શોધખોળ કરો

UNGA: 'એ દિવસો ગયા જ્યારે કેટલાક દેશો એજન્ડા નક્કી કરતા હતા અને...', સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલ્યા વિદેશમંત્રી એસ.જયશંકર

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી જયશંકરે આતંકવાદ સામે ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું.

S Jaishankar Speech At UNGA: ખાલિસ્તાની આતંકવાદીઓના મુદ્દે કેનેડાના વલણને કારણે ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલી તંગ પરિસ્થિતિ વચ્ચે મંગળવારે (26 સપ્ટેમ્બર) વિદેશ મંત્રી એસ. જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આતંકવાદ સહિત ઘણા મુદ્દાઓ પર સીધો અને મજબૂત સંદેશ આપ્યો હતો.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી જયશંકરે આતંકવાદ સામે ભારતનું સ્પષ્ટ વલણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ કે હિંસાની પ્રતિક્રિયાનો આધાર બની શકે નહીં.વિદેશ મંત્રીએ વૈશ્વિક સમુદાયને નિયમો આધારિત આદેશ અને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું સન્માન કરવા પણ આહ્વાન કર્યું હતું. તે જ સમયે, વિદેશ મંત્રીએ દેશોને અન્યના આંતરિક મામલામાં દખલ ન કરવા પણ આહ્વાન કર્યું હતું.ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ અને ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે જયશંકરની આ ટિપ્પણીઓને બંને દેશો પર હુમલા તરીકે જોવામાં આવી રહી છે.

'આતંકવાદ સામેની પ્રતિક્રિયા રાજકીય સગવડથી નક્કી ન થવી જોઈએ'

તેમના સંબોધન દરમિયાન વિદેશ મંત્રીએ કહ્યું હતું કે  "માર્કેટના પાવરનો ઉપયોગ ભોજન અને એનર્જીને જરૂરિયાતમંદોમાંથી શ્રીમંતોમાં સ્થાનાંતરિત કરવા માટે ન થવો જોઈએ. આપણે એ વાતને પણ સમર્થન ના આપવું જોઇએ કે રાજકીય સગવડ આતંકવાદ, ઉગ્રવાદ અને હિંસા પર પ્રતિક્રિયાઓ નક્કી કરે.

શું છે ભારત-કેનેડા વિવાદ?

ગયા અઠવાડિયે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આરોપ મૂક્યો હતો. જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતે તેને આતંકવાદી જાહેર કર્યો હતો પરંતુ તેની પાસે કેનેડાની નાગરિકતા હતી.

ટ્રુડોના આરોપો પછી ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને તેમના આરોપોને વાહિયાત, પાયાવિહોણા અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા હતા. ભારતે કહ્યું કે ટ્રુડોની સરકારે હજુ સુધી તેના દાવાને સમર્થન આપતા પુરાવા રજૂ કર્યા નથી. આ વિવાદને કારણે ભારત અને કેનેડાએ રાજદ્વારી સ્તરે પગલાં લીધા છે અને સંબંધો તણાવપૂર્ણ થયા છે.

ભારતને UNSCમાં કાયમી સભ્ય તરીકે સામેલ કરવાની હિમાયત

સ્થાયી સભ્ય તરીકે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના સમાવેશની ભારપૂર્વક હિમાયત કરતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે તે દિવસો પૂરા થઈ ગયા છે જ્યારે કેટલાક દેશો એજન્ડા નક્કી કરે છે અને અન્ય લોકો પણ તેની સાથે આવે તેવી અપેક્ષા રાખે છે.

જયશંકરે G20 ના પ્રમુખપદ દરમિયાન ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવતા અને આફ્રિકન યુનિયનને જૂથમાં સામેલ કરવા તરફ ધ્યાન દોર્યું અને કહ્યું હતું કે , "સંયુક્ત રાષ્ટ્રને સુધારણાના આ મહત્વપૂર્ણ પગલાથી પ્રેરણા મળવી જોઇએ. સુરક્ષા પરિષદને સમકાલીન બનાવવા માટે પણ પ્રેરણા લેવી જોઈએ.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂCar structed in Flooded river of Dhoraji RajkotGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Alert: આ 10 જિલ્લામાં ધડબડાટી બોલાવશે વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
Rain Forecast: રાજ્યના 11 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી, બે જિલ્લામાં તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
New Criminal Laws: ભારતીય ન્યાય સંહિતા લાગુ થતાં જ દિલ્હીમાં પહેલી FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચનારા શખ્સ પર કેસ
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Rohit Sharma IPL Future: શું રોહિત શર્મા IPLને પણ અલવિદા કહેશે? T20 ફોર્મેટથી નિવૃત્તિ પછી મૌન તોડ્યું
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
Accident News: અમદાવાદમાં રિંગ રોડ થાર અને ફોર્ચ્યુનર વચ્ચે અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, ત્રણના મોત
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
Embed widget