શોધખોળ કરો

India Canada Relations: PM મોદીના કેનેડા પ્રવાસમાં મોટી સફળતા, આ મોટું કામ કરશે બંન્ને દેશો

India Canada Relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે

India Canada Relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત અને કેનેડા એકબીજાના દેશો માટે હાઇ કમિશનરોની નિમણૂક કરશે. બંને દેશોના નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી બંને વડાપ્રધાનો નવા હાઇ કમિશનરોની નિમણૂક કરવા સહમત થયા હતા. બંને દેશો વચ્ચેના તૂટેલા સંબંધોને સુધારવા માટે આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

જી-7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ ભારત-કેનેડા સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની તેમની મુલાકાતમાં બંને દેશો વચ્ચે બગડેલા સંબંધોને સુધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવાની વાત થઈ હતી. આ મુલાકાતમાં બંને નેતાઓએ પરસ્પર આદર, કાયદાના શાસન અને સાર્વભૌમત્વના સિદ્ધાંતો પર આધારિત સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

સૌથી મોટી જાહેરાત બંને દેશોમાં નવા હાઇ કમિશનરોની નિમણૂક પર કરાર હતો. તાજેતરના વર્ષોમાં ખાલિસ્તાન મુદ્દા અને અન્ય વિવાદોને કારણે બંને દેશોએ પોતપોતાના હાઇ કમિશનરોને પાછા બોલાવ્યા હતા. હવે આ નિર્ણય નાગરિકો અને વ્યવસાયો માટે નિયમિત સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો માર્ગ ખોલશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ આ બેઠકને સકારાત્મક અને રચનાત્મક ગણાવી છે. આમાં સંબંધોમાં સ્થિરતા લાવવા માટે નક્કર પગલાં લેવા સંમતિ સધાઈ હતી.

વેપાર વાટાઘાટો ટૂંક સમયમાં શરૂ થશે

ભારત-કેનેડા દ્વિપક્ષીય વેપાર 2023-24માં લગભગ 9 બિલિયન ડોલર હતો અને નિષ્ણાતો માને છે કે તે બમણો કે ત્રણ ગણો થવાની સંભાવના છે. આ પગલું બંને દેશોના આર્થિક સહયોગને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

મોદી અને કાર્નીએ નજીકના ભવિષ્યમાં ફરી મળવાની પણ યોજના બનાવી છે, જેથી આ પ્રગતિને વધુ વેગ મળી શકે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ મુલાકાત ભારતની વૈશ્વિક રાજદ્વારીને મજબૂત બનાવવા અને વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકાને વધુ સક્રિય બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

કેનેડાની પોતાની મુલાકાતનું સમાપન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે G-7 સમિટમાં વૈશ્વિક મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. તેમણે સફળ સંગઠન માટે કેનેડાના લોકો અને સરકારનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ મુલાકાતથી ભારત-કેનેડા સંબંધોમાં હૂંફ તો આવી જ, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની વધતી જતી વિશ્વસનીયતા પર પણ ભાર મૂકવામાં આવ્યો. બંને દેશો હવે એક નવી શરૂઆત તરફ આગળ વધી રહ્યા છે જે પરસ્પર સહયોગ અને વિશ્વાસ પર આધારિત હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Embed widget