શોધખોળ કરો

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના વોરિયર યુવકનું કોરોનાની રસી અપાયાના બે કલાકમાં નિધન, પરિવારે કર્યો શું આક્ષેપ ?

વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી દરમિયાન રસી અપાયાના બે કલાકમાં જ એક સફાઈ કર્મચારીનું મોત થયાની ઘટના નોંધાઈ છે.

વડોદરાઃ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં કોરોના વોરિયર્સને રસી આપવાની કામગીરી દરમિયાન રસી અપાયાના બે કલાકમાં જ એક સફાઈ કર્મચારીનું મોત થયાની ઘટના નોંધાઈ છે. જાણીતી ગુજરાતી વેબસાઈટના અહેવાલ પ્રમાણે, વડોદરાના વોર્ડ નંબર 9માં કામ કરતા સફાઇ કર્મચારી જીજ્ઞેશ સોલંકીનું કોરોનાની રસી મૂક્યાના બે કલાક બાદ મોત નિપજ્યું હતું. સોલંકીના પરિવારજનોએ રસીના કારણે મોત થયાનો આક્ષેપ કરીને સયાજી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. વડોદરાની સયાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. રંજન ઐયરે જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે કોરોનાની રસીના કારણે મોત થયું હોવાનું જણાતું નથી પણ પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે. તેમણે કહ્યું કે. મૃતક યુવાને 2016માં હૃદયરોગની સારવાર શહેરની હાર્ટ હોસ્પિટલમાં લીધી હતી અને એન્જિયોપ્લાસ્ટી પણ કરાવી હતી. જો કે તેમણે જે દવાઓ લેવાની હતી તે નહોતી લીધી. તેમના પરિવારે હોસ્પિટલ તંત્ર સામે આક્ષેપ કર્યાં છે તેથી પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ સ્વૈચ્છિક રીતે જ રસી લે છે અને કોઇને જબરદસ્તી કરવામાં આવતી નથી. વડોદરા શહેરના વડસર ખાતે આવેલી ઓમ રેસિડેન્સીમાં રહેતા જીજ્ઞેશ પ્રવિણભાઇ સોલંકી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં સફાઈ કર્મચારી તરીકેનું કામ કરતા હતા. તેમનાં મોતથી પત્નિ અને બે પુત્રી નોંધારાં થઈ ગયાં છે. મૃતક જિજ્ઞેશભાઇનાં પત્ની દિવ્યાબેને આક્ષેપ કર્યો કે, મારા પતિને આજે વોર્ડ નંબર 9ની કચેરીથી જ બારોબાર કોરોના રસી મૂકવા માટે લઇ ગયા હતા. રસી મૂકાયા બાદ તેઓ ઘરે પરત ફર્યાં હતા અને સ્નાન કર્યાં બાદ તેમને અચાનક ખેંચ આવી હતી. તેમનું બોલવાનું બંધ થઈ જતાં તત્કાલિક તેમેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પણ તેમનું મોત નિપજ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Embed widget