આર્મી હેડક્વાર્ટરને સળગાવી દેવાની ચિમકી
શું નેપાળમાં ફરી આવી રહી છે રાજાશાહી? ​​જાણો GEN-Z એ કેમ આપી આર્મી હેડક્વાર્ટરને સળગાવી દેવાની ચિમકી
Gujarat Lions Death: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 300થી વધુ સિંહના મોત,જાણો અકુદરતી મૃત્યુ રોકવા સરકારે શું લીધા પગલા
Gujarat Lions Death: રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 300થી વધુ સિંહના મોત,જાણો અકુદરતી મૃત્યુ રોકવા સરકારે શું લીધા પગલા
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ આસમાને? એક સીટ બુક કરાવવામાં બેંક બેલેન્સ 'ઝીરો' થઈ જશે
IND vs PAK: ભારત-પાકિસ્તાન મેચની ટિકિટનો ભાવ આસમાને? એક સીટ બુક કરાવવામાં બેંક બેલેન્સ 'ઝીરો' થઈ જશે
Aaj Nu Rashifal:: આજે પિતૃ પક્ષનો છઠ્ઠો દિવસ, મેષથી લઈને મીન રાશિ માટે આજનો દિવસ રહેશે ખાસ
Aaj Nu Rashifal:: આજે પિતૃ પક્ષનો છઠ્ઠો દિવસ, મેષથી લઈને મીન રાશિ માટે આજનો દિવસ રહેશે ખાસ
1200 કરોડનું રાહત પેકેજ, મૃતકોના પરિવારને 2 લાખ, ઉત્તરાખંડ માટે PM મોદીની મોટી જાહેરાત
1200 કરોડનું રાહત પેકેજ, મૃતકોના પરિવારને 2 લાખ, ઉત્તરાખંડ માટે PM મોદીની મોટી જાહેરાત
Historical Mysteries: ફિરૌનની લાશનું રહસ્ય શું છે,કેવી રીતે હજારો વર્ષ પછી પણ છે સુરક્ષિત!
Historical Mysteries: ફિરૌનની લાશનું રહસ્ય શું છે,કેવી રીતે હજારો વર્ષ પછી પણ છે સુરક્ષિત!
'રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે ભારત નહીંતર...', અમેરિકી મંત્રી હૉવર્ડ લુટનિકે ફરી આપી ધમકી
'રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે ભારત નહીંતર...', અમેરિકી મંત્રી હૉવર્ડ લુટનિકે ફરી આપી ધમકી
Embed widget