શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

Jamnagar: દીકરીની ડોલી ઉઠે એ પહેલાં જ પિતાની અર્થી ઉઠી, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી 

જામનગરનો નવાગામ ઘેડ વિસ્તાર  જ્યાં કાળજું કંપાવનારી ઘટના બની છે. દીકરીની ડોલી ઉઠે એ પહેલાં જ પિતાની અર્થી ઉઠી છે. વાત એમ છે કે, નરોત્તમભાઈ રાઠોડની 3 દીકરીઓ પૈકી મોટી દીકરીના લગ્ન હતા.

જામનગર: જામનગરનો નવાગામ ઘેડ વિસ્તાર  જ્યાં કાળજું કંપાવનારી ઘટના બની છે. દીકરીની ડોલી ઉઠે એ પહેલાં જ પિતાની અર્થી ઉઠી છે. વાત એમ છે કે, નરોત્તમભાઈ રાઠોડની 3 દીકરીઓ પૈકી મોટી દીકરીના લગ્ન હતા.  આવતીકાલે જ જાન આવવાની હતી.  જો કે, દીકરીના લગ્નના ઠીક એક દિવસ પહેલાં નરોત્તમભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આજે વહેલી સવારે ઘરથી થોડે દૂર નિર્માણાધીન એક મકાનમાં જઈ નરોત્તમભાઈએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 

પરિવારમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી.  હાલ તો મોતનું કારણ જાણી શકાયું નથી. પોલીસને કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આત્મહત્યાનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.

 

વેરાવળના નામાંકિત ડોક્ટરની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર

વેરાવળના નામાંકિત ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના તબીબ ડો.જલ્પાન રુપાપરાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.  પોસ્ટમાં અતુલ ચલ રુપિયાને લઈને ચિંતામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજથી 8 થી 10 મહિના પહેલા અતુલ ચગ સાથે વાત થઈ હતી તેમ ડોક્ટર જલ્પાને લખ્યું છે. ડોક્ટર રુપાપરાએ દાવો કર્યો છે કે, ડોક્ટર અતુલ ચગને નારણ ચુડાસમા પાસેથી 2થી 2.5 કરોડ રુપિયા લેવાના હતા. નારણ ચૂડાસમા અને રાજેશ ચૂડાસમા રુપિયા આપતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજકીય પીઠબળ હોવાથી બંને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન

 ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે.  તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.  ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે,  ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.

શું કહ્યું પરિમલ નથવાણીએ?

પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.  ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં ઐતિહાસિક જીત બાદ હવે ભાજપનો મુખ્યમંત્રી કોણ? સુવેન્દુ અધિકારી સહિત આ નામો છે રેસમાં
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
કેરળ ચૂંટણી 2026: 10 વર્ષ બાદ UDF ની શાનદાર વાપસી, જંગી જીત પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
IPL 2026: નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, સૂર્યવંશીને છોડ્યો પાછળ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
Embed widget