શોધખોળ કરો

પીએમ મોદીના કાર્યક્રમમાં આ ખાસ વ્યક્તિને મળ્યું આમંત્રણ, 13 મહિના રહ્યા હતા જેલમાં

પીએમ મોદીએ પાવાગઢ ખાતે ધ્વજારોહણ કરી હવે થોડીવારમાં વડોદરા આવી પહોંચશે. પ્રધાનમંત્રી આજે વડોદરામાં કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ જનતાને આપશે. ત્યારે આ પ્રસંગે અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

PM Modi Gujarat Visit: પીએમ મોદીએ પાવાગઢ ખાતે ધ્વજારોહણ કરી હવે થોડીવારમાં વડોદરા આવી પહોંચશે. પ્રધાનમંત્રી આજે વડોદરામાં કરોડો રૂપિયાના વિકાસકામોની ભેટ જનતાને આપશે. ત્યારે આ પ્રસંગે અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બધા મહાનુભવોમાં એક વ્યક્તિ ખાસ છે અને એ છે પીએમ મોદી સાથે આરએસએસમાં રહેલા ડો.ભોગીભાઈ પટેલ. પીએમ મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા ડો.ભોગીભાઈ પટેલને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

1979 માં આર.એસ.એસ પ્રચારક તરીકે નરેન્દ્ર મોદી સાથે ડો ભોગીભાઈએ વડોદરા, સુરત, ભરૂચ, જામનગર, સોજીત્રા, પેટલાદ, વેરાવળ, ઝનોરમાં કામ કર્યું હતું. 1 જુલાઈ 1965 માં આર.એસ.એસ માં જોડાનાર ડો ભોગીભાઈની તત્કાલીન પીએમ મોદી સાથે અનેક જુની યાદો છે. 1975માં કટોકટી સમયે તેઓ 13 મહિના ને 13 દિવસ જેલમાં રહ્યા હતા. તેઓ વડોદરા અને અમદાવાદની જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત દિપક પંડ્યા પણ હાજર રહેશે, જેઓ 2013થી પી.એ તરીકે નરેન્દ્ર મોદી સાથે કામ કરતા હતા.

PM મોદીએ કહ્યુ- 'સદીઓ બાદ પાવાગઢ મંદિર પર શિખર ધ્વજ ફરક્યો'

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતના તિર્થોમાં આજે શાંતિ, સુવિધા અને સમુદ્ધિ છે. ગુજરાતના રક્ષા કવચ તરીકે કામ કરતું એક શક્તિ ચક્ર છે. બનાસકાંઠામાં મા અંબાજી, પાવાગઢમાં મા મહાકાળી, ચોટીલામાં મા ચામુંડા, ભાવનગર પાસે ખોડિયાર માતાજી, મહેસાણા પાસે બહુચર માતાજી, ઉંઝામાં ઉમિયાધામ છે. પંચમહાલ મહાન ગાયકોની ધરતી છે. પાવાગઢ 24 કલાક વીજળીની જ્યોતિગ્રામ યોજનાનું સાક્ષી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે સદીઓ બાદ પાવાગઢ મંદિર પર શિખર ધ્વજ ફરક્યો છે. સદીઓ અને યુગ બદલાઇ પરંતુ આસ્થાનુ શિખર સર્વોચ્ચ રહે છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. કેદારધામ અને કાશીમાં  પણ ભવ્ય મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે.  સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસનું ઉત્તમ ઉદાહરણ છે.

મા મહાકાળીના ચરણોમાં બેસીને આશીર્વાદ મેળવ્યા: મોદી

લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મા મહાકાળીના ચરણોમાં બેસીને આશીર્વાદ મેળવ્યા છે. સપનું જ્યારે સંકલ્પ બને અને સંકલ્પ જ્યારે સિદ્ધિ બને ત્યારે તેનો આનંદ અનેરો હોય છે. આ ક્ષણ પ્રેરણા અને ઉર્જા આપનારી છે. ગુપ્ત નવરાત્રી અગાઉ મહાકાળીનું આ મંદિર દિવ્યરૂપમાં દર્શન આપી રહ્યું છે.

માતા હીરાબાના આશીર્વાદ લઇને વડાપ્રધાન મોદી પાવાગઢ પહોંચ્યા હતા. અહી તેઓ મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કરશે 137 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યો કરવામા આવ્યા છે. પરિસરના પ્રથમ અને બીજા માળે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. શિખરને નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરાયું છે. જીર્ણોદ્વારનું કાર્ય 12 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતાજીના આંસુનું સત્ય શું?Hun To Bolish | હું તો બોલીશ | શું લાગે છે રાજકોટમાં?Lok Sabha Election 2024 | વાઘાણીએ AAP ઉમેદવારની થબથબાવી પીઠ, ભગવત માન સાથે મિલાવ્યા હાથLok Sabha Election 2024 | ભરુચમાં ચૈતર વસાવા સામે બળવો? કોંગ્રેસના 2 નેતાએ ઉપાડ્યા ફોર્મ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
રામ નવમી પર બેંગલુરુમાં માંસનું નહીં થાય વેચાણ, હૈદરાબાદમાં શોભાયાત્રામાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, અયોધ્યામાં આવી રહેશે વ્યવસ્થા
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
Ram Navmi 2024: રામ નવમી પર રામલલાને 4 મિનિટ સુધી થશે સૂર્ય તિલક, જાણો શું હોય છે સૂર્ય તિલક અને કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
IPL 2024: સુનીલ નારાયણે કરિયરની ફટકારી પ્રથમ સદી, KKR માટે સદી મારનારો ત્રીજો બેટ્સમેન
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Gandhinagar: બ્રાઝિલના રાજદૂત કેનેથ એચ. દા નોબ્રેગા મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, એગ્રીકલ્ચર સહિત આ દિશામાં આગળ વધવાની દર્શાવી તત્પરતા
Chaitra Navratri 2024: નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીને અર્પણ કરો આ વસ્તુ  
Chaitra Navratri 2024: નવરાત્રિના અંતિમ દિવસે માં સિદ્ધિદાત્રીને અર્પણ કરો આ વસ્તુ  
Nail Biting:  નખ ચાવવાની આદત છે ખતરનાક, જાણો શું છે નુકસાન, કેવી રીતે છુટશે આ Bad Habit
Nail Biting: નખ ચાવવાની આદત છે ખતરનાક, જાણો શું છે નુકસાન, કેવી રીતે છુટશે આ Bad Habit
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
Chhattisgarh Naxal Encounter: છત્તીસગઢના કાંકેરમાં 15 નક્સલી ઠાર, એન્કાઉન્ટરમાં 3 જવાન જખ્મી
ગુજરાતમા  AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
ગુજરાતમા AAPના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, સુનીતા કેજરીવાલનો પણ કરાયો સમાવેશ
Embed widget