Russia Ukraine War: 'રશિયા તરફથી લડી રહ્યા છે પાકિસ્તાનના સૈનિકો', જાણો કોણે કર્યો દાવો?
Russia Ukraine War: 3 વર્ષથી વધુ સમયથી બંને દેશો એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં રશિયાએ યુક્રેન પર હુમલાઓ વધારી દીધા છે.

Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. 3 વર્ષથી વધુ સમયથી બંને દેશો એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં રશિયાએ યુક્રેન પર હુમલાઓ વધારી દીધા છે. આ યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મોટો દાવો કરીને સનસનાટી મચાવી છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે યુક્રેન સામેના યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકો પણ રશિયા તરફથી લડી રહ્યા છે.
Today, I was with those defending our country in the Vovchansk direction – the warriors of the 17th Separate Motorized Infantry Battalion of the 57th Brigade named after Kish Otaman Kost Hordiienko.
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 4, 2025
We spoke with commanders about the frontline situation, the defense of… pic.twitter.com/40XsGHZU0T
ઝેલેન્સકીના નિવેદનથી હોબાળો મચી ગયો
યુક્રેનના રાષ્ટ્રપતિએ સોમવારે (4 ઓગસ્ટ, 2025) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે હું યુક્રેનિયન આર્મીની 17મી મોટરાઇઝ્ડ ઇન્ફન્ટ્રી બટાલિયનના સૈનિકોને મળ્યો અને Vovchansk વિસ્તારની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું કે તેઓ યુદ્ધના મોરચે તૈનાત કમાન્ડરોને મળ્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, 'અમારા સૈનિકો અહેવાલ આપી રહ્યા છે કે ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકન દેશોના ભાડૂતી સૈનિકો યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે. અમે આનો જવાબ આપીશું.'
જોકે, આ પહેલી વાર નથી જ્યારે વોલોડીમીર ઝેલેન્સકીએ આવો દાવો કર્યો હોય. અગાઉ તેમણે એક વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે યુક્રેને રશિયા તરફથી લડતા 2 ચીની નાગરિકોને પકડ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું હતું કે પકડાયેલા ચીની નાગરિકો કસ્ટડીમાં છે.
ઇસ્તંબુલ મંત્રણા પર ઝેલેન્સકીનું નિવેદન
યુદ્ધ દરમિયાન તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું હતું કે જૂલાઈમાં ઇસ્તંબુલમાં થયેલી વાટાઘાટો પછી યુક્રેન અને રશિયા 1,200 કેદીઓની આપ-લે કરવા સંમત થયા છે. આ અંગે બંને દેશો વચ્ચે એક કરાર થયો છે. ઝેલેન્સકીએ કહ્યું હતું કે જે લોકોની આપ-લે થવાની છે તેમની યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેથી આપણા સામાન્ય નાગરિકો પાછા ફરી શકે.





















