શોધખોળ કરો

Amit Shah Speech: અમિત શાહે લોકસભામાં કોંગ્રેસ પર કર્યો વાર, નેહરુની ભૂલોને કારણે PoK બન્યું'

અમિત શાહે કહ્યું કે, "જો વોટ બેંકનો વિચાર કર્યા વિના શરૂઆતથી જ આતંકવાદનો સામનો કરવામાં આવ્યો હોત તો કાશ્મીરી પંડિતોને ઘાટી છોડવી ન પડી હોત."

Amit Shah Speech: અમિત શાહ જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અને અનામત બિલ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી એવા નેતા છે જે ગરીબો અને પછાત લોકોનું દર્દ જાણે છે.

જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અને આરક્ષણ બિલ પર લોકસભામાં ચર્ચાનો જવાબ આપતાં ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સંશોધન બિલ 70 વર્ષથી અવગણના અને અપમાનિત થયેલા તમામ લોકોને ન્યાય આપવા માટે લાવવામાં આવ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે કેટલાક લોકોને લેખિત ભાષણ આપવામાં આવે છે અને તેઓ છ મહિના સુધી તે જ ભાષણ વારંવાર વાંચતા રહે છે. તેઓ ઈતિહાસ જોતા નથી.

અમિત શાહે કહ્યું કે, દેશભરમાં લગભગ 46,631 પરિવારો અને 1,57,967 લોકો જમ્મુ-કાશ્મીરમાંથી હિજરત કરવા મજબૂર થયા હતા, સરકાર તેમને ન્યાય આપવા માટે બિલ લાવી છે. તેમણે કહ્યું કે, "જો વોટ બેંકનો વિચાર કર્યા વિના શરૂઆતથી જ આતંકવાદનો સામનો કરવામાં આવ્યો હોત તો કાશ્મીરી પંડિતોને ઘાટી છોડવી ન પડી હોત."

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે નેહરુની ભૂલોના કારણે પીઓકેની રચના થઈ હતી. અમિત શાહે કહ્યું કે, પંડિત નેહરુ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બે મોટી ભૂલો થઈ હતી, જેના કારણે કાશ્મીરને વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) નો જન્મ થયો હતો.

ગૃહમંત્રીએ કહ્યું, "કેટલાક લોકોએ તેને ઓછું કરવાનો પ્રયાસ પણ કર્યો. હું તે બધાને કહેવા માંગુ છું કે, જો આપણામાં થોડી પણ સહાનુભૂતિ હોય, તો આપણે જોવું જોઈએ કે, નામ સાથે આદર જોડાયેલ છે."

કોંગ્રેસ પર નિશાન સાધ્યું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, કેટલાક લોકોને લેખિત ભાષણ આપવામાં આવે છે અને તેઓ છ મહિના સુધી તે જ ભાષણ વારંવાર વાંચતા રહે છે. તેઓ ઈતિહાસ જોતા નથી.

અમિત શાહે કહ્યું કે, "પછાત વર્ગ આયોગને 70 વર્ષથી બંધારણીય માન્યતા આપવામાં આવી ન હતી, નરેન્દ્ર મોદી સરકારે પછાત વર્ગ આયોગને બંધારણીય માન્યતા આપી હતી." એટલું જ નહીં, મોદી સરકારે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને 10 ટકા અનામત પણ આપ્યું.

'કોંગ્રેસે પછાત વર્ગનો વિરોધ કર્યો'

તેમણે કહ્યું, "કાકા કાલેલકરના રિપોર્ટને હોલ્ડ પર રાખવામાં આવ્યો હતો. મંડલ કમિશનનો રિપોર્ટ લાગુ કરવામાં આવ્યો ન હતો અને જ્યારે તે અમલમાં આવ્યો ત્યારે રાજીવ ગાંધીએ તેનો વિરોધ કર્યો હતો. પછાત વર્ગનો સૌથી મોટો વિરોધ કોંગ્રેસ પાર્ટી તરફથી થયો છે."

કાશ્મીરમાં એક કાંકરો પણ ખસ્યો નથી

અમિત શાહે કહ્યું, 'કેટલાક લોકો કહેતા હતા કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ લોહીની નદીઓ વહી જશે, ત્યાં એક કાંકરો પણ નહીં ખસ્યો.' તેમણે કહ્યું કે 1980 પછી આતંકવાદનો યુગ આવ્યો. અને તે ભયાનક હતું. જે લોકો આ જમીનને પોતાનો દેશ માનતા હતા તેઓને હાંકી કાઢવામાં આવ્યા હતા અને કોઈએ તેમની પરવા કરી ન હતી. આને રોકવા માટે જવાબદાર લોકો ઈંગ્લેન્ડમાં રજાઓ માણી રહ્યા હતા."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget