શોધખોળ કરો

India Rescue Operation: સુદાનથી રેસ્ક્યૂ કરાયેલા 360 ભારતીય નાગરિક દિલ્હી પહોંચ્યા, ઓપરેશન કાવેરી માટે PM મોદીનો માન્યો આભાર

જેદ્દાહથી 360 ભારતીયોને લઈને વિમાન લગભગ 9 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચ્યું હતું

Operation Kaveri: ગૃહયુદ્ધ વચ્ચે સુદાનમાંથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે સરકાર ભારતીય સેનાની મદદથી બચાવ અભિયાન ચલાવી રહી છે. આ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે (24 એપ્રિલ)ના રોજ માહિતી આપી હતી કે યુદ્ધમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે સરકાર દ્વારા ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવ્યું છે. હવે આ અંતર્ગત ફ્લાઇટ 360 મુસાફરો સાથે દિલ્હી પહોંચી છે.

બુધવારે (26 એપ્રિલ), જેદ્દાહથી 360 ભારતીયોને લઈને વિમાન લગભગ 9 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર પહોંચ્યું હતું. આ પહેલા કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને માહિતી આપી હતી કે વિમાન જેદ્દાહથી  રવાના થઇ ચૂક્યું છે. ભારતીયો જલ્દી જ તેમના પરિવારના સભ્યોને મળી શકશે. વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ટ્વીટ કર્યું કે ભારત તેમના નાગરિકોનું સ્વાગત કરે છે. ઓપરેશન કાવેરી હેઠળ 360 ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી પહોંચી હતી.

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો

બુધવારે રાત્રે ભારત આવેલી ફ્લાઈટમાં ઉત્તરાખંડના 10 લોકોને પણ પાછા લાવવામાં આવ્યા હતા. નવી દિલ્હી પહોંચતા આ 10 લોકોનું ઉત્તરાખંડના નિવાસી કમિશનર અજય મિશ્રા અને સહાયક પ્રોટોકોલ અધિકારી અમર બિષ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં સુનીલ સિંહ, વિનોદ નેગી, પ્રવીણ નેગી, અનિલ કુમાર, શીશપાલ સિંહ, અંકિત બિષ્ટ, જુનૈદ ત્યાગી, જુનેદ અલી, ઇનાયત ત્યાગી અને સલમા ત્યાગીનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે સરકાર સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે.

કયા રાજ્યમાંથી કેટલા મુસાફરો?

સુદાનથી સાઉદી અરેબિયા થઈને ભારત આવતા મુસાફરોની રાજ્યવાર વિગતો આપવામાં આવી છે. જેમાં આસામમાં 3, બિહાર 98, છત્તીસગઢ 1, દિલ્હી 3, હરિયાણા 24, હિમાચલ પ્રદેશ 22, ઝારખંડ 6, મધ્ય પ્રદેશ 4, ઓડિશા 15, પંજાબ 22, રાજસ્થાન 36, ઉત્તર પ્રદેશ 116, ઉત્તરાખંડ 10 અને પશ્ચિમ બંગાળમાંથી 22નો સમાવેશ થાય છે. સુદાનથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું, "ભારત સરકારે અમારો ઘણો સાથ આપ્યો. આ એક મોટી વાત છે કે અમે સુરક્ષિત રીતે અહીં પહોંચ્યા કારણ કે તે ખૂબ જ ખતરનાક હતું. હું પીએમ મોદી અને ભારત સરકારનો આભાર માનું છું."

આ સિવાય ભરત નામના એક નાગરિકે કહ્યું હતું કે  "હું ભારત સરકારનો આભાર માનું છું. સાઉદી અરેબિયાએ પણ સારું કામ કર્યું છે. સારી વ્યવસ્થા માટે હું પીએમ નરેન્દ્ર મોદી અને ડૉ. એસ જયશંકરને સલામ કરું છું."

સુદાનમાં આશરે 3,000 ભારતીયો છે

સુદાનમાં લગભગ 3,000 ભારતીયો છે. સુદાનની રાજધાની ખાર્તુમમાં અનેક સ્થળોએથી ભારે લડાઈના અહેવાલો સાથે સુદાનમાં સુરક્ષાની સ્થિતિ અસ્થિર છે. છેલ્લા 10 દિવસથી અહીં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચેની ભીષણ લડાઈમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (21 એપ્રિલ) એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે યોજનાઓ તૈયાર કરવા સૂચના આપી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
આધાર કાર્ડ અસલી છે કે નકલી, ઓળખવાની આ છે સૌથી સરળ રીત
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
બાયોડેટા રાખો તૈયાર: આ IT કંપની હજારો લોકોને આપશે નોકરી, ટૂંક સમયમાં ભરતી શરૂ થશે
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Indian Army: ભારતીય સેનાએ ખોલી રાહુલ ગાંધીના દાવાની પોલ, જાણો વિગત
Embed widget