શોધખોળ કરો

Uddhav Thackeray News: UBTના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત નાદુરસ્ત, હોસ્પિટલમાં દાખલ

Uddhav Thackeray News:શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સોમવારે સવારે ચેકઅપ માટે રિલાયન્સ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી

Uddhav Thackeray News:શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી નથી. સોમવારે (14 ઓક્ટોબર) સવારે 8 વાગ્યાથી રિલાયન્સ હોસ્પિટલમાં  તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતુ. અહીં, ઉદ્ધવ ઠાકરેએ તેમના હૃદયમાં બ્લોકેજના નિદાન માટે  એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી.

ઉદ્ધવ ઠાકરેની નજીકની વ્યક્તિએ કહ્યું કે, દશેરા રેલીથી શિવસેના યુબીટી ચીફની તબિયત સારી ન હતી. આ પછી, સોમવારે (14 ઓક્ટોબર) તેમને ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે તપાસ બાદ જાણવા મળ્યું કે, તેના હૃદયમાં બ્લોકેજ છે. આ પહેલા વર્ષ 2012માં પણ ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

ઉદ્ધવ ઠાકરેએ દશેરાની રેલીમાં  ભાજપ અને એકનાથ શિંદે પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે શિવસેનાની તાકાત અને તેના સિદ્ધાંતો વિશે વાત કરી. ઠાકરેએ તેમના સમર્થકોનો આભાર માન્યો અને દાવો કર્યો કે કેન્દ્ર સરકાર શિવસેનાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેઓ અડગ રહેશે.

પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં દશેરા રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ ગૌમૂત્રની પાર્ટી છે અને તેઓએ શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે શિવસૈનિકોના કારણે જ તેઓ આજે પણ ઉભા છે. ઠાકરેએ કહ્યું કે ભાજપે શિવસેનાને ખતમ કરવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને તમામ એજન્સીઓ તેમની પાછળ છે, પરંતુ શિવસૈનિક તેમની પડખે ઉભા છે. ઠાકરેએ કહ્યું કે તેઓ ભાજપને જડબાતોડ જવાબ આપશે.

એકનાથ શિંદે પર પણ નિશાન સાધ્યું હતું

ઠાકરેએ, અહીં શિવાજી પાર્ક ખાતે તેમની પાર્ટીની વાર્ષિક દશેરા રેલીને સંબોધિત કરતી વખતે, એકનાથ શિંદેને ઉગ્રતાથી નિશાન બનાવ્યા. તેમણે કહ્યું કે શિંદેએ અખબારમાં એક જાહેરાત આપી છે જેમાં લખ્યું છે કે 'હિંદુત્વ અમારો શ્વાસ છે, મરાઠી અમારું જીવન છે'. ઠાકરેએ કહ્યું કે શિંદે ખોટું બોલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે 'હિંદુત્વ અમારો શ્વાસ છે, મરાઠી અમારું જીવન છે, અદાણી અમારું જીવન છે.

ભાગવતના નિવેદન પર પણ સવાલ
ઠાકરેએ આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાગવતે કહ્યું હતું કે હિંદુઓએ પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. ઠાકરેએ પૂછ્યું કે જ્યારે કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર છે તો પછી હિન્દુઓ કેમ જોખમમાં છે? તેમણે કહ્યું કે જો હિંદુઓ જોખમમાં છે તો મોદીનો શું ફાયદો?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતની 53 હજાર આંગણવાડી બહેનો થશે હાઈટેક: CM ભૂપેન્દ્ર પટેલ આપશે મોટી ભેટ, જાણો કોને-ક્યારે મળશે લાભ
ગુજરાતની 53 હજાર આંગણવાડી બહેનો થશે હાઈટેક: CM ભૂપેન્દ્ર પટેલ આપશે મોટી ભેટ, જાણો કોને-ક્યારે મળશે લાભ
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ઓલ ટાઈમ હાઈથી ચાંદી 2.11 લાખ અને સોનું 55,000 સસ્તું! જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: ઓલ ટાઈમ હાઈથી ચાંદી 2.11 લાખ અને સોનું 55,000 સસ્તું! જાણો લેટેસ્ટ ભાવ
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર

વિડિઓઝ

BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
Ahmedabad Police | અમદાવાદ જિલ્લાના દુર્ગી ગામે થયેલા પોલીસ પર હુમલા બાદ પોલીસ આવી એક્શનમાં
Gujarat Unseasonal Rain : ખેડૂતો માટે માઠા સમાચાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠું: અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
ભરઉનાળે માવઠાની આફત: ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ખેડૂતોના જીવ અધ્ધર
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
પાકિસ્તાનમાં તેલ સંકટથી હાહાકાર: શાહબાઝ સરકાર લગાવશે 'સ્માર્ટ લોકડાઉન', દુકાનો-હાઈવે બંધ અને લગ્નો પર પણ પ્રતિબંધ!
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
ગુજરાત PSI ભરતી: શારીરિક કસોટી પૂર્ણ, લેખિત પરીક્ષાની તારીખ જાહેર, નોંધી લો આ શિડ્યુલ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
સોનું 2,100 રૂપિયા મોંઘું થયું, ચાંદીમાં પણ 11,250 રૂપિયાની તેજી, જાણો આજનો લેટેસ્ટ રેટ
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
1 એપ્રિલથી ગેસ સિલિન્ડરનો ભાવ વધશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સરકારનો મોટો ખુલાસો
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
Mann Ki Baat: મિડિલ ઈસ્ટ સંકટને લઈને PM મોદીએ આપી ચેતવણી, જાણો પેટ્રોલ-ડીઝલ અંગે શું કહ્યું?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
'No Kings' આંદોલનથી હચમચી ગયું અમેરિકા; ઈરાન યુદ્ધ વચ્ચે લાખો લોકો ઉતર્યા રસ્તા પર, શું ખતરામાં છે ટ્રમ્પની ખુરશી?
Embed widget