શોધખોળ કરો

UNGA: 'એ દિવસો ગયા જ્યારે કેટલાક દેશો એજન્ડા નક્કી કરતા હતા અને...', સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલ્યા વિદેશમંત્રી એસ.જયશંકર

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી જયશંકરે આતંકવાદ સામે ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું.

S Jaishankar Speech At UNGA: ખાલિસ્તાની આતંકવાદીઓના મુદ્દે કેનેડાના વલણને કારણે ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલી તંગ પરિસ્થિતિ વચ્ચે મંગળવારે (26 સપ્ટેમ્બર) વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓ પર સીધો અને મજબૂત સંદેશ આપ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી જયશંકરે આતંકવાદ સામે ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ કે હિંસાની પ્રતિક્રિયાનો આધાર બની શકે નહીં.વિદેશ મંત્રીએ વૈશ્વિક સમુદાયને નિયમો આધારિત આદેશ અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવા પણ આહ્વાન કર્યું હતું. તે જ સમયે, વિદેશ મંત્રીએ દેશોને અન્યના આંતરિક મામલામાં દખલ ન કરવા પણ આહ્વાન કર્યું હતું.ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ અને ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે જયશંકરની આ ટિપ્પણીઓને બંને દેશો પર હુમલા તરીકે જોવામાં આવી રહી છે.

'આતંકવાદ સામેની પ્રતિક્રિયા રાજકીય સગવડથી નક્કી ન થવી જોઈએ'

તેમના સંબોધન દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું હતું કે  "માર્કેટના પાવરનો ઉપયોગ ભોજન અને એનર્જીને જરૂરિયાતમંદોમાંથી શ્રીમંતોમાં સ્થાનાંતરિત કરવા માટે ન થવો જોઈએ. આપણે એ વાતને પણ સમર્થન ના આપવું જોઇએ કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા પર પ્રતિક્રિયાઓ નક્કી કરે.

શું છે ભારત-કેનેડા વિવાદ?

ગયા અઠવાડિયે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો. જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો હતો પરંતુ તેની પાસે કેનેડાની નાગરિકતા હતી.

ટ્રુડોના આરોપો પછી ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેમના આરોપોને વાહિયાત, પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. ભારતે કહ્યું કે ટ્રુડોની સરકારે હજુ સુધી તેના દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કર્યા નથી. આ વિવાદને કારણે ભારત અને કેનેડાએ રાજદ્વારી સ્તરે પગલાં લીધા છે અને સંબંધો તણાવપૂર્ણ થયા છે.

ભારતને UNSCમાં કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની હિમાયત

સ્થાયી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના સમાવેશની ભારપૂર્વક હિમાયત કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે તે દિવસો પૂરા થઈ ગયા છે જ્યારે કેટલાક દેશો એજન્ડા નક્કી કરે છે અને અન્ય લોકો પણ તેની સાથે આવે તેવી અપેક્ષા રાખે છે.

જયશંકરે G20 ના પ્રમુખપદ દરમિયાન ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવતા અને આફ્રિકન યુનિયનને જૂથમાં સામેલ કરવા તરફ ધ્યાન દોર્યું અને કહ્યું હતું કે , "સંયુક્ત રાષ્ટ્રને સુધારણાના આ મહત્વપૂર્ણ પગલાથી પ્રેરણા મળવી જોઇએ. સુરક્ષા પરિષદને સમકાલીન બનાવવા માટે પણ પ્રેરણા લેવી જોઈએ.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
મેહુલ ચોક્સીને બેલ્જિયમની સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો: પ્રત્યાર્પણ સામેની અરજી ફગાવી, હવે ભારત લાવવાનો માર્ગ મોકળો
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: કટકમાં ટીમ ઈન્ડિયાનો 'વટ', આફ્રિકાને 101 રને ધૂળ ચટાડી; હાર્દિકની તોફાની ઇનિંગ બાદ બુમરાહે રચ્યો ઈતિહાસ
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
IND vs SA: ઝહીર ખાન કે કપિલ દેવ પણ જે ન કરી શક્યા, તે બુમરાહે કરી બતાવ્યું! બની ગયો ભારતનો 'નંબર 1' રેકોર્ડ બ્રેકર?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
ઇન્ડિગો સંકટ પર સરકારની લાલ આંખ: 10% ફ્લાઈટ્સ ઘટાડવાનો કડક આદેશ, CEO એ કોની સામે જોડ્યા હાથ?
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
રાકેશ ટિકૈતનો મોટો રાજકીય ધડાકો: ‘બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણ પાછળ ભાજપ જ....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
લોકસભામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેનો ચોંકાવનારો ખુલાસો: ‘વોટર લિસ્ટમાંથી મારા માતા-પિતાના નામ કપાઈ ગયા છે અને હું....’
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Weather Update: આગામી સાત દિવસ ઠંડીનો માહોલ યથાવત રહેશે, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
હાર્દિક પંડ્યાએ T20I માં બનાવ્યો ખાસ રેકોર્ડ, વિસ્ફોટક ઈનિંગ રમી રોહિત-કોહલીના ક્લબમાં સામેલ 
Embed widget