શોધખોળ કરો

Uddhav Thackeray News: UBTના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત નાદુરસ્ત, હોસ્પિટલમાં દાખલ

Uddhav Thackeray News:શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સોમવારે સવારે ચેકઅપ માટે રિલાયન્સ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી

Uddhav Thackeray News:શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી નથી. સોમવારે (14 ઓક્ટોબર) સવારે 8 વાગ્યાથી રિલાયન્સ હોસ્પિટલમાં  તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતુ. અહીં, ઉદ્ધવ ઠાકરેએ તેમના હૃદયમાં બ્લોકેજના નિદાન માટે  એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી.

ઉદ્ધવ ઠાકરેની નજીકની વ્યક્તિએ કહ્યું કે, દશેરા રેલીથી શિવસેના યુબીટી ચીફની તબિયત સારી ન હતી. આ પછી, સોમવારે (14 ઓક્ટોબર) તેમને ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેણે કહ્યું કે તપાસ બાદ જાણવા મળ્યું કે, તેના હૃદયમાં બ્લોકેજ છે. આ પહેલા વર્ષ 2012માં પણ ઉદ્ધવ ઠાકરેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

ઉદ્ધવ ઠાકરેએ દશેરાની રેલીમાં  ભાજપ અને એકનાથ શિંદે પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે શિવસેનાની તાકાત અને તેના સિદ્ધાંતો વિશે વાત કરી. ઠાકરેએ તેમના સમર્થકોનો આભાર માન્યો અને દાવો કર્યો કે કેન્દ્ર સરકાર શિવસેનાને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેઓ અડગ રહેશે.

પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં દશેરા રેલીમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ ગૌમૂત્રની પાર્ટી છે અને તેઓએ શિવસેનાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે શિવસૈનિકોના કારણે જ તેઓ આજે પણ ઉભા છે. ઠાકરેએ કહ્યું કે ભાજપે શિવસેનાને ખતમ કરવા માટે પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અને તમામ એજન્સીઓ તેમની પાછળ છે, પરંતુ શિવસૈનિક તેમની પડખે ઉભા છે. ઠાકરેએ કહ્યું કે તેઓ ભાજપને જડબાતોડ જવાબ આપશે.

એકનાથ શિંદે પર પણ નિશાન સાધ્યું હતું

ઠાકરેએ, અહીં શિવાજી પાર્ક ખાતે તેમની પાર્ટીની વાર્ષિક દશેરા રેલીને સંબોધિત કરતી વખતે, એકનાથ શિંદેને ઉગ્રતાથી નિશાન બનાવ્યા. તેમણે કહ્યું કે શિંદેએ અખબારમાં એક જાહેરાત આપી છે જેમાં લખ્યું છે કે 'હિંદુત્વ અમારો શ્વાસ છે, મરાઠી અમારું જીવન છે'. ઠાકરેએ કહ્યું કે શિંદે ખોટું બોલી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે 'હિંદુત્વ અમારો શ્વાસ છે, મરાઠી અમારું જીવન છે, અદાણી અમારું જીવન છે.

ભાગવતના નિવેદન પર પણ સવાલ
ઠાકરેએ આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાગવતે કહ્યું હતું કે હિંદુઓએ પોતાની સુરક્ષા માટે એક થવું પડશે. ઠાકરેએ પૂછ્યું કે જ્યારે કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર છે તો પછી હિન્દુઓ કેમ જોખમમાં છે? તેમણે કહ્યું કે જો હિંદુઓ જોખમમાં છે તો મોદીનો શું ફાયદો?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ સ્કવૉડની ટીમોએ શરૂ કરી તપાસ
અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ સ્કવૉડની ટીમોએ શરૂ કરી તપાસ
Weather Forecast :ભરશિયાળે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લામાં માવઠાનું એલર્ટ
Weather Forecast :ભરશિયાળે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લામાં માવઠાનું એલર્ટ
IND vs NZ 2nd T20: જીત છતાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11? બીજી ટી-20માં કોને કરાશે બહાર
IND vs NZ 2nd T20: જીત છતાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11? બીજી ટી-20માં કોને કરાશે બહાર
શેરબજારમાં આજે નફો કમાવવાની મળી શકે છે તક, આ શેર્સ પર રોકાણકારોની રહેશે નજર
શેરબજારમાં આજે નફો કમાવવાની મળી શકે છે તક, આ શેર્સ પર રોકાણકારોની રહેશે નજર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રિવોલ્વર રાખવાનો શોખ ન રાખતા
Hun To Bolish : હું તો બોલીશ : વાહનમાં ચમકતી LED નહીં
Hun To Bolish : હું તો બોલીશ : 'SIR'નો ફરીથી વિવાદ
Shankaracharya Avimukteshwaranand : વસંત પંચમી પર શ્નાન કરવા નહીં જવાની શંકરાચાર્યની જાહેરાત
Gujarat Weather : ગુજરાતમાં અહીં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ સ્કવૉડની ટીમોએ શરૂ કરી તપાસ
અમદાવાદની સ્કૂલોને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડોગ સ્કવૉડની ટીમોએ શરૂ કરી તપાસ
Weather Forecast :ભરશિયાળે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લામાં માવઠાનું એલર્ટ
Weather Forecast :ભરશિયાળે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લામાં માવઠાનું એલર્ટ
IND vs NZ 2nd T20: જીત છતાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11? બીજી ટી-20માં કોને કરાશે બહાર
IND vs NZ 2nd T20: જીત છતાં બદલાશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11? બીજી ટી-20માં કોને કરાશે બહાર
શેરબજારમાં આજે નફો કમાવવાની મળી શકે છે તક, આ શેર્સ પર રોકાણકારોની રહેશે નજર
શેરબજારમાં આજે નફો કમાવવાની મળી શકે છે તક, આ શેર્સ પર રોકાણકારોની રહેશે નજર
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
'પુતિને યુદ્ધ રોકવું પડશે નહીં તો...', ઝેલેન્સકી સાથે મુલાકાત બાદ ડૉનાલ્ડ ટ્રમ્પની રશિયાને ચેતવણી 
મોબાઈલથી કેવી રીતે ચેક કરશો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી, ક્યારે આવશે 22મો હપ્તો?
મોબાઈલથી કેવી રીતે ચેક કરશો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓની યાદી, ક્યારે આવશે 22મો હપ્તો?
WHOમાંથી અલગ થયું અમેરિકા, જિનેવા હેડક્વાર્ટરમાંથી હટાવ્યો પોતાનો ધ્વજ
WHOમાંથી અલગ થયું અમેરિકા, જિનેવા હેડક્વાર્ટરમાંથી હટાવ્યો પોતાનો ધ્વજ
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
વસ્તી ગણતરી 2027 માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યું, અધિકારી પૂછશે 33 પ્રશ્નો, જાણો તમામ વિગતો
Embed widget