શોધખોળ કરો
શું એક કે બે નંબર પર પંખો ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવે છે? આજે જાણો શું છે સત્ય
Fan Using Tips: શું પંખો ધીમી ગતિએ ચલાવવાથી વીજ બિલમાં બચત થાય છે? ઘણા લોકો માને છે કે પંખો એક કે બે નંબર પર - વીજળીનો વપરાશ ઓછો થાય છે અને પરિણામે બિલ પણ ઓછું આવે છે. પરંતુ શું આ માન્યતા સાચી છે?
Fan Using Tips: આજકાલ ભારતમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીથી લોકોને ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ મુશ્કેલી પડી રહી છે. આવા સમયે લોકો ઠંડક મેળવવા માટે પંખા, કૂલર અને એરકન્ડિશનરનો ઉપયોગ કરે છે. પરંતુ દરેક વ્યક્તિ પાસે એસી કે કૂલર નથી હોતા, ઘણા લોકો માત્ર પંખા પર જ નિર્ભર હોય છે.
1/5

પંખાની હવા ગરમીમાં રાહત આપે છે, પરંતુ કેટલાક લોકો માને છે કે પંખો ધીમી ગતિએ ચલાવવાથી વીજ બિલ ઓછું આવે છે. શું આ માન્યતા સાચી છે? આવો જાણીએ કે પંખાની ગતિ અને વીજ વપરાશ વચ્ચે શું સંબંધ છે.
2/5

બજારમાં વિવિધ પ્રકારના પંખા મળે છે, જેમાં આધુનિક ઓટોમેટિક પંખા પણ સામેલ છે. પંખાની ગતિ અને વીજ વપરાશ વચ્ચેનો સંબંધ રેગ્યુલેટર પર આધાર રાખે છે. કેટલાક પંખામાં એવા રેગ્યુલેટર હોય છે જે માત્ર પંખાની ગતિને નિયંત્રિત કરે છે, વીજ વપરાશને નહીં. આવા કિસ્સામાં, પંખો ગમે તે ગતિએ ચાલે, વીજ વપરાશ સમાન રહે છે.
Published at : 26 Jun 2024 03:05 PM (IST)
આગળ જુઓ




















