શોધખોળ કરો

સુરત લોકસભા બેઠક બિન હરીફ જાહેર થઈ શકે છે, ભાજપની જીત નિશ્ચિત છેઃ સૂત્ર

મળતી માહિતી પ્રમાણે હાલમાં ભાજપ સિવાય માત્ર એક ઉમેદવાર બાકી છે. અપક્ષ સહિત ૮ ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફૉર્મ પરત ખેચ્યા છે.

Surat Lok Sabha Election: સુરત લોકસભા બેઠકને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સુરત બેઠક બિન હરીફ જાહાર થાય થઈ શકે છે. અપક્ષ સહિત ૮ ઉમેદવારો એફિડેવિટ રજૂ કરી છે. કલેકટર દ્વારા સત્તવાર બપોર બાદ જાહેરાત કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે હાલમાં ભાજપ સિવાય માત્ર એક ઉમેદવાર બાકી છે. અપક્ષ સહિત ૮ ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફૉર્મ પરત ખેચ્યા છે. હવે માત્ર 1 ઉમેદવાર ફોર્મ પરત ખેચવાના બાકી છે. થોડી વારમાં એક ઉમેદવાર સુરત કલેકટર પહોંચશે.

લોકસભા 26 બેઠકો પર ઉમેદવારી પત્રક ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રાજ્યની લોકસભાની 26 અને વિધાનસભા પેટાચૂંટણીની પાંચ બેઠકો પરના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે. ત્યારે સૌથી ચર્ચીત સુરત લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે. સુરત લોકસભા બેઠકની ચૂંટણીમાં ઝંપલાવનાર 15 ઉમેદવારો પૈકી ફોર્મ ચકાસણી દરમિયાન છ ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બાદ કરતા આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ આઠમાંથી કેટલાક ઉમેદવારો આજે ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા છે.

નોંધનીય છે ક, છેલ્લા બે દિવસથી રાજ્યમાં સુરત લોકસભા બેઠક પર વિવાદ શરૂ થયો છે, કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ એક એફિડેવિટમાં દાવો કર્યો હતો કે, કુંભાણીના ઉમેદવારી પત્રકમાં ટેકેદાર તરીકેની સહી તેમની નથી. આ પછી સુરત બેઠક પર હાઇ વૉલ્ટેડ ડ્રામા શરૂ થયો હતો, જોકે, કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ્દ થઇ ગયુ છે, હવે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા બે દિવસથી અહીં હાઇ વૉલ્ટેડ ડ્રામા ચાલી રહ્યો હતો.

શું છે સમગ્ર મામલો

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી વિવાદમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ સહી અમારી  નથી. આથી નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મૂકાઇ છે અને તેમના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે  નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ  વ્યકત કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો.  આજે આ સમગ્ર મામલે સુનાવણી થતાં સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઇ છે.   આખરે ટેકેદારની સહીના વિવાદ બાદ ચૂંટણી અધિકારીએ કૉંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી સાથે ડમી ઉમેદવાર સુરેશ પડસાળાનું ફોર્મ પણ અમાન્ય રાખ્યું છે,ફોર્મ અમાન્ય થતા કૉંગ્રેસ હાઈકોર્ટના દ્વાર  ખખડાવશે

શક્તિસિંહ ગોહિલે આ મામલે ભાજપ પર આ મામલે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપે 18 કૉંગ્રેસ ઉમેદવાર ફોર્મમાં વાધો ઉઠાવ્યો છે. સુરત ઉમેદવાર નિલેશ કુભાણી ખરીદવાના નું અને દબાણ લાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ ચૂંટણી લડવા માટે મકકમ હતા પરંતુ  તેના  ટેકેદારોએ  સામ દામ દંડ ભેદથી  એફિડેવિડમાં સહી નથી કરી.  શક્તિ સિંહ ગોહિલે આરોપ લગાવતા કહ્યું કે, "Bjp ચૂંટણી પારદર્શિતાથી થાય તો હારી જાય છે"                                                     

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો
Gujarat Rain: સુરતમાં ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યૂ, ખાડીના પાણીના વહેણમાં તણાયેલા યુવકને બચાવ્યો
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Kim River Overflow: વાલિયા-નેત્રંગમાં મુશળધાર વરસાદથી કીમ નદીનું રૌદ્ર સ્વરૂપ, કીમ-કોસંબા રોડ ગરકાવ
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને
Purna River: પૂર્ણા નદી બે કાંઠે થતાં નવસારી જિલ્લામાં દોઢ લાખ લોકો પ્રભાવિત, NDRF અને SDRF મેદાને
Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો
Valsad Rain: વલસાડમાં મેઘતાંડવ, જિલ્લાના 365 રસ્તાઓ બંધ, મુંબઈ-અમદાવાદ ટ્રેન વ્યવહાર ખોરવાયો

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'
Embed widget