શોધખોળ કરો

Devayat Khavad: લોક ગાયક દેવાયત ખવડની વધશે મુશ્કેલી, જાણો કેસમાં શું થયો નવો ખુલાસો

Rajkot News: પોલીસે કરેલી તપાસમાં CCTV ફૂટેજ સહિતના જે પુરાવા મળ્યા છે એમાં દેવાયત ખવડ મયૂરસિંહની ઓફિસ નજીક રેકી કરી બાદમાં હુમલો કર્યાનું સ્પષ્ટ થયું છે.

Rajkot News: રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં 20 દિવસ પૂર્વે મયૂરસિંહ રાણા નામના યુવક પર ખૂની હુમલો કરવાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે કરેલી તપાસમાં CCTV ફૂટેજ સહિતના જે પુરાવા મળ્યા છે એમાં દેવાયત ખવડ મયૂરસિંહની ઓફિસ નજીક રેકી કરી બાદમાં હુમલો કર્યાનું સ્પષ્ટ થતાં પોલીસે આ કેસમાં પૂર્વયોજિત કાવતરાની કલમ 120 (B)નો ઉમેરો કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે કોર્ટમાં જે રીપોર્ટ સબમીટ કર્યો છે. તેમાં આરોપી દેવાયત ખવડ અને તેના બે સાગરીતોએ ભોગ બનનાર મયુરસિંહની ઓફિસ પાસે રેકી કરવામાં આવી હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ બાબતના પોલીસને CCTV ફૂટેજ પણ મળ્યાં છે. જ્યારે દેવાયતના રિમાન્ડ ચાલુ હતાં ત્યારે પોલીસે પણ કાવતરા અંગે પુછપરછ કરી હતી પરંતુ તેણે પોલીસને આ બાબતે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. હવે દેવાયત અને તેના સાથીઓ જેલ હવાલે છે ત્યારે પોલીસે વધુ પુરાવા એકત્રિત કરવા માંડ્યાં છે.

દેવાયત ખવડ મયુરસિંહ રાણા પર હૂમલો કરીને ફરાર થઈ ગયો હતો. ત્યાર બાદ ભોગ બનનાર મયુરસિંહના પરિવારે પોલીસ સામે દેવાયત સામે કાર્યવાહી નહીં થતી હોવાના આક્ષેપો કર્યા હતાં. તે ઉપરાંત ક્ષત્રિય સમાજે પણ રાજકોટ પોલીસ કમિશ્નરની મુલાકાત કરીને દેવાયત ખવડની ધરપકડ કરવા માટે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અંતે મામલો વડાપ્રધાન કાર્યાલયમાં પહોંચતાં દેવાયત રાજકોટ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો અને ત્યાર બાદ તેના બે સાગરીતો પણ હાજર થયાં હતાં. પોલીસે તેમને કોર્ટમાં રજુ કરીને જામીન માંગતાં કોર્ટે જામીન મંજુર કર્યાં હતાં. હવે તેઓ જેલ હવાલે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Devayatbhai khavad (@devayatkhavad_official)

ધ્રાંગધ્રામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડની તસવીર સળગાવીને કરાયો હતો વિરોધ

થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડની તસવીરને સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટમાં ધોળા દિવસે ક્ષત્રિય સમાજના મૂળ કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાને જીવલેણ હુમલો કર્યો હતો. યુવક પર હુમલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા દેવાયત ખવડની તસવીરને સળગાવવામાં આવી હતી. ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો પ્રોગ્રામ નહિ કરવા દેવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હુમલો કરનાર લોક કલાકારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડે હુમલો કરેલો વ્યક્તિ મયુરસિંહ રાણા મૂળ ધ્રાંગધ્રાના કોઢ ગામનો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Onion Price : ડુંગળીના ભાવે ખેડૂતોને રડાવ્યા, મણે કેટલા છે ભાવ?Paresh Goswami : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પરેશ ગોસ્વામીની આગાહીJunagadh Crime : ભેસાણમાં ખૂદ પિતાએ દીકરી પર દુષ્કર્મ ગુજારતા ખળભળાટ, પતિની ધરપકડJasdan Hostel : વિદ્યાર્થીઓ સાથે આંબરડીની હોસ્ટેલના ગૃહપતિ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
લક્ષણો વિના કિડનીને નુકસાન પહોંચાડી રહ્યું છે બ્લડ પ્રેશર, નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
UAN નંબર વિના જાણી શકશો પોતાના PF એકાઉન્ટનું બેલેન્સ, જાણો સરળ રીત
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Weather: બેવડી ઋતુમાં મોટી આગાહી, આજે સૌરાષ્ટ્ર-ગુજરાતના આ ભાગોમાં થશે માવઠું
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Rajkot: શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો, શાળાની હોસ્ટેલના ગૃહપતિએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ
Embed widget