શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ શહેરમાં રાષ્ટ્રપિતા ગાંધીજીના હત્યારા ગોડસેની પ્રતિમા મૂકવા નિર્ણય, જાણો કઈ તારીખે સ્થાપનનું એલાન ?

બુધવારે મળેલી બેઠકમાં હિન્દુ સેનાના 8 સભ્યો હાજર રહ્યા હતા. જેમણે નથુરામ ગોડસેના જીવનચરિત્ર પર ચર્ચા કરી હતી. યુવાનોમાં જોમ અને જુસ્સો લાવવા માટે ગોડસેની પ્રતિમા મૂકવાનો નિર્ણય કરાયો છે.

જામનગરઃ મહાત્મા ગાંધીજીના હત્યારા નથુરામ ગોડસેની પ્રતિમા જામનગરમાં મુકવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવાતા ખળભળાટ મચી ગયો છે. આ વિવાદાસ્પદ નર્ણય હિન્દુ સેના દ્વારા લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગાંધીજીની હત્યામાં 15મી નવેમ્બરે ફાંસી નથુરામ ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. પ્રતિમા સ્થાપન માટેની પહેલી બેઠક બુથવારે રાત્રે જામનગરમાં દ્વારકાધીશ મંદિરમાં મળી હતી. 

 

બુધવારે મળેલી બેઠકમાં હિન્દુ સેનાના 8 સભ્યો હાજર રહ્યા હતા. જેમણે નથુરામ ગોડસેના જીવનચરિત્ર પર ચર્ચા કરી હતી. યુવાનોમાં જોમ અને જુસ્સો લાવવા માટે ગોડસેની પ્રતિમા મૂકવાનો નિર્ણય કરાયો હોવાનું હિન્દુ સેનાના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટે જણાવ્યું હતું. હિન્દુ સેનાએ આગામી 15 નવેમ્બર 2021ના રોજ નથુરામ ગોડસેની પુણ્યતિથિ નિમિત્તે જામનગરમાં તેમની પ્રતિમા સ્થાપિત કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. 

 

બેઠકમાં ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, સૌરાષ્ટ્ર યુવા પ્રમુખ મયૂર પટેલ, રાજદીપ ગોહિલ, ભાવેશ ઠુંમર, યોગેશ અમરેલિયા, ધીરેન નંદા સહિતના સૈનિકોએ હોંશભેર જવાબદારી સંભાળી હતી. નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવા માટે સૌરાષ્ટ્રભરમાંથી 30 સૈનિકોની વિશેષ કમિટી બનાવીને બધાને અલગ અલગ જવાબદારી સોંપાઇ છે. 

 

15મી નવેમ્બરે ગોડસેજીની પ્રતિમા સ્થાપિત કરાયા એ પહેલા વિવિધ માધ્યમો દ્વારા તે અંગેનો માહોલ ઉભો કરાશે  તેમજ રાષ્ટ્ર તેમજ ધર્મ પ્રત્યેની તેમની વિચારધારાથી સમાજને જાગૃત કરાશે. જામનગરમાં પ્રતિમા ક્યાં સ્થાપિત કરવી તે હવે નક્કી થશે. બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે,  પ્રશાસન આમાં અવરોધ ઉભો કરશે તો ખાનગી જગ્યામાં પ્રતિમા મુકાશે.  

ગુજરાતમાં મુસાફરી કરતાં પહેલા વાંચી લો આ સમાચારઃ કયા રસ્તા છે બંધ? કયા રૂટ પર એસટી બસ નહીં જાય?

 

ગાંધીનગરઃ અત્યારે તમે ગુજરાતમાં ક્યાંય મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોય, તો આ સમાચાર તમારા માટે છે. મુસાફરીમાં જતાં પહેલા આ સમાચાર વાંચી લેજો નહીંતર મુશ્કેલી પડી શકે છે. રાજ્યમાં વરસાદ અને ખરાબ રસ્તાને કારણે 36 એસટી ટ્રીપ બંધ કરવી પડી છે. તો બીજી તરફ વરસાદને કારણે રાજ્યના 20 રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેમાં 3 સ્ટેટ હાઈવેનો પણ સમાવેશ થાય છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ, અમરેલી અને પોરબંદર સ્ટેટ હાઈવે બંધ છે. 

 

ગુજરાત એસટી દ્વારા 6 રૂટ પરની 36 ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢના 5અને પોરબંદરના એક એસટીના રૂટ બંધ કરવામાં આવ્યા છે. જેમાં જૂનાગઢ રૂટની 30, પોરબંદર રૂટની 2 અને જામનગર રૂટની 4 બસ બંધ છે. જ્યારે રાજ્યમાં કુલ 20 રસ્તા બંધ છે. જેમાં પોરબંદર સ્ટેટ હાઈવે પણ ભારે વરસાદને કારણે બંધ થયો છે. તો 16 પંચાયત હસ્તકના માર્ગો બંધ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

વિડિઓઝ

Gujarat Heatwave: હજુ 7 દિવસ સહન કરવુ પડશે તાપનું ટોર્ચર: હવામાન વિભાગની આગાહી
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Rajkot News: રાજકોટ કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂ સાથે ઝડપાયો
Heat Wave Alert: દેશમાં કાળઝાળ ગરમીનો કહેર, 28 મે સુધી હવામાન વિભાગની મોટી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
પાકિસ્તાનની ક્વેટામાં રેલવે ટ્રેક પાસે ભયંકર બ્લાસ્ટ, BLAનું ટ્રેન ઉડાવવાનું કાવતરૂં, 26નાં મોત, 70 ઇજાગ્રસ્ત
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
બકરી ઈદ પહેલાં મદનીની મોટી અપીલ, ગાયને 'રાષ્ટ્રીય પ્રાણી' જાહેર કરવા કરી માંગ, મુસ્લિમ સંગઠનો થયા એકજૂથ
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી
Kanchan Ganga Glacier Breaks: બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં પર તૂટ્યું ગ્લેશિયર , મચી ગઇ નાસભાગ
Kanchan Ganga Glacier Breaks: બદ્રીનાથ ધામ પાસે કંચન ગંગામાં પર તૂટ્યું ગ્લેશિયર , મચી ગઇ નાસભાગ
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ
Embed widget