શોધખોળ કરો

Jamnagar: દીકરીની ડોલી ઉઠે એ પહેલાં જ પિતાની અર્થી ઉઠી, ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી 

જામનગરનો નવાગામ ઘેડ વિસ્તાર  જ્યાં કાળજું કંપાવનારી ઘટના બની છે. દીકરીની ડોલી ઉઠે એ પહેલાં જ પિતાની અર્થી ઉઠી છે. વાત એમ છે કે, નરોત્તમભાઈ રાઠોડની 3 દીકરીઓ પૈકી મોટી દીકરીના લગ્ન હતા.

જામનગર: જામનગરનો નવાગામ ઘેડ વિસ્તાર  જ્યાં કાળજું કંપાવનારી ઘટના બની છે. દીકરીની ડોલી ઉઠે એ પહેલાં જ પિતાની અર્થી ઉઠી છે. વાત એમ છે કે, નરોત્તમભાઈ રાઠોડની 3 દીકરીઓ પૈકી મોટી દીકરીના લગ્ન હતા.  આવતીકાલે જ જાન આવવાની હતી.  જો કે, દીકરીના લગ્નના ઠીક એક દિવસ પહેલાં નરોત્તમભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આજે વહેલી સવારે ઘરથી થોડે દૂર નિર્માણાધીન એક મકાનમાં જઈ નરોત્તમભાઈએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 

પરિવારમાં લગ્ન પ્રસંગ માતમમાં ફેરવાયો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી.  હાલ તો મોતનું કારણ જાણી શકાયું નથી. પોલીસને કોઈ સુસાઈડ નોટ પણ મળી નથી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આત્મહત્યાનું કારણ જાણવા પ્રયાસ શરૂ કર્યા છે.

 

વેરાવળના નામાંકિત ડોક્ટરની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર

વેરાવળના નામાંકિત ડો. અતુલ ચગની આત્મહત્યા મામલે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના તબીબ ડો.જલ્પાન રુપાપરાની પોસ્ટ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે.  પોસ્ટમાં અતુલ ચલ રુપિયાને લઈને ચિંતામાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજથી 8 થી 10 મહિના પહેલા અતુલ ચગ સાથે વાત થઈ હતી તેમ ડોક્ટર જલ્પાને લખ્યું છે. ડોક્ટર રુપાપરાએ દાવો કર્યો છે કે, ડોક્ટર અતુલ ચગને નારણ ચુડાસમા પાસેથી 2થી 2.5 કરોડ રુપિયા લેવાના હતા. નારણ ચૂડાસમા અને રાજેશ ચૂડાસમા રુપિયા આપતા ન હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે. રાજકીય પીઠબળ હોવાથી બંને જવાબ આપતા ન હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આપ્યું મોટું નિવેદન

 ડો. અતુલ ચગના આપઘાત મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે આ મામલે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ તટસ્થ તાપસની માંગ કરી છે.  તેમણે ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે.  ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી ઈચ્છા પરિમલ નથવાણીએ વ્યક્ત કરી છે. નોંધનીય કે,  ડો. અતુલ ચગએ આત્મહત્યા માટે રાજકીય આગેવાનનું નામ સુસાઈડ નોટમાં લખ્યું હોવાની વાત સામે આવી છે. જો કે, પોલીસે આ મામલે કોઈ ઓફિશયલ જાહેરાત કરી નથી.

શું કહ્યું પરિમલ નથવાણીએ?

પરિમલ નથવાણી ટ્વિટર પર લખ્યું કે, જે સંજોગોમાં ડો. અતુલ ચગને આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છેઃ હું તેમના પરિવારને શોક સંવેદના પાઠવું છું.  ગિર સોમનાથ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય એવા નિષ્ણાત અને અનુભવી ડો. અતુલ ચગની આત્મહત્યાના સમાચાર ખૂબ જ આઘાત જનક છે. જે સંજોગોમાં તેમણે આપઘાત કરવો પડ્યો તે અત્યંત દુઃખદ છે. તેઓ એક ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા. કોવિડના સમયમાં પણ તેમણે માનવતાવાદી અભિગમ દર્શાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. લોહાણા સમાજમાં તો તેઓ અગ્રણી, સમાજોપયોગી અને લોકપ્રિય વ્યક્તિ હતા જ, પરંતુ ગિર સોમનાથ જિલ્લામાં પણ તેમણે વ્યાપક લોકચાહના ઊભી કરી હતી. આ દુઃખદ સમયમાં હું ડો. અતુલ ચગના પરિવારજનોને મારી શોક સંવેદના પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે સદ્દગત આત્માને ચિર શાંતિ પ્રદાન કરે અને શોક સંતપ્ત પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ અર્પે. સ્વ. ડો. અતુલ ચગની સ્યુસાઇડ નોટ અને તેમની આત્મહત્યાને અનુલક્ષીને આ મામલે ગહન તપાસ થાય તેવી લાગણી વ્યક્ત કરું છું અને માનનીય ગૃહ મંત્રીને આ અંગે ખાસ વિનંતી કરું છું. - પરિમલ નથવાણી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે

વિડિઓઝ

Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો
FSSAI Issues Warning : 'ગ્રીન ટી','હર્બલ ટી'ને હવે 'ચા'નહીં કહી શકાય, FSSAIએ જાહેર કરી નવી ગાઈડલાઈન
Gujarat recognized Tiger State: 33 વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર બન્યુ ટાઇગર સ્ટેટ, NTCAએ કરી જાહેરાત
Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
UPI થી ખોટો એકાઉન્ટમાં મોકલ્યા પૈસા ? ગભરાશો નહીં! બસ 5 મિનિટમાં આ રીતે કરો રિકવરી, જાણો પ્રોસેસ
UPI થી ખોટો એકાઉન્ટમાં મોકલ્યા પૈસા ? ગભરાશો નહીં! બસ 5 મિનિટમાં આ રીતે કરો રિકવરી, જાણો પ્રોસેસ
EPF માંથી પૈસા ઉપાડવા હવે એકદમ સરળ! 2026 માં આવશે નવી ઓનલાઈન પ્રોસેસ, જાણો ડિટેલ્સ 
EPF માંથી પૈસા ઉપાડવા હવે એકદમ સરળ! 2026 માં આવશે નવી ઓનલાઈન પ્રોસેસ, જાણો ડિટેલ્સ 
બદામને કેટલા કલાક સુધી પાણીમાં પલાળીને રાખવી, રોજ ખાવાથી શરીરમાં શું થાય ?
બદામને કેટલા કલાક સુધી પાણીમાં પલાળીને રાખવી, રોજ ખાવાથી શરીરમાં શું થાય ?
Embed widget