શોધખોળ કરો
Gandhinagar: HTAT મુખ્ય શિક્ષકોના આજથી આમરણાંત ઉપવાસ, જાણો શું છે તેમની માંગણીઓ?
રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને એચટાટ મુખ્ય શિક્ષકોએ ફગાવી દીધી છે. બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો આજે ગાંધીનગરમાં ભૂખ હડતાળ પર ઉતરશે.
ફોટોઃ abp asmita
1/6

રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આંદોલનનો માર્ગ ન અપનાવવા કરેલી અપીલને એચટાટ મુખ્ય શિક્ષકોએ ફગાવી દીધી છે. બદલીના નવા નિયમો જાહેર કરવાની માંગ સાથે મુખ્ય શિક્ષકો આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભૂખ હડતાળ પર ઉતરશે.
2/6

મળતી જાણકારી અનુસાર, બદલી અને સેવાકીય નિયમો જાહેર ના થતા એચટાટના મુખ્ય શિક્ષકોએ આજથી ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે. ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ મુખ્ય શિક્ષકો પહોંચ્યા હતા. શિક્ષકોનો આરોપ છે કે છેલ્લા 12 વર્ષથી શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારમાં રજૂઆત છતા નિયમો જાહેર કરાયા નથી.
Published at : 16 Jul 2024 11:00 AM (IST)
આગળ જુઓ




















