![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
70 વર્ષની લાંબી લડાઇ બાદ મેલેરિયા મુક્ત થયો ભારતનો આ પાડોશી દેશ, નહીં દેખાય હવે મેલેરિયાનો એકપણ દર્દી, જાણો
દેશમાં વાર્ષિક 1940ના દાયકામાં સંક્રમક બિમારીના 3 કરોડ કેસ નોંધવામાં આવતા હતા, હવે સતત ચાર વર્ષોમાં એકપણ ઘરેલુ સ્તર પર કેસો સામે આવ્યા નથી.
![70 વર્ષની લાંબી લડાઇ બાદ મેલેરિયા મુક્ત થયો ભારતનો આ પાડોશી દેશ, નહીં દેખાય હવે મેલેરિયાનો એકપણ દર્દી, જાણો WHO Congratulates: china declared malaria free after 70 year 70 વર્ષની લાંબી લડાઇ બાદ મેલેરિયા મુક્ત થયો ભારતનો આ પાડોશી દેશ, નહીં દેખાય હવે મેલેરિયાનો એકપણ દર્દી, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/07/b384fde6a2df0e7e576be8fca68dd504_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ચીનને મેલેરિયા મુક્ત જાહેર કરી દીધો છે. ચીનને આ સિદ્ધિ 30 જૂને મળી. તેને મચ્છર જન્ય આ બિમારીને ખતમ કરવા માટે લગભગ 70 વર્ષ સુધી પ્રયાસ કરવો પડ્યો. દેશમાં વાર્ષિક 1940ના દાયકામાં સંક્રમક બિમારીના 3 કરોડ કેસ નોંધવામાં આવતા હતા, હવે સતત ચાર વર્ષોમાં એકપણ ઘરેલુ સ્તર પર કેસો સામે આવ્યા નથી.
70 વર્ષની લાંબી લડાઇ બાદ ચીન થયુ મેલેરિયા મુક્ત-
વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થાએ મેલેરિયાથી દેશને છુટકારો મેળવવા પર ચીનના લોકોને અભિનંદન પાઠવ્યા છે. તેમને બતાવ્યુ કે આ સફળતા સખત મહેનતથી હાંસલ કરવામાં આવી છે, અને લક્ષિત અને નિરંતર કાર્યવાહીના ચાર દાયકા બાદ મળી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ધેબ્રેરિયેસેસે કહ્યું- આ જાહેરાતની સાથે ચીન આગળ વધતા તે દેશોમાં સામેલ થઇ ગયુ છે જેમને બતાવ્યુ છે કે દુનિયાનુ ભવિષ્ય મલેરિયા મુક્ત છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેલેરિયા ફ્રી થવા પર આપ્યા અભિનંદન-
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનુ કહેવુ છે કે ચીને દાયકાઓ પહેલા જોખમ વાળા વિસ્તારોમાં બિમારીની રોકથામ માટે દવા વિતરિત કરવાનુ શરુ કરી દીધુ હતુ. મચ્છર પ્રજનન વાળા વિસ્તારો પણ વ્યવસ્થિત રીતે ઓછા થયા છે, અને કીટ નિવારક અને સુરક્ષાત્મક નેટ્સને મોટા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી મેલેરિયા મુક્ત પ્રમાણિત ચીન 40મુ ક્ષેત્ર બની ગયુ છે. 80ના દાયકામાં ચીન મેલેરિયાની રોકથામ માટે દવા યુક્ત પરતવાળી મચ્છરદાણીનો ઉપયોગ કરવાવાળો દુનિયાનો પહેલો દેશ હતો.
શૂન્ય સ્વદેશી કેસોમાં સતત ચાર વર્ષ બાદ ચીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેશનાઇઝેશનના પ્રમાણ માટે 2020માં અરજી કરી હતી. વિશેષણોએ ભવિષ્યના પ્રકોપની રોકથામની તૈયારીઓ અને મેલેરિયા ફ્રી પ્રમાણની પુષ્ટી કરવા માટે આ વર્ષે મેમાં દેશની યાત્રા કરી હતી. મેલેરિયાના ટ્રાન્સમિશન સંક્રમિત એનોફેલીઝ મચ્છરના કરડવાથી થાય છે. જો સમય રહેતા ઇલાજ કરાવવામાં આવે, તો તેમાં જીવલેણ બનવાની સંભાવના છે. તેના લક્ષણોમાં ભારે તાવ, માથાનો દુઃખાવો, ઠંડી લાગવી વગેરે મુખ્ય છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)