શોધખોળ કરો

કેનેડાના બ્રૈમ્પટનમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને બનાવ્યું નિશાન, શ્રદ્ધાળુઓ સાથે કરી મારપીટ

કેનેડામાં ફરી એકવાર એક હિન્દુ મંદિર અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો છે.

કેનેડામાં ફરી એકવાર એક હિન્દુ મંદિર અને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓએ હુમલો કર્યો છે. ખાલિસ્તાનીઓએ બ્રૈમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો. હિન્દુ ફોરમ કેનેડાએ તેના એક્સ હેન્ડલ પર આ સમગ્ર ઘટનાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં ખાલિસ્તાની હાથમાં પીળા ઝંડા લઈને મંદિર પરિસરમાં હંગામો મચાવતા જોવા મળે છે. આ વીડિયોમાં કેટલાક ખાલિસ્તાની હિન્દુ શ્રદ્ધાળુઓ પર લાકડીઓથી હુમલો કરતા જોઈ શકાય છે.

 

હિંદુ ફોરમ કેનેડાએ X પર આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, 'ખૂબ જ વિચલિત કરનારી તસવીરો. ખાલિસ્તાનીઓએ બ્રૈમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો છે. આ અસ્વીકાર્ય છે.' HFC એ આ પોસ્ટમાં બ્રૈમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉન, સ્થાનિક પોલીસ, ઑન્ટારિયો કેપ્રીમિયર ડગ ફોર્ડ અને વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોને પણ ટેગ કર્યા છે.  ટ્રુડોના વહીવટીતંત્ર દરમિયાન કેનેડામાં ખાલિસ્તાનીઓને આપવામાં આવી રહેલી આશ્રયનો મુદ્દો ભારત સતત ઉઠાવતું રહ્યું છે.

ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ બ્રૈમ્પટનમાં હિન્દુ સભા મંદિર પર થયેલા હુમલા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ હદ વટાવી દીધી છે. બ્રૈમ્પટનમાં હિંદુ સભા મંદિરના પરિસરમાં હિંદુ-કેનેડિયન શ્રદ્ધાળુઓ પર ખાલિસ્તાનીઓનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદ કેટલો વધી ગયો છે. મને લાગવા લાગ્યું છે કે એ રિપોર્ટ્સમાં કંઈક સત્ય છે કે કેનેડાની રાજકીય વ્યવસ્થા ઉપરાંત ખાલિસ્તાનીઓએ અસરકારક રીતે આપણી કાયદા અમલીકરણ એજન્સીઓમાં ઘૂસણખોરી કરી છે. અભિવ્યક્તિની આઝાદીના નામે ખાલિસ્તાની ઉગ્રવાદીઓને કેનેડામાં મુક્તિ મળી રહી છે એમાં કોઈ નવાઈ નથી. હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે, આપણા સમુદાયની સલામતી માટે હિંદુ-કેનેડિયનોએ આગળ આવવું પડશે અને તેમના અધિકારો માટે લડવું પડશે અને રાજકારણીઓને જવાબદાર ઠેરવવા પડશે.

કેનેડાની સંસદમાં વિપક્ષના નેતા પિયરે પોઈલિવરે પણ આ હુમલાની સખત નિંદા કરી છે. તેમણે પોસ્ટ કર્યું હતું કે  'બ્રૈમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં ભક્તોને નિશાન બનાવતી હિંસા સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. તમામ કેનેડિયનોને તેમની આસ્થા અને ધર્મનું શાંતિપૂર્વક પાલન કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ. કન્ઝર્વેટિવ પાર્ટી આ હિંસાને સ્પષ્ટપણે વખોડે છે. હું આ અરાજકતા સામે લોકોને એક કરીશ અને તેનો અંત લાવીશ.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'બ્રૈમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં હિંસાની ઘટનાઓ અસ્વીકાર્ય છે. દરેક કેનેડિયનને તેનો ધર્મ અને માન્યતા મુક્તપણે અને સુરક્ષિત રીતે પાળવાનો અધિકાર છે. હું પોલીસને ઘટનાસ્થળે લોકોની સલામતીનું રક્ષણ કરવા અને આ ઘટનાની તપાસ કરવા માટે ઝડપી પ્રતિક્રિયા આપવા બદલ આભાર માનું છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચીને અમેરિકાને આપ્યો મોટો ઝટકો,  US ની 20 કંપનીઓ પર લગાવ્યો પ્રતિબંધ, ટ્રંપના ટેન્શનમાં વધારો!
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, સતત પાંચમાં દિવસે ભાવ આસમાને, શું હજુ પણ ભાવમાં થશે વધારો?
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
52 વર્ષ જૂના સુભાષબ્રિજનું વર્તમાન સ્ટ્રક્ચરને તોડવાનો નિર્ણય, 250 કરોડના ખર્ચે બંને બાજુ નવા બ્રિજ બનશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય, કોર્ટનો આદેશ - વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
Aadhaar card: તમે મફતમાં ઘરે બેઠા બદલી શકશો આધારકાર્ડમાં સરનામું, જાણી લો શું છે પ્રોસેસ
Embed widget